________________
૧૮૯
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૩૮
सन्नायकुलेहिंतो वा असण्णाएहिं वा लद्धिसंपण्णो आणित्ता दिज्जा वा दवाविज्जा वा, परिचिएसु वा संवुड्ढीए व वा दवाविज्जा, उवदिसिज्ज वा वि संविग्गअण्णसंभोइयाणं जहा 'एयाणि दाणकुलाणि सड्डगकुलाणि वा', अतरंतो संभोइयाण वि दंसिज्ज, न दोसो, अह पाणगस्स सण्णाभूमिं वा गएणं संखडी सुया दिट्ठा वा होज्जा ताहे साहूणं 'अमुगत्थ संखडित्ति एवमुवइसिज्जा, जहासमाही णाम दाणे उवएसे वा जहासामत्थं, जइ तरति आणेउं तो देइ, अह ण तर तो दवावेज्ज वा उवदिसिज्ज वा, जहा जहा साहूणं अप्पणो वा समाही तहा तहा पयत्तियव्वं ति, कृतं विस्तरेण ॥ ५३८ ॥
નોંધઃ
અહીં ‘સંવુઠ્ઠી' પછી જે ‘વ' છે તે વધારાનો ભાસે છે, અને ત્યારપછીનો ‘વા' વકાર અર્થમાં છે. ટીકાર્થઃ
संविग्ना ......: વળી સંવિગ્ન ઐવા અન્ય સાંભોગિક સાધુઓને શ્રાવકનાં કુલો દર્શાવે=બતાવે, અને અશક્ત=અન્યને આહાર લાવી આપવા અસમર્થ એવા પચ્ચક્ખાણવાળા સાધુ, સાંભોગિક સાધુઓને પણ સામર્થ્ય પ્રમાણે દર્શાવે=શ્રાવકનાં કુલો બતાવે, આ પ્રમાણે ગાથાનો અર્થ છે.
સ્થ પુળ સામાચારી – વળી અહીં=પચ્ચક્ખાણવાળા સાધુને અન્ય સાધુની વૈયાવચ્ચ કરવાના વિષયમાં, સામાચારી
-
. તેહિ સ્વયં નહીં ખાતા એવા સાધુ ભાત-પાણીને લાવીને આપે=અન્ય સાધુઓને આપે. છતું વીર્ય ગોપવવું જોઈએ નહીં, પોતાનું વીર્ય હોતે છતે બીજાને આજ્ઞા કરવી જોઈએ નહીં; કેવા પ્રકારની આજ્ઞા કરવી જોઈએ નહીં ? તે બતાવવા ‘નહા’થી કહે છે. “હે આર્ય ! અમુક સાધુને લાવીને આપ.”
-
.......
ન
तम्हा • ન હોતો તે કારણથી=છતું વીર્ય ગોપવવું ન જોઈએ અને અન્યને આજ્ઞા કરવી ન જોઈએ તે કારણથી, પોતાનું વીર્ય હોતે છતે આચાર્ય, ગ્લાન, બાલ, વૃદ્ધ, પ્રાથૂર્ણક વગેરેને કે ગચ્છને સંજ્ઞાતકુલોમાંથી કે અસંજ્ઞાતકુલોમાંથી લબ્ધિસંપન્ન સાધુ લાવીને આપે અથવા અપાવે=ભાત-પાણી લાવીને આપે અથવા અપાવે. અથવા પરિચિત કુલોમાં સંવૃદ્ધિથી જ અપાવે અર્થાત્ પ્રાથૂર્ણક સાધુને ભિક્ષા પ્રાપ્ત થતી ન હોય તો પરિચિત ગૃહસ્થોને ઉપદેશ આપવા દ્વારા ઉત્સાહિત કરીને અપાવડાવે.
વળી સંવિગ્ન એવા અન્ય સાંભોગિક સાધુઓને ઉપદેશ આપે, જેવી રીતે – “આ દાનનાં કુલો છે કે શ્રાવકનાં કુલો છે.’’ અશક્ત=ગોચરી લાવી આપવા અસમર્થ એવા પચ્ચક્ખાણવાળા સાધુ, સાંભોગિક સાધુઓને પણ દર્શાવે=દાનકુલો કે શ્રાદ્ધકુલો બતાવે, દોષ નથી=પચ્ચક્ખાણવાળા સાધુ અન્યને ગોચરી લાવી આપવા અસમર્થ હોય ત્યારે દાનકુલો વગેરે બતાવે
એમાં દોષ નથી.
........ મુવતિજ્ઞા હવે પાનક માટે અથવા સંજ્ઞાભૂમિને વિષે ગયેલ સાધુ વડે સંખડી સંભળાઇ અથવા જોવાઈ હોય, તો સાધુઓને “અમુક સ્થળે સંખડી છે,” એ પ્રમાણે ઉપદેશે.
પત્તિયન્નેં યથાસમાધિ એટલે દાનમાં અથવા ઉપદેશમાં યથાસામર્થ્ય, જો લાવવા માટે સમર્થ છે
जहासमाही તો આપે=ભાત-પાણી લાવવા માટે સમર્થ છે તો લાવીને આપે. હવે લાવવા માટે સમર્થ નથી, તો અપાવે અથવા ઉપદેશે. જે જે રીતે સાધુઓની અથવા પોતાની સમાધિ જળવાય, તે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. ‘તિ’ સામાચારીના કથનની સમાપ્તિ અર્થક છે.
વિસ્તરેળ તૃતવિસ્તાર વડે સર્યું.
ભાવાર્થ:
પચ્ચક્ખાણવાળા સાધુ વીર્યાચારના પાલન અર્થે સમાધિ પ્રમાણે દાન અને ઉપદેશમાં યત્ન કરે છે. તે આ રીતે
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org