________________
ક ૧૫૯
પ્રતિદિનક્રિયાવસ્તુકી આવશ્યકાદિ દ્વાર / ગાથા ૨૦ विषयः, तथाविधैकरूपत्वाद्, भावयितव्यम्=भावनीयमेतत्प्रयत्नेन, न ह्युपेयविशेषे उपायविशेषतः प्रवर्त्तमान आशङ्कावान् भवतीति गाथार्थः ॥५२०॥ ટીકાર્ય :
મરણ અને જયથી અધ્યવસિત એવા સુભટના ભાવની તુલ્ય="મરવું અથવા જય પામવો' એ પ્રકારે પ્રવૃત્ત એવા સુભટના અધ્યવસાયની સદેશ, અહીં=લોકમાં, એકાગ્રતામાત્રને આશ્રયીને હીન જ્ઞાતથી=સુચ્છ ઉદાહરણથી, સામાયિક છે. અને જે કારણથી આમ છે સામાયિક સુભટભાવ તુલ્ય છે એમ છે, એ કારણથી અપવાદોનો=આકારસંજ્ઞિતોનો=આગારના નામોનો, વિષય નથી; કેમ કે તેવા પ્રકારનું એકરૂપપણું છે સુભટની જેમ પ્રાણના ભોગે મોહનાશના અધ્યવસાયસ્વરૂપે સામાયિકનું એકરૂપપણું છે.
આ પ્રયત્નથી ભાવવું જોઈએ સામાયિક મોહના જય માટે સુભટભાવતુલ્ય છે એ સાધુએ પ્રયત્નથી ભાવન કરવું જોઈએ, જે કારણથી ઉપયવિશેષમાં ઉપાયવિશેષથી પ્રવર્તતો જીવ આશંકાવાળો થતો નથી અર્થાતુ નિરભિવૃંગભાવરૂપ સામાયિકના પરિણામસ્વરૂપ ઉપેયવિશેષમાં, મોહના જય માટેના જે જે ઉપાય છે તે તે રૂપ ઉપાયવિશેષથી, પ્રવર્તતા એવા સાધુ “મારા આ પ્રયત્નથી મોહનો જય થશે કે નહીં?' એ પ્રકારની આશંકાવાળા થતા નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
કાં તો મરવું કાં તો જય પામવો, એ પ્રકારે યુદ્ધમાં પ્રવૃત એવા સુભટના અધ્યવસાય જેવો સામાયિકનો અધ્યવસાય છે. આથી સામાયિક આગારરૂપ અપવાદોનો વિષય નથી; કેમ કે સામાયિકમાં તેવા પ્રકારનો એકસ્વરૂપ પરિણામ છે અર્થાત્ જેવો સુભટને મરણના ભોગે પણ શત્રુઓને જીતવામાં એકાગ્રતારૂપ એકઅધ્યવસાય હોય છે, તેવો સાધુને રાગાદિ આંતરશત્રુઓને જીતવામાં એકાગ્રતારૂપ સામાયિકનો એકપરિણામ હોય છે. જેમ સુભટ યુદ્ધભૂમિમાં જાય છે ત્યારે એકાગ્રતાથી યુદ્ધ કરે છે, અને તેના અંતરમાં સુષુપ્ત રીતે પરિણામ બેઠેલો હોય છે કે “શત્રુઓને જીતતાં મૃત્યુ થાય તો ભલે, પરંતુ જય પામ્યા વગર મારે પાછા ફરવું નથી.” આ રીતે સુભટ પોતાના સામર્થ્યબળથી શત્રુઓને જીતવામાં એકાગ્રતા ધારણ કરે છે, તેમ સામાયિકના પરિણામવાળા મુનિ પણ આત્માના શત્રુભૂત રાગાદિને જીતવાના ઉપાયભૂત એવા ભગવાનના વચનનું અવલંબન લઈને લેશ પણ આત્મવંચના કર્યા વગર ઉત્સર્ગ અને અપવાદને યથાસ્થાને યોજીને ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા રાગાદિ આંતર શત્રુઓને જીતવા માટે યત્ન કરે છે. આથી જેમ સુભટને શત્રુઓને જીતવા વિષયક પ્રયત્ન કરવામાં કોઈ વિકલ્પ હોતો નથી, તેમ સાધુને પણ મોહાદિને જીતવા વિષયક પ્રયત્ન કરવામાં કોઈ વિકલ્પ હોતો નથી. આથી સામાયિકમાં આગારો નથી; કેમ કે સામાયિક શત્રુઓના જય માટે એકાગ્રતાપૂર્વક યત્ન કરવાના વિષયમાં વિકલ્પરહિત એકસ્વરૂપવાળું છે.
આમ, સુભટ જેવો એકાગ્રતારૂપ એકઅધ્યવસાય સાધુને હોય છે. આથી સામાયિકનો પરિણામ આગારો વગરનો છે, એ વાત સૂક્ષ્મબુદ્ધિના પર્યાલોચનરૂપ પ્રયત્નથી ભાવન કરવી જોઈએ, જે સુભટના હીન પણ દૃષ્ટાંતથી ગ્રંથકાર બતાવે છે.
વળી આ વાત સૂક્ષ્મબુદ્ધિથી ભાવન કેમ કરવી જોઈએ? તેમાં યુક્તિ બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org