SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ’ દ્વાર | ગાથા ૫૩૧ ગાથાર્થ ખરેખર નવકારશી આદિ પચ્ચક્ખાણ, આ વિગઈઓ ભોગ્ય છે કે નહીં? એ પ્રકારનો જે યોગ, એ ઉપયોગ છે. વળી ઉચ્ચારણાદિ અને પચ્ચક્ખાણ ગ્રહણ કર્યા પછી પણ કાર્યભોગગત વિધિ છે. ટીકાઃ उपयोगः एतत् खलु नमस्कारसहितादि, एता विकृतयो भोग्या न वेति यो योगो== =વ્યાપાર:, , उच्चारणादि विधिः व्यक्तोच्चारणनमस्कारपाठगुर्वनुज्ञापनादि, ऊर्ध्वमपि च भोगकाले कार्यभोगगत इति वेदनोपशमादिकार्याय भोगप्राप्त इति गाथार्थः ॥ ५३१ ॥ ટીકાર્ય ૧૭૯ ખરેખર આ=નવકારશી આદિ, આ વિગઈઓ ભોગ્ય છે કે નહીં ? એ પ્રકારનો જે યોગ=વ્યાપાર, તે ઉપયોગ છે. ઉચ્ચારણાદિ=વ્યક્ત ઉચ્ચારણ, નવકારનો પાઠ, ગુરુને અનુજ્ઞાપનાદિ, વિધિ છે, અને ઊર્ધ્વ પણ=નવકારશી આદિનું પચ્ચક્ખાણ કર્યા પછી પણ, ભોગકાળમાં=આહાર વાપરવાના સમયમાં, કાર્યભોગગત–વેદનાનો ઉપશમાદિરૂપ કાર્ય માટે ભોગપ્રાપ્ત, એવી વિધિ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: નવકારશી આદિમાં સાધુનો ઉપયોગ અને વિધિ (૧) હું સાધુ છું. તેથી મારે આહાર, શરીર કે શાતા પ્રત્યે પક્ષપાત રાખવાનો ન હોય; કેમ કે સાધુ સામાયિકના પરિણામવાળા હોય છે. આથી મારે સામાયિકના પરિણામનો બાધ ન થાય એવું જ પચ્ચક્ખાણ ગ્રહણ કરવું જોઈએ. આ રીતે સામાયિકના પરિણામની વૃદ્ધિ થાય તેવા નવકારશી આદિ પચ્ચક્ખાણ ગ્રહણ ક૨વાવિષયક સાધુનો પ્રથમ ઉપયોગ હોય છે. (૨) વળી સાધુને વિશેષ કારણ વગર વિગઈઓ નહીં વાપરવાની હોવા છતાં, વિગઈઓના સેવન વગર સંયમની વૃદ્ધિ થતી ન હોય અને સ્વાધ્યાયાદિ થઈ શકતા ન હોય, ત્યારે મારે માટે કઈ વિગઈઓ ભોગ્ય છે ? અને કઈ વિગઈઓ ભોગ્ય નથી ? તેના વિષયમાં ચિંતવન કરવારૂપ સાધુનો દ્વિતીય ઉપયોગ હોય છે. (૩) ગુરુ પાસે પચ્ચક્ખાણ ગ્રહણ કરતી વખતે સાધુ પચ્ચક્ખાણના સૂત્ર અને અર્થમાં ઉપયુક્ત થઈને તે પચ્ચક્ખાણને મનમાં વ્યક્ત રીતે ઉચ્ચારણ કરીને બોલે છે. ત્યારપછી નવકારમંત્ર બોલીને પચ્ચક્ખાણ પારતી વખતે પોતે પચ્ચક્ખાણને વિધિપૂર્વક પૂર્ણ કર્યું છે અને પાર્યું છે, એમ ગુરુને અનુજ્ઞાપન કરે છે. આ પ્રકારની પચ્ચક્ખાણવિષયક ઉચ્ચારણાદિ વિધિ છે. (૪) વળી પચ્ચક્ખાણ પાર્યા પછી આહાર વાપરતી વખતે સાધુ જાણે છે કે હું ક્ષુધાવેદના આદિના ઉપશમનના પ્રયોજનથી આહાર વાપરવા પ્રવૃત્ત થયો છું. તેથી પોતાનામાં શાતા આદિ વિષયક પરિણામ ન પ્રવર્તે તે પ્રકારના માનસવ્યાપારપૂર્વક સાધુ આહાર વાપરે છે. આ પ્રકારની પચ્ચક્ખાણવિષયક કાર્યભોગગત વિધિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy