SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર / ગાથા પ૨૧ ભાવ થાય છે. આશય એ છે કે સર્વથા અયોગ્ય જીવોને સામાયિકગ્રહણકાળમાં પણ સામાયિકનો પરિણામ થતો નથી, જ્યારે સર્વથા અયોગ્ય જીવો કરતાં તે ખેડૂત કંઈક વિશેષ હતો, જેના કારણે ગૌતમસ્વામી જેવા ઉત્તમ પુરુષના સંયોગથી અને તેઓ પાસે વિશેષ પ્રકારના ઉપદેશના શ્રવણથી દીક્ષાગ્રહણકાળમાં પ્રકૃતિથી જ સામાયિકનો પરિણામ થાય તેવી તે ખેડૂતમાં વિશેષતા હતી. માટે દીક્ષા ગ્રહણકાળમાં તે ખેડૂત જેવા જીવોમાં સામાયિકનો પરિણામ પ્રગટે છે. અહીં શંકા થાય કે સિંહના જીવ ખેડૂતને સામાયિક ગ્રહણ કરતી વખતે નિરભિમ્પંગભાવરૂપ સામાયિકનો પરિણામ હતો, છતાં લીધેલ વ્રતનો ભંગ થવાથી તેને વ્રતભંગના દોષની પ્રાપ્તિ તો થાય ને ! આથી કહે છે - સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવતી વખતે તે ખેડૂતને થોડા સમય માટે પણ નિરભિવૃંગચિત્તની પ્રાપ્તિરૂપ જે ગુણ થયો, તે ગુણનો અંશ, સામાયિક છોડવાને કારણે થયેલા દોષ કરતાં અધિક હોવાથી આવા જીવોને દીક્ષા આપવામાં દોષ નથી. વળી ત્યાં વ્રતભંગના દોષ કરતાં ગુણના અંશનું અધિકપણું કઈ રીતે છે? તે દૃષ્ટાંતથી બતાવે છે – જેમ કોઈને મૃત્યુ કરાવે તેવો સન્નિપાતનો રોગ થયો હોય ત્યારે સુવૈદ્ય તે રોગીને સ્મૃતિરૂપ કાર્ય પેદા કરાવે તેવું ઔષધ આપે છે, જેથી ક્ષણભર સ્વસ્થ થયેલો તે રોગી સ્વજન સાથે વાતો કરી શકે છે અને ત્યારપછી થોડીવારમાં તે મૃત્યુ પામે છે; તેમ સિંહનો જીવ ખેડૂત પણ દુરંત સંસારમાં ભટકવાનો હતો, છતાં જ્યારે ગૌતમસ્વામીએ તેને પ્રતિબોધ કર્યો, ત્યારે તે ખેડૂત ક્ષણભર સ્વસ્થ થવારૂપ સામાયિકના પરિણામને પામ્યો, અને તે વખતે તેણે પોતાના આત્મહિતની સ્મૃતિરૂપ કાર્ય કર્યું, પછી જેમ મારણાન્તિક સન્નિપાતવાળો રોગી મૃત્યુ પામે છે, તેમ તે ખેડૂત પણ તત્ત્વમાર્ગથી દૂર થવારૂપ મૃત્યુ પામ્યો. આમ, ક્ષણભર ગુણવિશેષની પ્રાપ્તિ પણ દોષ કરતાં અધિક છે; કેમ કે ગૌતમસ્વામીએ તે ખેડૂતને દિીક્ષા ન આપી હોત તો ક્ષણભર પણ મુક્તિના બીજની પ્રાપ્તિ થાત નહીં; અને દીક્ષા આપવાથી તે ખેડૂતને ક્ષણભર માટે પણ મુક્તિના બીજની પ્રાપ્તિ થઈ, જે ભાવિ મુક્તિના બીજરૂપ થઈ, એ મોટો લાભ થયો. વિશેષાર્થ : સર્વવિરતિ સામાયિકનો પરિણામ જાવજીવ સુભટની જેમ એકાગ્રતાપૂર્વક નિરભિમ્પંગ ભાવમાં યત્ન કરવા સ્વરૂપ છે, જે અતિદુષ્કર કાર્ય છે. આથી અયોગ્ય જીવોને સામાયિકના દાનને આશ્રયીને અત્યંત નિષેધ છે; કેમ કે અયોગ્ય જીવો સામાયિક ગ્રહણ કરીને નિરભિમ્પંગચિત્ત કરવાને બદલે અભિળંગવાળું ચિત્ત રાખીને સામાયિકનું અવમૂલ્યન કરે છે, જેથી તેઓ દુરંત સંસારમાં ભટકે છે. આમ છતાં જે જીવો દીક્ષા લેતી વખતે તત્ત્વને જાણીને સુભટની જેમ સંયમ ગ્રહણ કરે તેવા છે, અને પાછળથી કોઈ નિમિત્તને પામીને કર્મના દોષથી સામાયિકથી પાત પામનારા છે, તેવા જીવો સામાયિકના દાન માટે સર્વથા અયોગ્ય નથી. આથી તેવા જીવોને આશ્રયીને ભગવાન મહાવીરે સિંહના જીવ ખેડૂતને દીક્ષા આપવાની ગૌતમસ્વામીને અનુજ્ઞા આપી હતી; કેમ કે સિંહના જીવ ખેડૂતને દીક્ષા ગ્રહણ વખતે થોડો કાળ પણ જે નિરભિમ્પંગચિત્તરૂપ સામાયિકનો પરિણામ થયો, તે મોક્ષનું અવંદ્ય બીજ હતું, જે બીજના ઉત્તમ સંસ્કારોને કારણે અમુક ભવો પછી તે સિંહના જીવ ખેડૂતને અવશ્ય સંયમનો પરિણામ પ્રગટશે, જે પરિણામ પ્રગટવાનું કારણ ખેડૂતના ભવમાં ગ્રહણ કરેલ દીક્ષા બનશે. /પર૧/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy