SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૪ ૧૮૩ અન્વયા : વય ત્રેવસ્થાનો કૃતપચ્ચખાણવાળા સાધુ મારિયાન=આચાર્ય આદિને ૩UTIછું અશનાદિ નો વિજ્ઞ=ન આપે, (અહીં પ્રશ્ન થાય કે આચાર્યાદિને અશનાદિ લાવી આપવાથી વૈયાવચ્ચનો લાભ થશે, તેથી કહે છે –) વિરપાન =અને વિરતિના પાલનથી વેગાવવૅ પહાયર =વૈયાવચ્ચ પ્રધાનતર નથી. ગાથાર્થ : કૃતપચ્ચકખાણવાળા સાધુ આચાર્ય વગેરેને અશનાદિ લાવી આપે નહીં. અહીં પ્રશ્ન થાય કે આચાર્ય વગેરેને અશનાદિ લાવી આપવાથી વૈચાવચ્ચનો લાભ થશે. તેથી કહે છે – વિરતિના પાલનથી વૈયાવચ્ચ પ્રધાનતર નથી. ટીકા : यतश्चैवमतो न कृतप्रत्याख्यानः पुमानाचार्यादिभ्यः, आदिशब्दादुपाध्यायतपस्विशैक्षकग्लानवृद्धादिपरिग्रहः, दद्यात्, किम् ? अशनादि, स्यादेतत्, ददतो वैयावृत्त्यलाभ इत्यत आह - न च विरतिपालनाद्वैयावृत्त्यं प्रधानतरम्, अतोऽसत्यपि तल्लाभे किं तेनेति गाथार्थः ॥५३४॥ ટીકાર્ય અને જે કારણથી આમ છેપચ્ચકખાણવાળા સાધુ અન્ય સાધુને અશનાદિ આહાર લાવી આપે તો ભોજનક્રિયાનું કરાવણ થવાથી વ્રતભંગ થાય છે એમ છે, આથી કરાયેલ છે પચ્ચકખાણ જેના વડે એવા પુરુષસાધુ, આચાર્યાદિને અશનાદિન આપે. આ થાય અહીં કોઈને પ્રશ્ન થાય, આપતા એવાને આચાર્યાદિને અશનાદિ આપતા એવા સાધુને, વૈયાવચ્ચનો લાભ થશે. એથી કહે છે – અને વિરતિના પાલનથી વૈયાવચ્ચે પ્રધાનતર નથી, આથી તેનો લાભ નહીં થયે છતે પણ તેના વડે શું? અર્થાત્ વૈયાવચ્ચનો લાભ ન થાય તોપણ વ્રતના ભંગ દ્વારા વૈયાવચ્ચ કરવા વડે શું? મારિ શબ્દથી=“મારાવિષ્ય:'માં આ શબ્દથી, ઉપાધ્યાય, તપસ્વી, શિક્ષક, ગ્લાન, વૃદ્ધાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા પ૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે કૃતપચ્ચક્ખાણવાળા સાધુ અન્ય સાધુ માટે આહાર લાવે તો નક્કી આહારનું કરાવણ થવાથી પોતે ગ્રહણ કરેલ પચ્ચક્ખાણના ભંગરૂપ દોષ થાય છે, આથી ઉપવાસાદિવાળા સાધુ અન્ય સાધુને અશનાદિ લાવી આપે નહિ. ત્યાં કોઈને શંકા થાય કે આચાર્યાદિને અશનાદિ લાવી આપવાથી વૈયાવચ્ચનો લાભ થાય છે. તેના ઉત્તર રૂપે પૂર્વપક્ષી કહે છે કે પચ્ચકખાણ એ વિરતિના પાલનરૂપ છે, અને વિરતિના પાલનથી વૈયાવચ્ચ પ્રધાનતર નથી, માટે વૈયાવચ્ચ કરતાં પ્રધાન એવા વિરતિના પાલનમાં સાધુએ યત્ન કરવો જોઈએ. તેથી ઉપવાસાદિ કરનાર સાધુ આચાર્યાદિની વૈયાવચ્ચ ન કરે તોપણ વિરતિના પાલનરૂપ મોટો લાભ મેળવે છે, માટે પચ્ચકખાણ કરનાર સાધુએ જેમ આહાર વાપરવો ન જોઈએ તેમ બીજાને આહાર વપરાવવો પણ જોઈએ નહિ. I/પ૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy