SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પ્રતિદિનક્રિયાવક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૧૯-૫૨૦ વળી, સામાયિકમાં જાવજજીવરૂપ કાળની મર્યાદા હોવા છતાં પણ સાધુને આ ભવ કે પરભવના કોઈ પદાર્થો પ્રત્યે સંગ્રહની કે ભોગાદિની આશંસા તો હોતી નથી, પરંતુ સર્વ ભાવો પ્રત્યે તેઓનું ચિત્ત નિરાસંશ જ હોય છે, જે નિરાશં ચિત્ત પ્રકર્ષ પામીને સાધુ વીતરાગ થાય ત્યારે જ નિષ્ઠાને પ્રાપ્ત કરે છે. તેથી સાધુ પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી નિરભિવૃંગભાવની વૃદ્ધિ માટે ઉત્સર્ગથી સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે, છતાં સાધુ ક્વચિત્ નિરભિમ્પંગ ચિત્તની વૃદ્ધિ માટે અપવાદ પણ સેવે છે. આ રીતે અપવાદનું કારણ ન હોય ત્યારે ઉત્સર્ગ સેવીને જ નિરભિમ્પંગ ચિત્તની વૃદ્ધિ કરે છે. વળી સાધુ પચ્ચકખાણનું ગ્રહણ પણ નિરભિવંગભાવની વૃદ્ધિ માટે કરે છે, માટે સાધુ પચ્ચકખાણમાં આગારો રાખે છે; અને સાધુનો સામાયિકનો પરિણામ પરિપૂર્ણ નિરભિમ્પંગભાવરૂપ હોવાથી સામાયિકમાં આગારો નથી. અને અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે ક્યાંક લેશ પણ અભિમ્પંગ થાય તો મુનિના સામાયિકમાં અતિચારો લાગે છે, ત્યારે તેની શુદ્ધિ માટે મુનિ પ્રાયશ્ચિત્ત આદિ ઉચિત વિધિ કરે છે, અને પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા શુદ્ધ થયેલા સામાયિકના અભ્યાસના અતિશયથી તે મુનિનું સામાયિક પ્રકર્ષને પામીને વીતરાગતાનું કારણ બને છે. પ૧ અવતરણિકા: निदर्शनमाह - અવતરણિકાર્ય : નિદર્શનને કહે છે, અર્થાત્ ગાથા ૫૧૮માં કહ્યું કે વીતરાગ વડે સામાયિકમાં આગારો પ્રરૂપાયા નથી, એ વાતને લૌકિક દૃષ્ટાંતથી બતાવે છે – ગાથા : मरणजयज्झवसिअसुहडभावतुल्लमिह हीणनाएणं । अववायाण न विसओ भावेअव्वं पयत्तेणं ॥५२०॥ અન્વયાર્થ: રૂદ અહીં=લોકમાં, રીના,vi હીન જ્ઞાતથી {VIષયવસિઝસુકમાવતરું-મરણ અને જયથી અધ્યવસિત સુભટભાવની તુલ્ય છે કાં મરવું, કાં જય પામવોએ પ્રકારે પ્રવર્તતા સુભટના અધ્યવસાય તુલ્ય સામાયિક છે, આથી) વવાયા ન વિસ૩ો=અપવાદોનો વિષય નથી. (એ પ્રમાણે) પત્તે માવેગવં પ્રયત્નથી ભાવવું જોઈએ. ગાથાર્થ : લોકમાં હીન દૃષ્ટાંતથી કાં મરવું, કાં જય પામવો,’ એ પ્રકારે પ્રવર્તતા સુભટના અધ્યવસાય તુલ્યા સામાયિક છે, આથી અપવાદોનો વિષય નથી, એ પ્રમાણે પ્રયત્નથી ભાવન કરવું જોઈએ. ટીકા : मरणजयाध्यवसितसुभटभावतुल्यं मर्त्तव्यं वा जयो वा प्राप्तव्य इति प्रवृत्तसुभटाध्यवसायसदृशं इह= लोके हीनज्ञातेन तुच्छोदाहरणेन एकाग्रतामात्रमाश्रित्य, यतश्चैवमतः अपवादानाम् आकारसंज्ञितानां न Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy