________________
૧૫૧
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૧૫-૫૧૬ ટીકા?
एवं प्रमादिनो नमस्कारसहिताद्यपरिपालनायुक्तस्य कथं प्रव्रज्या भवति ? ननु तस्य गुर्वप्रमादपरिपालनीया प्रव्रज्यैवायुक्तेति पराभिप्रायमाशङ्क्याह-चरणपरिणामात् प्रव्रज्या भवति, न च तत्सत्तानन्तरमेव= चरणपरिणामसत्तानन्तरमेव प्रमादः क्षयं याति=निर्मूलतो न भवत्येवेति गाथार्थः ॥५१५॥ ટીકાર્ય :
આવા=નવકારશી આદિની અપરિપાલનાથી યુક્ત એવા, પ્રમાદી સાધુને પ્રવજ્યા કેવી રીતે હોય? ખરેખર તેને=આવા પ્રમાદી સાધુને, ઘણા અપ્રમાદથી પરિપાલનીય એવી પ્રવજ્યા જ અયુક્ત છે=અયોગ્ય છે, એ પ્રકારના પરના અભિપ્રાયની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – ચરણના પરિણામથી પ્રવજ્યા થાય છે, અને તેની સત્તાના અનંતર જ=ચરણપરિણામની સત્તાના અનંતર જ=ચારિત્રનો પરિણામ આવે એટલે તરત જ, પ્રમાદ ક્ષયને પામતો નથી=નિર્મૂલથી અર્થાત્ મૂળ વગરનો, થતો નથી જ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જેઓ નવકારશી આદિ પચ્ચકખાણ પણ આગારો વિના પાળી શકતા નથી, તેવા પ્રમાદી સાધુને પ્રવજ્યા કઈ રીતે સંભવે? આવી કોઈને શંકા થાય તો તેને ગ્રંથકાર કહે છે કે ચારિત્રના પરિણામથી પ્રવ્રયા થાય છે.
તેમાં પણ કોઈને શંકા થાય કે ચારિત્રનો પરિણામ પ્રગટ્યો હોય તો તે ચારિત્રના પરિણામથી જ સાધુ આગારો વગર નવકારશી આદિ પચ્ચખાણ કેમ ન કરી શકે? તેથી ગ્રંથકાર કહે છે –
ચારિત્રનો પરિણામ પ્રગટે કે તરત જ આત્મામાં રહેલો પ્રમાદ સંપૂર્ણ ક્ષય પામતો નથી; તેથી તે પ્રમાદના ક્ષય માટે જ સાધુ વિશેષ પ્રકારના પચ્ચખાણ ગ્રહણ કરે છે. અને તે પચ્ચક્ખાણમાં આગારો રાખવામાં ન આવે તો પચ્ચક્ખાણનું પાલન પરિપૂર્ણ થાય નહીં, જેથી આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત થાય, અને આ પ્રમાણે થાય તો પ્રમાદના ક્ષય અર્થે ગ્રહણ કરેલ પચ્ચકખાણથી પણ પ્રમાદનો ક્ષય થાય નહીં, ઊલટો પ્રમાદ પુષ્ટ બને. આથી ચારિત્રનો પરિણામ પ્રગટ થયા પછી પણ સાધુમાં જે અવશિષ્ટ પ્રમાદ પડ્યો છે તેના ક્ષય માટે સાધુ પચ્ચખાણ ગ્રહણ કરે છે, અને તે પચ્ચખાણથી પણ પ્રમાદ પુષ્ટ ન થાય તે માટે સાધુ પચ્ચખાણમાં આગારો રાખે છે, જેથી પચ્ચખાણના પરિપૂર્ણ વિશુદ્ધ પાલનથી અપ્રમાદની વૃદ્ધિ થાય, અને તે અપ્રમાદની વૃદ્ધિને કારણે ચારિત્રના પરિણામકાળમાં આત્મામાં રહેલા અવશિષ્ટ પ્રમાદનો નાશ થાય. //પ૧પા
અવતરણિકા :
किमित्यत आह - અવતરણિકાW: - પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રના પરિણામની સત્તાની અનંતર જ પ્રમાદ નાશ પામતો નથી. ત્યાં કોઈને શંકા થાય કે કયા કારણથી ચારિત્રના પરિણામની સત્તાની અનંતર જ પ્રમાદ નાશ પામતો નથી? આથી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org