SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પ્રતિદિનકિલ્યાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૩૩-૫૩૪ अश्यत इत्यशनम् ओदनादि, तस्य दानमशनदानं तस्मिन्नशनदाने, अशनशब्दः पानाद्युपलक्षणार्थः, ततश्चैतदुक्तं भवति-कृतप्रत्याख्यानस्य सतः अन्यस्मै अशनादिदाने ध्रुवं कारावणमिति अवश्यं भुजिक्रियाकारणम्, अशनादिलाभे सति भोक्तुर्भुजिक्रियासद्भावात्, ततः किमिति चेत्, ननु दोषः= प्रत्याख्यानभङ्गो दोष इति गाथार्थः ॥५३३॥ ટીકાર્થ : પ્રત્યાખ્યાનના અધિકારમાં જ પર કહે છે – શું કહે છે? તે બતાવે છે – જે રીતે જીવઘાત=પ્રાણાતિપાત, પ્રત્યાખ્યાત હોતે છતે આ પ્રત્યાખ્યાતા જીવઘાતનું પચ્ચકખાણ કરનાર સાધુ, અન્યને કરાવતા નથી અન્ય પ્રાણી પાસે જીવઘાત કરાવતા નથી=બીજા પાસે જીવનો ઘાત કરાવતા નથી. કયા કારણથી? તે બતાવે છે – વ્રતના ભંગના ભયથી જીવઘાતના પ્રત્યાખ્યાનના ભંગના ભયથી, અન્ય પાસે જીવઘાત કરાવતા નથી. ખવાય છે એ ઓદનાદિ અશન છે, તેનું દાન એ અશનદાન, તેમાં અશનના દાનમાં, અશન શબ્દ પાન આદિના ઉપલક્ષણના અર્થવાળો છે, અને તેનાથી આ કહેવાયેલું થાય છે – કૃતપ્રત્યાખ્યાનવાળા છતા સાધુના અન્યને અનાદિના દાનમાં બીજા સાધુને અશનાદિ આહાર લાવી આપવામાં, ધ્રુવ કારાવણ છે અવશ્ય ખાવાની ક્રિયાનું કરાવણ છે; કેમ કે અશનાદિનો લાભ થયે છતે ભોજન કરનારની ખાવાની ક્રિયાનો સદ્ભાવ છે. તેનાથી શું? અન્યને અશનાદિ લાવી આપવામાં અવશ્ય કરાવણ થાય, તેનાથી શું? એમ જો હોય તો કહે છે – ખરેખર દોષ છે=પચ્ચકખાણના ભંગરૂપ દોષ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પ્રત્યાખ્યાનનો અધિકાર શરૂ થયો ત્યાં કોઈ પરમતવાળા આશંકા કરે છે કે જે રીતે પ્રાણાતિપાતના વિરમણનું પચ્ચકખાણ કરનાર સાધુ સ્વયં કોઈ જીવની હિંસા કરતા નથી કે અન્ય કોઈ જીવ પાસે હિંસા કરાવતા નથી; કેમ કે અન્ય પાસે હિંસા કરાવવામાં પણ વ્રતનો ભંગ થાય છે, તે રીતે ઉપવાસનું પચ્ચખાણ કર્યું હોય તેવા સાધુ જો અન્ય સાધુને આહાર લાવી આપે અને તે આહાર તે અન્ય સાધુ વાપરે તો પોતાને આહારનું પચ્ચકખાણ હોવા છતાં બીજાને આહાર વપરાવવાથી વ્રતભંગનો દોષ થાય છે. //પ૩૩ અવતરણિકા: અત: – અવતરણિકાW: પૂર્વગાથામાં કહ્યું કે પચ્ચકખાણવાળા સાધુ બીજા સાધુને આહાર લાવી આપે તો નક્કી કરાયણ થવાથી તે સાધુને વ્રતભંગનો દોષ પ્રાપ્ત થાય. એનાથી શું? તે બતાવવા પૂર્વપક્ષી કહે છે – આથી. ગાથા : नो कयपच्चक्खाणो आयरियाईण दिज्ज असणाई । ण य विरपालणाओ वेआवच्चं पहाणयरं ॥५३४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy