________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૩૫-૫૩૬
૧૮૫
તે=અન્યને દાન વડે કરાવણ, શુદ્ધ એવા મુનિને=આશંસાદિ દોષોથી રહિત એવા સાધુને, તેના ભંગનો હેતુ=પ્રક્રાંત એવા પ્રત્યાખ્યાનના ભંગનો હેતુ, થતો નથી; કેમ કે તે પ્રકારે અનબ્લ્યુપગમ છે—ત્રિવિધ ત્રિવિધ પ્રકારે પચ્ચક્ખાણનો અસ્વીકાર છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
ગાથા ૫૩૩-૫૩૪ માં પરમતે શંકા કરેલ કે ઉપવાસાદિના પચ્ચક્ખાણવાળા સાધુ આચાર્ય, ઉપાધ્યાય વગેરેને ગોચરી લાવીને વપરાવે તો તેમને વ્રતભંગનો દોષ થાય. તેને ગુરુ કહે છે કે ઉપવાસાદિનું પચ્ચક્ખાણ મન-વચન-કાયાના યોગો વડે કરણ, કરાવણ અને અનુમોદનના ભેદવાળું નથી. તેથી પ્રાણાતિપાતવિરમણના પચ્ચક્ખાણની જેમ ઉપવાસાદિનું પચ્ચક્ખાણ ત્રિવિધે ત્રિવિધે નથી, માટે વ્રતનો ભંગ થતો નથી. આ રીતે પ્રાણાતિપાતવિરમણના પચ્ચક્ખાણના દષ્ટાંતી પૂર્વપક્ષીએ કહેલ કે ઉપવાસાદિનું પચ્ચક્ખાણ કરનાર સાધુ આચાર્યાદિને ગોચરી લાવી આપે તો વ્રતભંગ થાય, તે વાતનું નિરાકરણ થયું.
હવે તે વ્રતભંગ કેવા સાધુને થતો નથી ? તે બતાવતાં કહે છે કે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનારા એવા આશંસાદિ દોષોથી રહિત સાધુને આહારના દાન દ્વારા અન્યને ભોજનની ક્રિયાના કરાવણમાં પણ વ્રતભંગ થતો નથી.
આશય એ છે કે સાધુ સર્વત્ર સમભાવવાળા હોવાથી સમભાવની વૃદ્ધિ અર્થે ઉપવાસાદિનું પચ્ચક્ખાણ કરે છે અને સમભાવની વૃદ્ધિ અર્થે જ આચાર્યાદિની વૈયાવચ્ચ પણ કરે છે; કેમ કે સાધુ જાણતા હોય છે કે આચાર્યાદિને હું ગોચરી લાવી આપીશ તો તે ગોચરી વાપરીને તેઓ સારી રીતે સંયમ પાળી શકશે, એમાં હું પણ નિમિત્તભાવ પામીને નિર્જરાનો ભાગી થઈશ. માટે નિર્જરાની કામનાથી સાધુ જેમ ઉપવાસાદિ તપમાં યત્ન કરે છે, તેમ વૈયાવચ્ચમાં પણ યત્ન કરે છે, જે નિર્જરાની અતિશયતાનું કારણ છે. પરંતુ જો સાધુને આશંસા હોય કે હું આચાર્યાદિની વૈયાવચ્ચ કરીશ તો આચાર્યાદિ મારી વિશેષ સંભાળ રાખશે, અથવા તો પ્રસંગે તેઓ મને અનુકૂળ આહારાદિ આપશે, તો આવી આશંસાથી કરાયેલ વૈયાવચ્ચ નિર્જરાનું કારણ બનતી નથી.
આમ, સાધુ પોતાની ભાવિની શાતા અર્થે બીજાને આહાર આદિ લાવી આપે, તો તે આહાર લાવી આપવાની ક્રિયા પોતે ગ્રહણ કરેલ પચ્ચક્ખાણમાં દોષરૂપ બને છે; કેમ કે પચ્ચક્ખાણ ગ્રહણ કરવાનો આશય સમભાવનો હોવા છતાં તે સાધુએ બીજાને આહાર લાવી આપવા દ્વારા પોતાના સમભાવની હાનિ થાય તેવો યત્ન કર્યો. આથી આશંસાદિ દોષો વગર કેવલ નિર્જરાની કામનાથી વૈયાવચ્ચ કરે, તો તે સાધુના ઉપવાસાદિ પચ્ચક્ખાણનો ભંગ થતો નથી, અને ગુણિયલ એવા આચાર્યાદિના વૈયાવચ્ચનો અધ્યવસાય હોવાથી તે આહારનું દાન કરનારા પચ્ચક્ખાણવાળા સાધુના સમભાવની વૃદ્ધિ થાય છે. ૧૫૩૫॥
અવતરણિકા :
किञ्च
—
અવતરણિકાર્ય :
ગાથા ૫૩૩-૫૩૪ માં કરેલ પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતાં ગાથા ૫૩૫માં ગ્રંથકારે કહ્યું કે નવકારશી આદિ પચ્ચક્ખાણ ત્રિવિધ ત્રિવિધ ગ્રહણ કરાતું નથી, માટે આચાર્યાદિને આહાર લાવી આપવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org