________________
૧૦૫
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા પ૨૮-પ૨૯ ગ્રહણ થાય એ રીતે, ભેદનું ગ્રહણ હોતે છતે અન્યતરના ત્યાગથી ત્રિવિધાહાર કે ચતુર્વિધાહારમાંથી કોઈપણ એક આહારના ત્યાગથી, તે=સર્વવિરતિ, કઈ રીતે હોય? એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
દિગંબર વગેરે કહે છે કે સર્વવિરતિ ગ્રહણ કરનારને ત્રિવિધ આહારનું પચ્ચખાણ ન હોઈ શકે; કેમ કે સાધુને સર્વવિરતિનો પરિણામ હોય છે, અને ત્રિવિધ આહારનું પચ્ચકખાણ કરવાથી એક આહારના સેવનનો પરિણામ રહેવાથી સર્વવિરતિનો પરિણામ રહી શકે નહીં. દિગંબરાદિની આ પ્રકારની માન્યતા હોવાથી દિગંબરો ચતુર્વિધ આહારનું પચ્ચખાણ સ્વીકારે છે. તેથી તેઓ એકાસણાના પચ્ચખાણમાં પણ વાપર્યા પછી ચતુર્વિધ આહારનું જ પચ્ચખાણ સ્વીકારે છે, પરંતુ ત્રિવિધ આહારનું પચ્ચખાણ સ્વીકારતા નથી. વળી અતિકર્કશ આચરણારૂપ ચારેય આહારનો સદા માટે ત્યાગ કરવામાં આવે તો દેહનો પાત થાય અને સ્વર્ગ પ્રાપ્ત થાય, તેમ જ સ્વર્ગની પ્રાપ્તિથી અવિરતિની પ્રાપ્તિ થાય. આથી દિગંબરો ફક્ત દેહના રક્ષણ અર્થે એકાસણાનું પચ્ચખાણ સ્વીકારે છે, પરંતુ એકાસણાના પચ્ચખાણના સ્વીકારની જેમ ત્રિવિધાહારના પચ્ચક્ખાણનો સ્વીકાર કરતા નથી. પ૨૮. અવતરણિકા :
अत्र परिहारमाह - અવતરણિકાર્ચ:
અહીં-પૂર્વગાથામાં ગ્રંથકારે દિગંબરાદિનો મત બતાવ્યો એમાં, પરિહારને કહે છે – ગાથા :
णणु अप्पमायसेवणफलमेअं दंसिअं इहं पुट्वि ।
तब्भोगमित्तकरणे सेसच्चाया तओ अहिओ ॥५२९॥ અન્વયાર્ચ :
બાપુ ખરેખર સેસન્રીય શેષના ત્યાગથી=અશનાદિ ત્રણ આહારના ત્યાગથી, તબ્બો મિત્તરપh= તન્માત્રના ભોગના કરણમાં પાણી માત્રનો ભોગ કરવામાં, ઉમં આ=ઈવર પચ્ચખાણ, અસ્થમા સેવપન–અપ્રમાદના સેવનનું ફળ પુલ્વ=પૂર્વે રૂદં અહીં=આ ગ્રંથમાં, વંગિંત્રદર્શિત છે=બતાવાયું છે. (તેથી) તો==અપ્રમાદ, હિમો=અધિક છે. ગાથાર્થ :
ખરેખર અશનાદિ ત્રણ આહારના ત્યાગથી પાણી માત્રનો ભોગ કરવામાં ઇત્વર પચ્ચકખાણ અપ્રમાદના સેવનનું ફળ પૂર્વે આ ગ્રંથમાં બતાવાયું છે, તેથી અપ્રમાદ અધિક છે. ટીકા :
नन्वप्रमादसेवनाफलमेतत् इत्वरप्रत्याख्यानं दर्शितमिह पूर्वं, तन्मात्रभोगकरणे=पानमात्रासेवने इत्यर्थः शेषत्यागाद्-अशनादित्यागाद्, असौ अप्रमादोऽधिकः, अतो नाऽयुक्तमिति गाथार्थः ॥५२९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org