________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૧૩-૫૧૪
૧૪૯
ગાથાર્થ :
જે પ્રમાણે વ્રત ગ્રહણ કરાયું હોય તે પ્રમાણે વ્રતના પાલનમાં નક્કી અપ્રમાદ સેવિત થાય છે, યથાગૃહીત વ્રતના પાલનરૂપે સેવાતો એવો અપ્રમાદ વધે છે અને પ્રમાદનો વિનાશ કરે છે. ટીકા : __यथागृहीतपालने विशुद्धभावतया अप्रमाद: सेवितो ध्रुवं भवति कियानपि, स तथा यथागृहीतपालनेन सेव्यमानः सन् वर्द्धते, इतरं-प्रमादं विनाशयतीति गाथार्थः ॥५१३॥ ટીકાર્ય :
યથાગૃહીતના પાલનમાં=જે પ્રકારે વ્રત ગ્રહણ કરાયું તે પ્રકારે વ્રતના પાલનમાં, વિશુદ્ધભાવપણું હોવાને કારણે નક્કી કેટલોક અપ્રમાદ સેવાયેલો થાય છે, તે પ્રકારે યથાગૃહીતના પાલનરૂપે, સેવાતો છતો તે=અપ્રમાદ, વધે છે, ઇતરને=પ્રમાદને, વિનાશે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા :
अब्भत्थो अपमाओ तत्तो मा होज्ज कह वि भंगो त्ति ।
भंगे आणाईआ तओ अ सव्वे अणत्थ त्ति ॥५१४॥ અન્વયાર્થ:
પમા ૩ મલ્યો અને પ્રમાદ અભ્યસ્ત છે, તો તેનાથીeતે પ્રમાદથી, #દ વિ=કોઈપણ રીતે મંt=(પચ્ચક્ખાણનો) ભંગ માં રોળ ન થાઓ ઉત્ત=એથી (પચ્ચક્ખાણમાં આગારો છે, અને જો પચ્ચખાણમાં આગારો ન હોય તો) ભંગમાં વ્રતભંગમાં, મા =આજ્ઞાદિ આજ્ઞાભંગાદિ દોષો, થાય છે, તો મ=અને તેનાથી તે આજ્ઞાભંગાદિ દોષોથી, સળે મન્થા સર્વ અનર્થો થાય છે. * ગાથાના અંતે રહેલો “ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
અને પ્રમાદ અભ્યસ્ત છે, તે પ્રમાદથી કોઈપણ રીતે પચ્ચકખાણનો ભંગ ન થાઓ એથી પચ્ચકખાણમાં આગારો છે, અને જો આગારો ન હોય તો વ્રતભંગમાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે, અને તે આજ્ઞાભંગાદિ દોષોથી સર્વ અનર્થો થાય છે. ટીકા : ___ अभ्यस्तश्च प्रमादः संसारे पर्यटता, ततः प्रमादात् मा भूत् कथमपि भङ्ग इति अभ्यासातिशयादित्यर्थः, भङ्गे आज्ञादयो भवन्ति, ततश्च आज्ञादेः सर्वेऽनर्थाः जन्मादय इति गाथार्थः ॥५१४॥ ટીકાર્થ :
અને સંસારમાં પર્યટન કરતા એવા જીવ વડે પ્રમાદ અભ્યસ્ત છે=પ્રમાદનો અભ્યાસ કરાયો છે, અભ્યાસના અતિશયને કારણે તે પ્રમાદથી કોઈપણ રીતે વ્રતનો ભંગ ન થાઓ, એથી પચ્ચખાણમાં આગારો છે. ભંગમાં આજ્ઞાદિ=વ્રતના ભંગમાં આજ્ઞાભંગાદિ દોષો, થાય છે, અને તે આજ્ઞાદિથીeતે આજ્ઞાભંગાદિ દોષોથી, જન્માદિ સર્વ અનર્થો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org