________________
૧૫૦
પ્રતિદિનક્રિયાવસ્તુફT “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૩૫૧૪, ૫૧૫
ભાવાર્થ :
પચ્ચકખાણ આગારો સહિત ગ્રહણ કરાયેલ હોય તો પચ્ચકખાણનું સમ્યગુ પાલન થઈ શકે છે, અને વ્રતના પાલનમાં જીવનો વિશુદ્ધ ભાવ વર્તી શકે છે, કે “મેં ભગવાને બતાવેલ વ્રતો લીધાં છે, માટે મેં જેવી પ્રતિજ્ઞા કરી છે તેવી જ રીતે મારે વ્રતો પાળવાં જોઈએ.” અને જીવનો જો આવો વિશુદ્ધ ભાવ વર્તતો હોય તો તે વિશુદ્ધ ભાવને કારણે વ્રતોના પાલનમાં નક્કી અપ્રમાદભાવ સેવિત થાય છે. અર્થાત આગારોનાં સ્થાનો સિવાય વ્રતોના સમ્યગ્ધાલનમાં યત્ન કરવારૂપ અપ્રમાદભાવ નક્કી સેવિત થાય છે.
આ રીતે આગારીપૂર્વક વ્રતો ગ્રહણ કરીને વ્રતોનું બરાબર પાલન કરવાથી ધીરે ધીરે અપ્રમાદભાવ વધતો જાય છે, અને તે અપ્રમાદભાવ જીવમાં રહેલા અનાદિભવઅભ્યસ્ત એવા પ્રમાદનો નાશ કરે છે.
આશય એ છે કે અનાદિકાળથી જીવ અવ્રતના પરિણામમાં રહીને જેમ તેમ જીવવાની મનોવૃત્તિવાળો હતો, તેને બદલે હવે ભગવાનના વચનથી વ્રતો ગ્રહણ કરીને વ્રતોનું સમ્યગું પાલન કરતો હોવાથી, તેનામાં વ્રતોની મર્યાદામાં રહીને અપ્રમાદથી જીવવાની મનોવૃત્તિ પ્રગટે છે. - આ રીતે વ્રતોનું પાલન કરવા છતાં, અનાદિકાળથી સંસારમાં પ્રમાદ અભ્યસ્ત કર્યો હોવાથી પ્રસાદ દ્વારા ક્યારેય વ્રતો ન ભાંગે તે માટે સાધુ આગારો રાખે છે; કેમ કે ગ્રહણ કરેલ વ્રતો ભાંગે તો આજ્ઞાભંગાદિ ચાર દોષો થાય છે, જે દોષો સર્વ અનર્થોના કારણ છે; કેમ કે દોષોથી જ સંસારમાં રખડતો જીવ જન્મ, જરા, મૃત્યુ, રોગાદિ સર્વ અનર્થો પ્રાપ્ત કરે છે. II૫૧૩/૫૧૪ો અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે સંસારમાં ભટકતા જીવે પ્રમાદ અભ્યસ્ત કર્યો છે, તેથી તે પ્રમાદને કારણે વ્રતનો ભંગ ન થાય તે માટે પચ્ચકખાણમાં આગારો છે. ત્યાં કોઈને શંકા થાય કે આવા પ્રમાદી જીવને પ્રવજ્યા કઈ રીતે સંભવે? એ પ્રકારની શંકાનું ઉલ્કાવન કરીને તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે –
ગાથા :
एवं पमाइणो कह पव्वज्जा होइ ? चरणपरिणामा ।
न य तस्सत्ताणंतरमेव पमाओ खयं जाइ॥५१५॥ અન્વયાર્થ:
પHફળો આવા પ્રમાદીને પબ્રજ્ઞા=પ્રવ્રજયા વેદ કેવી રીતે હો?=હોય? (તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે–) રર પર મ=ચરણના પરિણામથી (પ્રવ્રયા) થાય છે, તસ્મત્તાતરમેવ ય=અને તેની સત્તાના અનંતર જ=ચરણના પરિણામની સત્તા પછી તરત જ, પHTો ઘડ્યું ગાડું પ્રમાદ ક્ષયને પામતો નથી. ગાથાર્થ:
આવા પ્રમાદીને પ્રવજ્યા કેવી રીતે હોઈ શકે? તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે. ચારિત્રના પરિણામથી પ્રવજ્યા થાય છે, અને ચારિત્રના પરિણામની સત્તા પછી તરત જ પ્રમાદ ક્ષય પામતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org