________________
૧૩૫
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર | ગાથા ૧૦૮
મહત્તરાગાર-સમાધિ તે રીતે જ છે=મહત્તરઆગાર અને સર્વસમાધિવર્તિતઆગાર પૂર્વમાં બતાવ્યા તે રીતે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
નવકારશીમાં બે જ આગારો છે. નવકાર શબ્દથી નવકારસહિતના પચ્ચખાણનું ગ્રહણ છે. અહીં પ્રશ્ન થાય કે આગાર શું છે? તેથી કહે છે કે આગાર એટલે પચ્ચકખાણમાં અપવાદનો હેતુ. અને નવકારશીના પચ્ચક્ખાણમાં આ સૂત્ર છે– સૂર્ય ઊગ્યા પછી બે મુહૂર્તનો સમય પસાર થાય ત્યાં સુધી નવકારશીનું પચ્ચખાણ કરનાર સાધુ અનાભોગ આગાર અને સહસાકાર આગારને છોડીને અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ ચારેય પણ આહારને વોસિરાવે છે. આ પ્રકારની નવકારશીના પચ્ચખાણમાં પ્રતિજ્ઞા લેવાય છે.
વળી આગારોનો અર્થ આ પ્રમાણે છે – અનાભોગ એટલે અત્યંત વિસ્મૃતિ. અનાભોગને મૂકીને મારું પચ્ચકખાણ છે. આશય એ છે કે અત્યંત વિસ્મૃતિને છોડીને, સૂર્યોદય થયા પછી નવકારશીનું પચ્ચકખાણ આવે નહિ, અને આવ્યા પછી નવકાર ગણીને પચ્ચખાણ પારે નહિ, ત્યાં સુધી ચારેય પ્રકારના આહારને વોસિરાવે છે.
સહસાકાર એટલે અતિપ્રવૃત્ત એવા યોગનું અનિવર્તિન. આશય એ છે કે કોઈ વ્યક્તિ કોઈ યોગમાં અતિપ્રવૃત્ત હોય તો ક્યારેક પચ્ચખાણ હોવા છતાં તેનાથી અચાનક જ તે યોગની પ્રવૃત્તિ થઈ જાય. જેમ કે કોઈને ખાવાની વસ્તુ ગમે ત્યારે મોઢામાં મૂકવાની ટેવ હોય તો તેને ક્યારેક નવકારશી કરી હોય ત્યારે પણ રોજની ટેવ પ્રમાણે અચાનક પચ્ચખાણ પાર્યા વગર તે કોઈ વસ્તુ મોમાં મૂકી દે, તો તેને અતિપ્રવૃત્ત યોગનું અનિવર્તન કહેવાય; પરંતુ ત્યારબાદ જો તરત પોતાને પચ્ચકખાણ છે તેમ યાદ આવે, અને મોઢામાં મુકાઈ ગયેલ વસ્તુ મોંમાંથી કાઢી નાંખે તો તેનું પચ્ચખાણ ભાંગે નહિ. આ રીતે અનાભોગ આગારમાં પચ્ચખાણની અત્યંત વિસ્મૃતિ થવાને કારણે પચ્ચકખાણ પાર્યા વગર આહાર વપરાઈ જાય, અને સહસાકાર આગારમાં પચ્ચખાણનું સ્મરણ હોવા છતાં પચ્ચખાણની ઉપસ્થિતિ થયા વગર એકદમ આહાર મુખમાં નંખાઈ જાય, ત્યારે જો પચ્ચકખાણ યાદ આવવાથી મુખમાં નાખેલ વસ્તુ બહાર કાઢી દે તો તે તે આગારને કારણે પચ્ચખાણ ભાંગતું નથી. આથી નવકારશીનું પચ્ચખાણ બે આગારોથી ગ્રહણ કરાય છે.
પોરિસીના પચ્ચખાણમાં છ આગારો હોય છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પ્રચ્છન્નકાલ, (૪) દિશામોહ, (૫) સાધુવચન અને (૬) સર્વસમાધિવર્તિત. પોરિસી એટલે પ્રત્યાખ્યાનવિશેષ. તેથી એ પ્રાપ્ત થાય કે સૂર્યોદય થયા પછી પોરિસીનું પચ્ચખાણ આવે નહિ, અને આવ્યા પછી પચ્ચકખાણ પારે નહિ, ત્યાં સુધી પોરિસીનું પચ્ચખાણ કરનાર સાધુ અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ ચારેય પણ આહારને અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાલ, દિશામોહ, સાધુવચન, સર્વસમાધિ-વર્તિત, આ છ આગારોને છોડીને વોસિરાવે છે.
અહીં અનાભોગ અને સહસાકાર એ બે આગારોનું સ્વરૂપ નવકારશીના પચ્ચખાણમાં બતાવ્યું તેમ જાણવું.
વળી પ્રચ્છન્નકાળ આગારનું સ્વરૂપ આ પ્રમાણે – પ્રચ્છન્ન દિશામાંઓથી રજ, રેણુ કે પર્વતથી ઢંકાયેલો સૂર્ય દેખાતો ન હોવાથી, પોરિસી પૂર્ણ થઈ છે એવું માનીને કોઈએ પચ્ચક્ખાણ પાર્યું, અને પાછળથી તેણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org