________________
૧૪૦
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૯
જો ત્રિવિધનું પચ્ચખાણ કરે તો વિકિંચનિકા કહ્યું છે–ત્યાગ કરવા યોગ્ય વધેલો આહાર તિવિહાર ઉપવાસી સાધુને વાપરવા કહ્યું છે, જો ચતુર્વિધનું પચ્ચકખાણ કરે અને પાનક ન હોય તો વર્તે નહીં-પાણી વધ્યું ન હોય તો ત્યાગ કરવા યોગ્ય વધેલો આહાર ચોવિહારા ઉપવાસી સાધુને વાપરવા કહ્યું નહીં. વળી જો પાનક પણ વધેલું હોય તો તેને-ચતુર્વિધ આહારના પચ્ચખાણવાળા સાધુને, કહ્યું છે ત્યાગ કરવા યોગ્ય આહાર વાપરવા કહ્યું છે. જો સાધુ ત્રિવિધનું પાન આહાર સિવાયના બીજા ત્રણ પ્રકારના આહારનું, પચ્ચકખાણ કરે તો તે પાનકના છ આગારો કરાય છે –
લેપાટકથી કે અલેપાટકથી કે અચ્છથી કે બહલથી કે સસિક્યથી કે અસિક્યથી વોસિરાવે છે–પાણીના આ છ આગારોને છોડીને પાન સિવાયના ત્રણ આહારને ત્રિવિધનું પચ્ચખાણ કરનાર સાધુ વોસિરાવે છે. આ છયે પણ આગારો પ્રગટ અર્થવાળા છે. આના દ્વારા પાનવિષયક છે' એ પ્રકારનું આ પણ=ગાથાના ચરમપાદનું પદ પણ, વ્યાખ્યાન કરાયેલું જ થાય છે.
ચરમમાં ચાર એ પ્રકારના પદમાં ચરિમ બે પ્રકારે છે : દિવસચરિમ અને ભવચરિમ. દિવસચરિમના ચાર આગારો છે – અન્યત્ર અનાભોગ, સહસાકાર, મહત્તર, સર્વસમાધિ. ભવચરિમ થાવજીવિતવાળું છે, તેના પણ આ ચાર છે=ભવચરિમ પચ્ચખાણના પણ દિવસચરિમ પચ્ચખાણના છે એ ચાર આગારો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
એકઠાણાના પચ્ચખાણમાં સાત આગારો હોય છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) સાગારિક, (૪) ગુરુઅદ્ભુત્થાન, (૫) પારિષ્ઠાપનિકા, (૬) મહત્તર અને (૭) સર્વસમાધિવર્તિત.
એકસ્થાન એટલે વાપરતી વખતે જે અંગોપાંગને જે રીતે સ્થાપ્યા હોય તે રીતે સ્થાપેલા તે અંગોપાંગમાં રહીને જ વાપરવું, વળી મુખ અને હાથના ચલનનો પરિહાર અશક્ય હોવાથી તે બે અંગનું ચલન આ પચ્ચખાણમાં નિષેધ કરાયું નથી. અને આ પ્રકારના એકસ્થાનનું પચ્ચખાણ કરવું એ એક ઠાણાનું પ્રત્યાખ્યાન છે.
અહીં સાતેય આગારોનું સ્વરૂપ એકાસણામાં બતાવ્યું તેવું જ સમજવું, ફક્ત એકઠાણામાં આકુંચનપ્રસારણ આગાર નથી.
આંબિલના પચ્ચકખાણમાં આઠ આગારો હોય છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) લેપાલેપ, (૪) ઉસ્લિપ્તવિવેક, (પ) ગૃહસ્થસંસૃષ્ટ, (૬) પારિષ્ઠાપનિકા, (૭) મહત્તર અને (૮) સર્વસમાધિવર્તિત.
આચામામ્બ એટલે આચામ=અવશ્રાવણ, અશ્લ પાંચ પ્રકારના રસોમાંથી ચોથો રસ, અર્થાત્ ખાટું ઓસામણ. ભાત વગેરે ભોજનમાં અને શાકમાં જે ખાટો રસ હોય તેને શાસ્ત્રની પરિભાષાથી આચામાસ્ત કહેવાય છે, અને આવા પ્રકારના આચામામ્સનું પચ્ચખાણ કરવું એ આંબિલનું પ્રત્યાખ્યાન છે.
અહીં અનાભોગ-સહસાકાર એ બે આગારોનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તેમ જાણવું.
લેપાલેપ આગારનું સ્વરૂપ આ પ્રમાણે – લેપ એટલે આંબિલનું પચ્ચખાણ કરનાર સાધુને કહ્યું નહીં એવી વિગઈ આદિથી, જેમાં આંબિલનો આહાર રહેલો હોય એ ભાજનનું લિપ્તપણું; અને અલેપ એટલે પૂર્વે વિગઈ આદિથી લેપાયેલ ભાજનને હાથ વગેરેથી લૂંછીને તે ભાજનમાં આંબિલનો આહાર રાખેલો હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org