SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૨૦-પ૨૮ કેટલાક જીવોને ચારિત્ર લીધા પછી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ સમ્ય ક્રિયાના બળથી પ્રતિદિન વધતો જતો હોય છે, તો કેટલાક જીવોને ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમની હાનિ-વૃદ્ધિ થતી હોય છે, તો વળી કેટલાક જીવોનો ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ પાછળથી પાત પણ પામે છે. આમ, ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાને કારણે કોઈક જીવને દીક્ષાગ્રહણકાળમાં મૃત્યુના ભાગે ભાવશત્રુના જયનો અધ્યવસાય હોય છે, અને પાછળથી સંયમમાં પ્રમાદ કરીને જીવવાનો અધ્યવસાય થાય છે, જેથી ભાવશત્રુને આધીન થઈને તે સુખશીલતાથી જીવે છે. પિરા અવતરાણિકા ગાથા પ૨૨માં બતાવ્યું એ રીતે આગારીપૂર્વક કરાતું પચ્ચકખાણ સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ છે. ત્યાં પ્રાસંગિક રીતે ગ્રંથકારને દિગંબરાદિના મતનું સ્મરણ થવાથી પચ્ચકખાણના વિષયમાં તેઓની શું માન્યતા છે? અને તે માન્યતા કઈ રીતે અયુક્ત છે? તે બતાવતાં કહે છે – ગાથા : अण्णे भणंति जइणो तिविहाहारस्स तं खलु न जुत्तं । सव्वविईउ एवं भेअग्गहणे कहं सा उ? ॥५२८॥ અન્વયાર્થ: મારે મuiતિઅન્યો=અન્ય મતવાળા દિગંબરાદિ, કહે છે–સલ્વવિક્ટસર્વવિરતિ હોવાથી નફો યતિને તિવિહાદાર=ત્રિવિધાહારનું તંત્રતે ઇવર પચ્ચખાણ, ગુજંકયુક્ત નથી. પર્વ =વળી આ રીતે ત્રિવિધાહારનું અને ચતુર્વિધાહારનું ઇવર પચ્ચખાણ ગ્રહણ કરવામાં આવે એ રીતે, ક ભેદનું ગ્રહણ હોતે છતે વેદં કેવી રીતે સાતે-સર્વવિરતિ, હોય ? * “વસુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અન્ય મતવાળા દિગંબરાદિ કહે છે કે સર્વવિરતિ હોવાથી ચતિને ત્રિવિધ આહારનું ઇત્વર પચ્ચખાણ યુક્ત નથી. વળી ત્રિવિધ આહારનું અને ચતુર્વિધ આહારનું ઇતર પચ્ચક્ખાણ ગ્રહણ કરવામાં આવે એ રીતે ભેદનું ગ્રહણ હોતે છતે કેવી રીતે સર્વવિરતિ હોઈ શકે? અર્થાત્ ન હોઈ શકે. ટીકાઃ अन्ये भणन्ति दिगम्बरादयः, यतेः प्रव्रजितस्य त्रिविधाहारस्य-अशनादेः तद्-इत्वरप्रत्याख्यानं खलु न युक्तं न साधु, कुत इत्याह-सर्वविरते: कारणाद्, अस्या एवं भेदग्रहणेऽन्यतरत्यागेन कथं सा = सर्वविरतिरिति गाथार्थः ॥५२८॥ ટીકાર્ય : અન્યો દિગંબરાદિ, કહે છે – યતિને=પ્રવ્રજિતને, અશનાદિ ત્રિવિધ આહારનું તે=ઈવર પચ્ચકખાણ, યુક્ત નથી=સુંદર નથી; કયા કારણથી? એથી કહે છે – સર્વવિરતિરૂપ કારણથી, ઇવર પચ્ચખાણ યુક્ત નથી એમ અન્વય છે. આનું=સર્વવિરતિનું, આ રીતે ત્રિવિધ આહારના અને ચતુર્વિધ આહારના પચ્ચકખાણનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy