SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૬ ગાથા : जमणाइभवब्भत्थो तस्सेव खयत्थमुज्जएणेह । जहगहिअपालणेणं अपमाओ सेविअव्वो त्ति ॥५१६॥ અન્વયાર્થ : નં=જે કારણથી (પ્રમાદ) અમિવ મલ્યો=અનાદિભવથી અભ્યસ્ત છે, (એથી) તસ્કેવરાયā તેના જ ક્ષયાર્થે=તે પ્રમાદના નાશ માટે, ૩m=ઉદ્યત એવા સાધુએ રૂઅહીં સંસારમાં, નહિમપાત્રોr= યથાગૃહીતના પાલન દ્વારા મામા સેવિડ્યો=અપ્રમાદ સેવવો જોઈએ. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : જે કારણથી પ્રમાદ અનાદિભવથી અભ્યસ્ત છે, એથી તે પ્રમાદના જ નાશ માટે ઉધત એવા સાધુએ સંસારમાં યથાગૃહીત એવા વ્રતના પાલન દ્વારા અપ્રમાદ સેવવો જોઈએ. ટીકાઃ ___ यदनादिभवाभ्यस्तोऽसौ, अतस्तस्यैव प्रमादस्य क्षयार्थमुद्यतेनेह यथागृहीतपालनेन हेतुभूतेनाऽप्रमादो नियमभावी सेवितव्यः पालनीय इति गाथार्थः ॥५१६॥ ટીકાર્ય : જે કારણથી આ=પ્રમાદ, જીવ વડે અનાદિભવથી અભ્યસ્ત છે, આથી તે પ્રમાદના જ ક્ષય અર્થે ઉઘતા એવા સાધુએ અહીં=સંસારમાં, હેતુભૂત એવા યથાગૃહીતના પાલન દ્વારા=અનાદિભવઅભ્યસ્ત એવા પ્રમાદનો નાશ કરવામાં કારણભૂત એવા યથાગૃહીત વ્રતનું પાલન કરવા દ્વારા, નિયમથી થનારો અપ્રમાદ સેવવો જોઈએ પાલન કરવો જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રના પરિણામની પ્રાપ્તિ પછી તરત જ સંપૂર્ણ પ્રમાદ નાશ પામતો નથી. ત્યાં શંકા થાય કે ચારિત્રના પરિણામથી ચારિત્ર પ્રગટે છે તો સર્વથા પ્રમાદ કેમ નાશ પામતો નથી? તેના સમાધાન રૂપે કહે છે કે જે કારણથી અનાદિભવથી અભ્યસ્ત આ પ્રમાદ છે, તે કારણથી ચારિત્રની પ્રાપ્તિ સાથે જ પ્રમાદ સર્વથા નાશ પામતો નથી. આશય એ છે કે દરેક ભવમાં જીવ શાતા મેળવવા માટે શાતાના ઉપાયોમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ આત્મભાવોને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરતો નથી; અને જે વસ્તુનું પુનઃ પુનઃ સેવન થાય તે વસ્તુ પ્રકૃતિસિદ્ધ બને છે, આથી શાતાની પ્રાપ્તિ માટેનો ઉદ્યમ જીવને પ્રકૃતિસિદ્ધ છે. તેથી જ શાતા-અશાતાની ઉપેક્ષા કરીને આત્મગુણોને ખીલવવા માટેનો યત્ન પ્રાયઃ કરીને જીવે કોઈ ભવમાં કર્યો નથી. છતાં સંસારની નિર્ગુણતાને જાણીને જીવને જ્યારે ભવ પ્રત્યે નિર્વેદ દ્વેષ પ્રગટે છે ત્યારે જીવમાં સંવેગનો પરિણામ થાય છે, અને સંવેગપૂર્વક સંયમની ક્રિયાઓ કરે તો જીવમાં ચારિત્રનો પરિણામ પ્રગટે છે, અને સાધુ અત્યંત અપ્રમાદપૂર્વક ચારિત્રમાં યત્ન કરે તો તે ચારિત્રનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષાયિક ચારિત્રરૂપે બને છે. પરંતુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy