________________
૧૯૦
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૩૮-૫૩૯ સંવિગ્ન એવા અન્ય સાંભોગિક સાધુઓને પોતાની લાવેલી ગોચરી નહીં કલ્પતી હોવાથી પોતાનું ગોચરી લાવવાનું સામર્થ્ય હોવા છતાં પોતે ગોચરી લાવી આપીને તેઓની વૈયાવચ્ચ કરી શકે નહિ, તોપણ તે અન્ય સાંભોગિક સાધુઓને અલ્પ આયાસથી નિર્દોષ ભિક્ષા મળે તે માટે પોતાના સામર્થ્ય પ્રમાણે તે પચ્ચખ્ખાણવાળા સાધુ શ્રાવકાદિનાં કુલો બતાવવા તેઓની સાથે જાય, અને દાન આપનારા ગૃહસ્થોનાં કે શ્રાવકોનાં સ્થાનો બતાવવા દ્વારા વીર્યાચારનું સભ્યપાલન કરે.
વળી પચ્ચકખાણવાળા સાધુ સાંભોગિક સાધુઓને ગોચરી લાવી આપે, પરંતુ જો પચ્ચકખાણવાળા સાધુ તેઓને ગોચરી લાવી આપવા અસમર્થ હોય તો સાંભોગિક સાધુઓને પણ પોતાની શક્તિ પ્રમાણે શ્રાવકાદિનાં કુલો બતાવે. આ રીતે વીર્યાચારનું સભ્યપાલન થાય છે, અને તપમાં વીર્ય ફોરવવાથી જેમ નિર્જરા થાય છે તેમ વૈયાવચ્ચમાં વિર્ય ફોરવવાથી પણ તે સાધુને નિર્જરા થાય છે. પ૩૮ અવતરણિકા:
किमिति यथासमाधिनेत्याह - અવતરણિકાર્ય :
પૂર્વગાથાના અંતે “યથાસમાધિથી” એ પ્રમાણે કયા કારણથી કહેલ છે? એથી કહે છે –
ગાથા :
भाविअजिणवयणाणं ममत्तरहिआण नत्थि उ विसेसो ।
अप्पाणंमि परम्मि अ तो वज्जे पीडमुभओ वि ॥५३९॥ અન્વયાર્થ:
મવિનિવિયUTUભાવિતજિનવચનવાળા, મમત્તાિ =મમત્વરહિત એવા સાધુઓને પાણિ પરમ =આત્મામાં=પોતાનામાં, અને પરમાં વિસે નલ્થિ ઋવિશેષ=ભેદ, નથી જ. તો તે કારણથી ૩મો વિ=ઉભયની પણ પહં પીડાને વળે=વર્જવી જોઈએ. ગાથાર્થ :
ભાવિતજિનવચનવાળા અને મમત્વરહિત એવા સાધુઓને પોતાનામાં અને પરમાં ભેદ નથી જ, તે કારણથી ઉભચની પણ પીડાનું વર્જન કરવું જોઈએ. ટીકા :
भावितजिनवचनानां प्राणिनां ममत्वरहितानां सामायिकवतां नाऽस्त्येव विशेषः भेदः आत्मनि परे च तुल्यशीले, ततः वर्जयेत् पीडामुभयोरपि स्वपरयोरपीति गाथार्थः ॥५३९॥ ટીકાર્ય :
ભાવિત છે જિનવચન જેમને એવા, મમત્વથી રહિત=સામાયિકવાળા, પ્રાણીઓને જીવોને, તુલ્યશીલવાળા આત્મામાં અને પરમાં=સમાન સ્વભાવવાળા પોતાનામાં અને બીજાનામાં, વિશેષ=ભેદ, નથી જ હોતો. તે કારણથી સાધુએ ઉભયની પણ=સ્વ અને પરની પણ, પીડાને વર્જવી જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org