SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૧ य अद्दामलमित्तं संसटुं, जइ वि बहूणि एतप्पमाणाणि कप्पंति, एगं पि वटुं न कप्पइ । उक्खित्तविवेगो जहा आयंबिलये उद्धरिउं तीड़ सेसेसु णत्थि । पडुच्चमक्खियं पुण जइ अंगुलिए गहाय मक्खेइ तिल्लेण वा घएण वा, ताहे निव्विगइयस्स कप्पइ, अह धाराए छुभइ मणागं पि न कप्पइ । पारिद्धावणियागारो उ लेसओ भणिओ एव इति वृद्धसम्प्रदायः, कृतं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः ॥५११॥ ટીકાર્ય : દ્રવનું ગ્રહણ સર્વત્ર અભિસંબંધનીય છે=મૂળ ગાથામાં ગ્રહણ કરેલ અદ્રવ શબ્દનો સર્વ ઠેકાણે અભિસંબંધ કરવા યોગ્ય છે. આથી નવનીતમાં અદ્રવ એવા માખણમાં, ઉદ્ઘાહિમકમાં અદ્રવ એવા તળેલામાં, અદ્રવ એવા દધિમાં ગાલિતમાં=ગાળેલા દહીંમાં, પિશિતમાં અદ્રવ એવા માંસમાં, વૃતમાં અદ્રવ એવા ઘીમાં, અને ગુડમાં=અદ્રવ એવા ગોળમાં આ વિકૃતિવિશેષોના=ઘન એવી વિગઈ વિશેષોના, નવ આગારો હોય છે, શેષ દ્રવ એવા વિકૃતિવિશેષોના આઠ જ આગારો હોય છે, ઉસ્લિપ્તવિવેક આગાર હોતો નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અને અહીં નિવિગઈના પચ્ચકખાણમાં, આ સૂત્ર છે – નિર્વિકૃતિકનું પચ્ચકખાણ કરે છે' ઇત્યાદિ, અનાભોગ, સહસાકાર, લેપાલેપ, ગૃહસ્થસંસૃષ્ટ, ઉક્ષિપ્તવિવેક, પ્રતીત્યપ્રક્ષિત, પારિષ્ઠાપનિકા, મહત્તર અને સર્વસમાધિવર્તિતાગારથી અન્યત્ર=આ નવ આગારો વિના, વોસિરાવે છે=વિગઈઓનો ત્યાગ કરે છે. ત્યાં અનાભોગ, સહસાકાર, લેપાલેપ તે રીતે જ=પૂર્વે બતાવ્યા તે રીતે જ, જાણવા. વળી ગૃહસ્થસંસૃષ્ટની આ વિધિ છે – જો ક્ષીર સાથે કુસણિક કૂર પ્રાપ્ત થાય ભિક્ષામાં દૂધ સાથે ગોરસવાળો ભાત મળે, જો તે કુંડકનું=જેમાં દૂધ રહેલું હોય તે ભાજનનું, દૂધ ઓદનથી=ભાતથી, ચાર અંગુલ હોય, તો નિર્વિકૃતિકને તે દૂધ નિવિગઈના પચ્ચકખાણવાળા સાધુને, કહ્યું છે, પરંતુ આરબ્ધ એવું પાંચમું અંગુલ વિકૃતિક છે, અર્થાત્ જેમાં દૂધ રહેલું હોય તે ભાજનનું દૂધ ઓદનથી પાંચ આંગળથી માંડીને ઉપર હોય તો તે દૂધ વિગઈ થાય છે. આ રીતે દહીંનું પણ અને મદ્યનું પણ છે, કોઈક વિષયોમાં=કેટલાક દેશોમાં, ઓદન કે અવગાહિમક=ભાત કે પકવાન્ન, મદ્ય સાથે મિશ્ર કરાય છે. જો સિણિકમાં=ભાજનમાં, ફાણિત ગુડનું–પીગળેલા ગોળનું, કે તેલઘીનું એક અંગુલઆનાથી ઓદન કે અવગાહિમથી, ઉપર રહે છે તો, વર્તે છેઃનિવિગઈના પચ્ચકખાણવાળાને તે ગોળ, તેલ કે ઘી કહ્યું છે, પરથી વર્તતું નથી=પીગળેલા ગોળાદિ ઓદન કે અવગાહિમથી એક અંગુલથી વધારે ઉપર હોય તો તે ગોળાદિનિવિગઈનાપચ્ચકખાણવાળાને કલ્પતા નથી. મધુનું અને પોલરસકનું મધનું અને માંસરસનું, અર્ધ અંગુલથી સંસૃષ્ટ થાય છે અર્થાત્ ઓદનાદિ સાથે મિશ્ર કરાયેલ મધ અને માંસનો રસ અર્ધા આંગળ સુધી તરતો હોય તો તે મધ અને માંસરસ નિવિગઈના પચ્ચખાણવાળાને કહ્યું છે. પિંડગુડનું અને નવનીતનું આદ્ર આમલ માત્ર સંસ્કૃષ્ટ થાય છે, અર્થાત્ ઘન ગોળ અને ઘન માખણના લીલા આમળા જેટલા ટુકડા કરીને બીજા આહાર સાથે મિશ્ર કરેલ હોય તો તે નિવિગઈના પચ્ચકખાણવાળાને કહ્યું છે. જોકે આના પ્રમાણવાળા બહુ કહ્યું છે=લીલા આમળાના પ્રમાણવાળા ઘન ગોળ અને ઘન માખણના ઘણા ટુકડાઓ વિવિગઈના પચ્ચકખાણવાળા સાધુને ખપે છે, પરંતુ વડું એક પણ કલ્પતું નથી=બીજા આહાર સાથે મિશ્ર કરેલ હોય તોપણ લીલા આમળાના પ્રમાણથી મોટો એવો ગોળનો અને માખણનો ટુકડો એક પણ નિવિગઈના પચ્ચખાણવાળાને ખપતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy