SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ’ દ્વાર / ગાથા ૫૨૦ સ્વીકારનો પરિણામ, રસો ચેવ=આવા પ્રકારનો જ=મરવું અથવા ભાવવૈરીનો વિજય કરવો એવા પ્રકારનો જ, ખેઓ=જાણવો. * ‘ôવિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ: કર્મના ક્ષયોપશમભાવનું વિચિત્રપણું હોવાથી પરિષહભયાદિ કોઈક નિમિત્તથી સામાયિક સ્વીકાર્યા પછી સામાયિકના પાલનના અવસરમાં મરણના અને ભાવવૈરીના જયના પરિણામના અભાવમાં પણ સામાયિકના સ્વીકારકાળમાં સામાયિકના સ્વીકારનો પરિણામ મરવું અથવા ભાવવૈરીનો વિજય કરવો એવા પ્રકારનો જ જાણવો. ટીકા : "મૈં વ્યાવ્યા પ્રા 1 * આ ગાથાની ટીકા કે અવતરણિકા આ ગ્રંથમાં નથી, પરંતુ પાંચમા પંચાશકમાં હોવાથી તેના આધારે અહીં અવતરણિકા અને ભાવાર્થ કર્યો છે. ત્યાં આ ગાથાનો અર્થ સુભટ અને સાધુ, એ બંનેમાં ઘટાડેલ છે, તોપણ સાધુમાં તેનો વિશેષ ઉપયોગ હોવાથી અહીં સાધુ સાથે જ આ ગાથાનું યોજન કરેલ છે, અને પંચાશક ગ્રંથની તે અવતરણિકા અને ટીકા અહીં નીચે ટિપ્પણમાં આપેલ છે. ભાવાર્થ: યોગ્ય જીવ ભવથી વિરક્ત થઈને ઉપયોગપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરે તોપણ સંયમજીવનમાં વર્તતા મળ વગેરે પરિષહોને કારણે પ્રવ્રજ્યા સ્વીકાર્યા પછી પ્રવ્રજ્યાપાલનના અવસરે તે જીવનો મરણનિરપેક્ષ થઈને ભાવશત્રુને જીતવાનો અધ્યવસાય ચાલ્યો જઈ શકે છે. ૧૩ જેમ કે મરિચીએ દીક્ષા લીધા પછી સંયમજીવનના પરિષહો જોઈને આવું કષ્ટમય જીવન પોતાને માટે શક્ય નહીં લાગવાથી પોતાની સુખશીલતાને અનુરૂપ ત્રિદંડીનો વેશ સ્વીકાર્યો, તેથી મૃત્યુના ભોગે પણ ભાવશત્રુને જીતવાની એકાગ્રતાનો પરિણામ મરિચીમાં રહ્યો નહિ. આમ, સુખશીલતાના પરિણામરૂપ સાભિષ્યંગભાવ પ્રગટવા છતાં યોગ્ય જીવ જ્યારે ભગવાનના વચનના સ્મરણપૂર્વક સામાયિકના પરિણામમાં ઉપયોગવાળો બનીને પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે, ત્યારે તેને મૃત્યુના ભોગે ભાવશત્રુને જીતવાનો અધ્યવસાય થાય છે; કેમ કે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમની અનેક પ્રકારની વિચિત્રતા છે. તે આ રીતે - ४. ननु यद्यपि सामायिकं सुभटाध्यवसायतुल्यं, तथाऽपि कस्याऽपि प्राणिनः कालान्तरे तस्य प्रतिपातः सम्भवति इत्यतः तदपि सापवादमेव कर्तुं युक्तमत्रोत्तरमाह - Jain Education International उभयेत्यादि, उभयस्य=मरणस्य भाववैरिजयस्य च सुभटदृष्टान्तापेक्षया तु मरणरिपुविजयलक्षणस्य द्वयस्य, अभावः=असत्ता उभयाभावस्तत्राऽपि, आस्तां तदभ्रंशे, कुतोऽपि = कस्मादपि परिषहानीकभयादेः, अग्रतः = पुरतः = सामायिकप्रतिपत्तेरनन्तरं तत्पालनावसरे सुभटपक्षे तु संग्रामकाल इत्यर्थः, हन्दीत्युपप्रदर्शने, ईदृश एव = मर्त्तव्यं वा भाववैरिविजयो वा विधेय इत्येवंविध एव, न पुनरपवादाभिमुखस्तद्भाव इति योग:, कदेत्याह- तत्काले = सामायिकप्रतिपत्तिकाले सुभटपक्षे तु संग्रामाभ्युपगमकाले, कोऽसावित्याहतद्भावः=सामायिकप्रतिपत्तिपरिणामोऽन्यत्र तु सुभटाध्यवसायः, कथमेतदेवमित्याह-चित्रक्षयोपशमतः = कर्मक्षयोपशमवैचित्र्यात्, ज्ञेयो=ज्ञातव्यः, एवंविधो हि तस्य क्षयोपशमो भवति यतोऽवश्यप्राप्तव्यमनोभङ्गत्वेऽपि साधुसुभटस्याऽऽदावुदात्त एव भावो भवतीति ગાથાર્થ:। પંવાટીા-૨૪।। For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy