________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ’ દ્વાર | ગાથા ૫૩૬ પચ્ચક્ખાણનો ભંગ થતો નથી. હવે તે કથનની શાસ્ત્રવચનથી પુષ્ટિ કરવા માટે ‘વિજ્ઞ’થી સમુચ્ચય કરતાં ગ્રંથકાર કહે છે –
૧૮૬
ગાથા:
सयमेवऽणुपालणिअं दाणुवएसा य नेह पडिसिद्धा । तो दिज्ज उवइसिज्ज व जहासमाहीए अन्नेसिं ॥ ५३६ ॥
અન્વયાર્થ:
(પચ્ચક્ખાણ) સયમેવષ્ણુપાળિયંસ્વયં જ અનુપાલનીય છે. રૂ થ=અને અહીં=ઉપવાસાદિના પચ્ચક્ખાણમાં, વાળુવÇા=દાન અને ઉપદેશ ન પઽિસિદ્ધા=પ્રતિષેધાયા નથી. તો—તે કારણથી (પચ્ચક્ખાણવાળા સાધુ) નહાસમાદીયથાસમાધિથી=સમાધિ પ્રમાણે, અત્રેસિ=અન્યોને=બાલાદિ સાધુઓને, વિજ્ઞ વસિન્ન વ=આપે અથવા ઉપદેશે=અશનાદિ લાવી આપે અથવા અશનાદિ લાવવાનો ઉપદેશ આપે.. ગાથાર્થ:
પચ્ચક્ખાણ સ્વયં જ અનુપાલનીય છે; અને ઉપવાસાદિના પચ્ચક્ખાણમાં દાન અને ઉપદેશ પ્રતિષેધાયા નથી, તે કારણથી પચ્ચક્ખાણવાળા સાધુ સમાધિ પ્રમાણે બાલાદિ સાધુઓને અશનાદિ લાવી આપે અથવા અશનાદિ લાવવાનો ઉપદેશ આપે.
ટીકા :
स्वयमेव=आत्मनैवाऽनुपालनीयं प्रत्याख्यानमित्युक्तं नियुक्तिकारेण, दानोपदेशौ च नेह प्रतिषिद्धौ, तत्राऽऽत्मनाऽऽनीय दानं, दानश्राद्धकादिकुलाख्यानं तूपदेश इति यस्मादेवं तस्मात् दद्यादुपदिशेद्वा यथासमाधिना= यथासमाधानेन अन्येभ्यो - बालादिभ्य इति गाथार्थः ॥ ५३६ ॥
ટીકાર્ય
પચ્ચક્ખાણ સ્વયં જ=આત્મા વડે જ=પોતે જ, અનુપાલન કરવા યોગ્ય છે, એ પ્રમાણે નિર્યુક્તિકાર વડે કહેવાયું છે, અને અહીં=પચ્ચક્ખાણના અધિકારમાં, દાન અને ઉપદેશ પ્રતિષિદ્ધ નથી. તેમાં=દાન અને ઉપદેશમાં, આત્મા વડે લાવીને દાન=પોતે અશનાદિ લાવીને આપવું એ દાન છે, વળી દાન અને શ્રાદ્ધકાદિના કુલનું આખ્યાન ઉપદેશ છે=અશનાદિ આપનારના કે શ્રાવકાદિના કુલનું કથન એ ઉપદેશ છે.
‘કૃત્તિ’ દાન અને ઉપદેશના સ્વરૂપના કથનની સમાપ્તિમાં છે.
જે કારણથી આમ છે=પચ્ચક્ખાણવાળા સાધુને દાન અને ઉપદેશ પ્રતિષિદ્ધ નથી એમ છે, તે કારણથી યથાસમાધિથીયથાસમાધાનથી, અન્યોને—બાલાદિને, આપે અથવા ઉપદેશે—પચ્ચક્ખાણવાળા સાધુ અશનાદિ લાવી આપે અથવા અશનાદિ વિષયક ઉપદેશ આપે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
પચ્ચક્ખાણકથનના સ્થાનમાં આવશ્યકસૂત્રના નિર્યુક્તિકાર પૂ.ભદ્રબાહુસ્વામીએ કહેલ છે કે પચ્ચક્ખાણ ગ્રહણ કરનાર સાધુએ પચ્ચક્ખાણ સ્વયં જ પાળવું જોઈએ, માટે બીજાને આહારના દાનનો અને આહારના વિષયમાં ઉપદેશ આપવાનો પચ્ચક્ખાણવાળા સાધુને નિષેધ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org