SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનચાવતુક આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૯ ૧૫૦ ટીકાર્ય : તે=સામાયિક, હેતુભૂત એવી સમતાને કારણે નિરભિવંગ =નિરાશસ જ છે. વળી તે સામાયિક કેવા પ્રકારનું છે? તે બતાવે છે – સર્વ ભાવોના વિષયવાળું જ=સર્વ પદાર્થોના વિષયવાળું જ, નિરભિવંગ છે. અહીં પ્રશ્ન થાય કે શ્રાવક સામાયિક ગ્રહણ કરતી વખતે અમુક કાળની મર્યાદા રાખે છે, તેથી તે કાળની મર્યાદાને કારણે શ્રાવકના ચિત્તમાં ભોગાદિ પ્રત્યેનો અભિન્કંગ સામાયિકકાળમાં પણ વર્તે છે, આથી શ્રાવકનું સામાયિક દેશવિરતિ સામાયિક છે, સર્વવિરતિ સામાયિક નથી. તેમ સાધુ પણ સર્વવિરતિ સામાયિક ગ્રહણ કરતી વખતે જાવજીવના કાળની મર્યાદા રાખે છે, તેથી તે કાળની મર્યાદાને કારણે સાધુના ચિત્તમાં પણ અન્ય ભવસંબંધી ભોગાદિ પ્રત્યેનો અભિન્કંગ સર્વવિરતિ સામાયિકકાળમાં પણ વર્તે છે. આથી સાધુનું સામાયિક સર્વ પદાર્થો પ્રત્યે નિરભિન્ડંગ કેવી રીતે કહી શકાય ? તેના સમાધાનરૂપે કહે છે – પાવજીવન' એ પ્રકારનો કાલાવધિ હોતે છતે પણ જીવનથી પર ભંગના ભયથી છે આ ભવ પૂરો થયા પછી વ્રતનો ભંગ થવાના ભયથી છે, અવધિપણાથી વર્તતો નથી=મર્યાદાપણાથી વર્તતો નથી. આથી ત્યાં પણ=જીવનની સમાપ્તિ થયા પછીના કાળના વિષયમાં પણ, નિરભિમ્પંગ જ છે=જીવન પૂરું થયા પછી પણ પરભવમાં ભોગાદિ પ્રત્યેના અભિલાષ વગરનું જ સામાયિક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જ્યારે જીવમાં સમતા નામનો ગુણ પ્રગટે છે ત્યારે જીવનું ચિત્ત સર્વ ભાવોના વિષયમાં આશંસા વગરનું જ બને છે, અને તે જ “સામાયિક' વસ્તુ છે. અહીં પ્રશ્ન થાય કે સામાયિક જાવજીવનું ઉચ્ચરાવાય છે. તેથી નક્કી થાય કે મુનિને આ જીવન પછી ભોગાદિની આશંસા છે, માટે મુનિનું ચિત્ત આ જીવન પછી નિરાશસ નથી. તેથી ગ્રંથકાર કહે છે – મુનિના સામાયિકમાં જે કાલાવધિ છે, તે “આ જીવન પછી મારી પ્રતિજ્ઞાનો ભંગ ન થાઓ,” એવા આશયથી હોય છે, પરંતુ “આ ભવ પછી હું ભોગાદિમાં પ્રવૃત્તિ કરીશ”, એવા અભિવંગના પરિણામથી નથી. આથી સર્વ પદાર્થો પ્રત્યે સદાને માટે નિરભિવંગ પરિણામરૂપ જ મુનિનું સામાયિક છે. વિશેષાર્થ : બે ઘડીનું સામાયિક કરતી વખતે વિવેકી શ્રાવકનો આશય એ હોય કે “નિરભિમ્પંગ ચિત્ત સદા માટે કરવા જેવું છે, છતાં હું ભોગાદિની લાલસાવાળો હોવાથી કંઈક કાળની મર્યાદા રાખીને નિરભિવૃંગભાવ પેદા કરવાનો અભ્યાસ કરીશ”, તોપણ “કાળની મર્યાદા પૂરી થયા પછી હું ભોગાદિમાં પ્રવૃત્તિ કરીશ” એવો સુષુપ્ત અધ્યવસાય શ્રાવકના મનમાં વર્તતો હોય છે, આથી જ શ્રાવક દેશવિરતિના પરિણામવાળા છે, પરંતુ મુનિની જેમ સર્વવિરતિના પરિણામવાળા નથી. જ્યારે મુનિ સામાયિક ઉચ્ચરાવતી વખતે જે જાવજીવની કાળની મર્યાદા રાખે છે, તે “આ ભવ પછી હું ભોગાદિમાં પ્રવૃત્તિ કરીશ” એવા આશયથી હોતી નથી. પરંતુ “આ સામાયિક જો આ ભવમાં ક્ષાયિકભાવનું કારણ ન બને તો પરભવની પ્રાપ્તિ થતાં મારી ગ્રહણ કરેલ પ્રતિજ્ઞાનો ભંગ ન થાઓ”, આવા પ્રકારના વિશુદ્ધ આશયથી મુનિ સામાયિક ગ્રહણ કરતી વખતે જાવજીવની કાલાવધિ રાખે છે. તેથી આવી કાલાવધિ રાખવામાં પણ મુનિનું ચિત્ત નિરાશંસ જ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy