________________
૧૩૬
પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૦૮ જાણ્યું કે પોરિસી આવી નથી, ત્યારે વાપરતાં અટકી જવું જોઈએ. જો અટકી જાય તો પ્રચ્છન્નકાલ આગાર હોવાને કારણે પચ્ચખાણ ભાંગતું નથી, પરંતુ પોરિસી નહીં આવેલી જાણ્યા પછી પણ “આટલું વપરાઈ ગયું છે તો આટલું પણ વાપરી જ લઉં” એ પ્રમાણે માનીને જો શેષ આહાર વાપરે તો પચ્ચખાણ ભાંગે. બાકીના અન્ય આગારોમાં પણ પાછળથી ખ્યાલ આવે કે હજુ પચ્ચકખાણ આવ્યું નથી તો જે વાપર્યું હોય તેને છોડીને બાકીનું વાપરે નહિ, તો પચ્ચખાણ ભાંગે નહિ; અને જો જાણવા છતાં પણ વાપરે તો પચ્ચખાણ ભાંગે.
દિશામોહ આગારનું સ્વરૂપ આ પ્રમાણે – કોઈક પુરુષને કોઈક ક્ષેત્રમાં દિશામોહ થાય, માટે તે પૂર્વદિશાને જાણતો ન હોય, તેથી તે પુરુષ ઊગતા સૂર્યને જોઈને સૂર્ય આથમે છે, માટે પોરિસી ક્યારની આવી ગઈ એમ માનીને વાપરે. ત્યારપછી તેને ખ્યાલ આવે કે સૂર્ય ક્યારનો ઊગી ગયેલો છે તેવો મને ભ્રમ છે, હજી પોરિસીનું પચ્ચખાણ આવ્યું નથી, ત્યારે તે સાધુ વાપરવાનું છોડી દે, તો દિશામાં આગાર હોવાથી તેનું પચ્ચખાણ ભાંગે નહીં, અને ખ્યાલ આવવા છતાં વાપરે તો પચ્ચખાણ ભાંગે. - સાધુવચન આગારનું સ્વરૂપ આ પ્રમાણે – સાધુ “ઉગ્વાડા પોરિસી” બોલે ત્યારે કોઈ સાધુ વાપરવા બેસે, અને પચ્ચખાણ પારીને થોડું વાપર્યા પછી તે સાધુને ખ્યાલ આવે અથવા અન્ય કોઈ સાધુ તે વાપરતા સાધુને જણાવે કે હજી પોરિસી પૂરી થઈ નથી, ત્યારે તે સાધુએ વાપરતાં અટકી જવું જોઈએ. જો અટકી જાય તો સાહુવયણ આગાર હોવાથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. | સર્વસમાધિવર્તિત આગારનું સ્વરૂપ આ પ્રમાણે – કોઈ પુરુષ પોરિસીનું પચ્ચખાણ ગ્રહણ કર્યું હોય અને પછી પોતાને અથવા અન્યને મૃત્યુ કરાવે તેવી પીડા થાય, ત્યારે તે પીડાને શમાવવા માટે ગીતાર્થ સાધુ તે પીડાવાળા સાધુને પોરિસીનું પચ્ચખાણ વહેલું પરાવે અથવા ઔષધ આપે તો પચ્ચક્ખાણ ભાંગે નહિ. અથવા તો બીજા કોઈ સાધુને તેવું દુઃખ થયું હોય અને તેને સમાધિ આપવા માટે પોતાને જવાનું હોય અને પોતે પચ્ચખાણ પાર્યા વગર જઈ શકે તેમ હોય છતાં ત્યાં ઘણી વેળા થવાની સંભાવના હોય અને પોતાને તેટલી ધૃતિ રહે તેમ ન હોય ત્યારે જો તે સાધુ પોરિસી આવે ત્યારે પચ્ચક્ખાણ પારીને, વાપરીને જાય તો જેને મૃત્યુ કરાવે એવી વેદના થઈ છે તેને સમાધિનો પ્રશ્ન આવે. આથી આવા સંયોગોમાં તે સાધુ પોરિસીનું પચ્ચકખાણ વહેલું પારીને જલદી વાપરી લે અને પછી તે સાધુને સમાધિ આપવા માટે જવા તૈયાર થાય તો પચ્ચખાણ ભાંગે નહિ; પરંતુ આવા સંયોગોમાં સાધુ વહેલું પચ્ચખાણ પારીને વાપરતા હોય અને ત્યાં સમાચાર મળે કે જેને સમાધિ આપવા માટે પોતે વહેલું પચ્ચખાણ પારી વાપરવા બેઠેલ છે, તે સાધુનું મૃત્યુ થયું છે અથવા તો તેને હવે સારું થઈ ગયું છે, ત્યારે પોતાને જેટલું વાપરવાનું બાકી હોય તેટલું પોરિસીનું પચ્ચખાણ આવે ત્યારે વાપરે. અને “અડધું વપરાઈ ગયું છે એટલે અવશિષ્ટ પણ વાપરી લઉં” એમ વિચારીને વાપરવાનું બંધ ન કરે તો તે સાધુનું પચ્ચકખાણ ભાંગે.
પુરિમઢના પચ્ચકખાણમાં સાત આગારો હોય છે : (૧) અનાભોગ (૨) સહસાકાર (૩) પ્રચ્છન્નકાલ (૪) દિશામોહ (૫) સાધુવચન (૬) મહત્તર (૭) સર્વસમાધિવર્તિત.
પુરિમાઈ એટલે પહેલા બે પ્રહરના કાળની મર્યાદાવાળું પચ્ચખાણ, અર્થાત્ સૂર્યોદય થયા પછી દિવસના પહેલા બે પ્રહર સુધી ચારેય પ્રકારના આહારના ત્યાગનું પચ્ચખાણ. અહીં મહત્તરાગાર સિવાયના છ આગારોનું સ્વરૂપ પૂર્વે બતાવ્યું તેમ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org