________________
- ૧૫૩
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા પ૧૬-૫૧૦
જ્યાં સુધી ક્ષાયિક ચારિત્રનો પરિણામ પ્રગટે નહિ ત્યાં સુધી ચારિત્રાચારની આચરણાઓમાં સંવેગપૂર્વક યત્ન કરવાથી તે ચારિત્રનો પરિણામ લાયોપથમિક ભાવે સાધુમાં સ્થિર રહે છે. આમ છતાં જીવે અનાદિભવોમાં પ્રમાદનો અભ્યાસ કર્યો હોવાથી ચારિત્રમાં સંવેગપૂર્વક યત્ન કરનાર પણ સાધુમાં નિમિત્તને પામીને ક્યારેક પ્રમાદ થાય છે, ત્યારે તેમના વ્રતમાં અનાભોગ, સહસાકારાદિથી અતિચારો લાગે છે. આથી પ્રમાદના ક્ષય માટે ઉદ્યત એવા સાધુ પોતે જે પ્રકારે સાગારિક વ્રતો ગ્રહણ કર્યા છે તે પ્રકારે તે વ્રતોના પાલનમાં યત્ન કરે છે, જે વ્રતોનું પાલન અપ્રમાદભાવનો હેતુ છે, અને તે પાલનથી અપ્રમાદભાવ વૃદ્ધિ પામે છે, અને આત્મામાં રહેલા પ્રમાદના સંસ્કારોનો ક્રમસર નાશ થાય છે. માટે મહાત્માઓએ જે પ્રમાણે જે વ્રતો ગ્રહણ કર્યા હોય તે પ્રમાણે જ તે વ્રતોના પાલન દ્વારા અપ્રમાદ સેવવો જોઈએ, આથી વ્રતો આગારીપૂર્વક ગ્રહણ કરવામાં આવે છે. આ પ્રકારનું પ્રસ્તુત ગાથાનું તાત્પર્ય છે. //પ૧૬ll અવતરણિકા :
पराभिप्रायमाह - અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે પ્રમાદના ક્ષય માટે ઉદ્યત એવા સાધુએ યથાગૃહીત પચ્ચકખાણના પાલન દ્વારા અપ્રમાદ સેવવો જોઈએ, તેથી યથાગૃહીત પચ્ચકખાણના પાલન માટે સાધુ પચ્ચકખાણ આગારીપૂર્વક ગ્રહણ કરે છે. ત્યાં પરના અભિપ્રાયને કહે છે –
ગાથા :
एवं सामइअं पि हु सागारं निअमओ गहेयव्वं ।
सइ तम्मि निरागारे किं वा एएण कज्जं ति? ॥५१७॥ અન્વયાર્થ:
વં=આ રીતે=પૂર્વમાં કહ્યું કે યથાગૃહીત વ્રતના પાલન માટે નવકારશી આદિ પચ્ચક્ખાણ આગારો સહિત ગ્રહણ કરવામાં આવે છે એ રીતે, સામä fપત્રસામાયિક પણ નિગમો નિયમથી સાI સાગાર=આગારો સહિત, દેયā=ગ્રહણ કરવું જોઈએ. તમે વા નિરીરે સફ અથવા તે નિરાગાર હોતે છત=સામાયિક આગારો રહિત હોતે છતે, પણ હિં ક્યું ?=આના વડે-નવકારશી આદિ પચ્ચકખાણ વડે, શું કાર્ય છે? * ‘દુ વાક્યાલંકારમાં છે. * તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
પૂર્વમાં કહ્યું કે અથાગૃહીત વ્રતના પાલન માટે નવકારશી આદિ પચ્ચક્ખાણ આગારો સહિત ગ્રહણ કરવામાં આવે છે, એ રીતે સામાયિક પણ નિયમથી આગારો સહિત ગ્રહણ કરવું જોઈએ. અથવા સામાજિક આગારો રહિત હોતે છતે નવકારશી આદિ પચ્ચકખાણ વડે શું કાર્ય છે? અર્થાત્ કોઈ કાર્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org