________________
૧૩૪
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૧૦૮
કરાવનારું દુઃખ કોઈક રીતે શમી ગયું છે અથવા તો અન્ય સાધુને ઉત્પન્ન થયેલ મરણ કરાવનારું દુઃખ કોઈક રીતે શમી ગયું છે એમ જણાયે છતે, તે રીતે જsઉપરમાં બતાવ્યો તે રીતે જ, વિવેક છે.
વળી પુરિમાદ્ધમાં સાત જ છે. પુરિમાદ્ધ એટલે પહેલા બે પ્રહરના કાળની અવધિવાળું પ્રત્યાખ્યાન ગ્રહણ કરાય છે ત્યાં=પુરિમાદ્ધના પચ્ચખાણમાં, સાત આગારો હોય છે, અને અહીં પુરિમાદ્ધના પચ્ચકખાણમાં, આ સૂત્ર છે –
સૂર્ય ઊગે છતે' ઇત્યાદિ પૂર્વની સદેશ છે, “મહત્તરાગારથી' એ પ્રકારે વિશેષ છે. અને આનો=મહત્તર આગારનો, આ અર્થ છે –
આ મહાન છે અને આ મહાન છે, આ બેમાં આ અતિશયથી મહાન છે એ મહત્તર, આકરાય છે=આગાર રખાય છે, એ આકાર. આ કહેવાયેલું થાય છે – મોટું પ્રયોજન હોય તેના વડે કોઈ સાધુ વડે, અભક્તાર્થ પચ્ચખાયો ઉપવાસનું પચ્ચખાણ કરાયું, ત્યારે આચાર્ય વડે કહેવાય છે-અમુક ગામને વિષે જવા યોગ્ય છે, કહે છે–તે ઉપવાસવાળા સાધુ કહે છે – જેવી રીતે આજે મારે અભક્તાર્થ છે=ઉપવાસ છે, જો સમર્થ છે તો કર અને જા, અર્થાત્ ત્યારે ગુરુ તે સાધુને કહે છે કે જો ઉપવાસ કરીને જવા માટે તું સમર્થ છે તો ઉપવાસ કર અને અમુક ગામે જા, જો સમર્થ નથી તો ભક્તાર્થિક કે અભક્તાર્થિક જે અન્ય સાધુ સમર્થ હોય તે જાઓ. અન્ય સાધુ તે કાર્ય માટે સમર્થ નથી, ત્યારે તે જ અભક્તાર્થિક સાધુને ગુરુ વિસર્જન કરે છે. આવા પ્રકારના તેને=ભોજનને, જમતા, અભિલાષ વગરના તે સાધુને જે અભક્તાર્થિકની ઉપવાસની, નિર્જરા છે, તે થાય છે; ઇત્યાદિ મહત્તર આગાર છે.
એકાશનમાં આઠ જ છે. એકાશન એટલે એકવાર ઉપવિષ્ટ એવા પુતના અચાલનથી ભોજન વાપરવું, ત્યાં=એકાશનના પચ્ચખાણમાં, આઠ જ આગારો હોય છે, અને અહીં એકાસણાના પચ્ચખાણમાં, આ સૂત્ર છે –
એકાસણક ઇત્યાદિ, અને તેઓ=એકાસણાના પચ્ચખાણમાં આગારો, અનાભોગથી, સહસાકારથી, સાગારિકાગારથી, આંકુચન-પ્રસારણાગારથી, ગુરુઅભ્યત્થાનથી, પારિષ્ઠાપનિકાગારથી, મહત્તરાગારથી, સર્વસમાધિવર્તિતાગારથી અન્યત્ર વોસિરાવે છે=એકાસણાનું પચ્ચકખાણ કરનાર સાધુ અનેકવાર વાપરવા માટે બેસવારૂપે ચારેય પણ આહારનો ત્યાગ કરે છે.
અનાભોગ-સહસાકાર તે રીતે જ છે=પૂર્વમાં બતાવ્યા તે રીતે જ છે. અર્ધ સમુદિષ્ટની સાગારિક આવ્યો= અડધો આહાર વાપરેલ સાધુની નજીકમાં કોઈ ગૃહસ્થ આવ્યો, જો જતો હોય તો પ્રતીક્ષા કરે, હવે સ્થિર હોય=તે ગૃહસ્થ ત્યાં જ સ્થિર હોય, તો સ્વાધ્યાયનો વ્યાઘાત થાય, એથી ઊઠીને અન્ય સ્થાને જઈને વાપરે છે, એ સાગારિકાગાર છે. હસ્ત, પાદ કેશીષને આકુંચે=સંકોચે, કેપ્રસારે તોપચ્ચકખાણ ભાંગતું નથી, એ આકુંચન-પ્રસારણાગાર છે.
અભ્યત્થાનને યોગ્ય એવા આચાર્ય કે પ્રાપૂર્ણક આવેલ હોય તો અભ્યત્યાન કરવું જોઈએ, આ રીતે સમુદિષ્ટ, ઉસ્થિત એવા તેનું ખાતાં ખાતાં ઊઠેલા એવા તે એકાસણાવાળા સાધુનું, પચ્ચકખાણ ભાંગતું નથી, એ ગુરુઅદ્ભુત્થાનાગાર છે.
પારિષ્ઠાપનિકા જો હોય તો કહ્યું છે ક્યારેક ગોચરી વધી ગઈ હોય તો પારિષ્ઠાપનિક આગારથી તે એકાસણાના પચ્ચખાણવાળા સાધુને કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org