________________
- ૧૩૩
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર | ગાથા ૧૦૮
આભોગ કરવો એ આભોગ, આભોગ નહીં એ અનાભોગ અત્યંત વિસ્મૃતિ, તેનાથી=અનાભોગથી અન્યત્ર=અનાભોગને મૂકીને ત્યારપછી સહસા કરણ એકદમ કરવું, એ સહસાકાર=અતિપ્રવૃત્ત એવા યોગનું અનિવર્તન, તેને મૂકીને પચ્ચખાણ કરે છે એમ અન્વય છે.
અને વળી પોરિસીમાં છ છે. અહીં પોરિસી એટલે પ્રત્યાખ્યાનવિશેષ, તેમાં–પોરિસીના પ્રત્યાખ્યાનમાં, છ આગારો હોય છે અને અહીં પોરિસીના પ્રત્યાખ્યાનમાં, આ સૂત્ર છે –
“સૂર્ય ઊગે છતે પૌરુષીનું પચ્ચખાણ કરે છે, અશન ઇત્યાદિરૂપ=અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ, ચાર પ્રકારના પણ આહારને અનાભોગથી, સહસાકારથી, પ્રચ્છન્નકાલથી, દિશામોહથી, સાધુવચનથી, સર્વસમાધિવર્તિત આગારથી અન્યત્ર=સિવાય, વોસિરાવે છે.”
અનાભોગ અને સહસાકાર પૂર્વની જેમ પોરિસી પચ્ચખાણના છ આગારોમાંથી પ્રથમ બે આગારોનું સ્વરૂપ પૂર્વે નવકારશીના પચ્ચકખાણમાં બતાવ્યું તેમ જાણવું. વળી પ્રચ્છન્નકાલાદિનું આ સ્વરૂપ છે –
રજથી, રેણુથી કે પર્વતથી અંતરિત એવો સૂર્ય પ્રચ્છન્ન એવી દિશાઓમાંથી દેખાતો નથી, પોરિસી પૂર્ણ થઈ, એથી કરીને પરાયું પોરિસીનું પચ્ચકખાણ પરાયું, પાછળથી જણાયું ત્યારે રહેવું જોઈએ=વાપરતાં અટકી જવું જોઈએ, તો ભગ્ન નથી પચ્ચકખાણ ભાંગે નહીં, જો વાપરે છે તો ભગ્ન છે-પચ્ચખાણ નહીં આવેલું જાણવા છતાં બાકી રહેલો આહાર સાધુ વાપરે તો પચ્ચકખાણ ભાંગે છે. આ રીતે સર્વમાં પણ છે અર્થાત્ જે રીતે પ્રચ્છન્નકાળ આગારમાં બતાવ્યું કે પાછળથી જ્ઞાત થયા પછી વાપરતાં અટકી જવું જોઈએ તો પચ્ચખાણ ભાંગે નહીં, અને જ્ઞાત થયા પછી પણ અવશિષ્ટ આહાર વાપરે તો પચ્ચકખાણ ભાંગે, એ રીતે દિશામોદાદિ સર્વ પણ આગારોમાં સમજવું. | દિશામોહથી એટલે કોઈક પુરુષને કોઈક ક્ષેત્રમાં દિશામોહ થાય છે, તે પુરુષ પૂર્વ દિશાને જાણતો નથી. આ રીતે તે પુરુષ દિશામોહથી અતિઉગત પણ સૂર્યને જોઈને ઉસૂરીભૂત છે=સૂર્ય ઊંચો આવી ગયો છે, અર્થાત્ પોરિસીના પચ્ચખાણનો સમય થાય તેટલો ઊંચો સૂર્ય નહીં આવેલ હોવા છતાં પૂર્વ દિશામાં પશ્ચિમ દિશાના ભ્રમથી સૂર્ય આટલો ઊંચો આવી ગયો છે, એ પ્રમાણે માને છે. તેથી પોરિસીનું પચ્ચખાણ પારીને વાપરવા બેસે છે. જ્ઞાત થયે છતે રહે છે અર્થાત્ વાપરવા બેઠા પછી હજી સૂર્ય પોરિસીના પચ્ચખાણનો સમય થાય તેટલો ઊંચો આવ્યો નથી, તેમ જણાયે છતે વાપરતાં અટકી જાય તો પચ્ચખાણ ભાંગતું નથી.
સાધુવચનથી એટલે સાધુઓ કહે છે– “પોરિસી ઊઘડી=પૂરી થઈ,” ત્યારે તે સાધુ, જમવા બેઠા, પારીને જાણે છે અથવા અન્ય જાણે છેઃતે સાધુ પચ્ચકખાણ પારીને જાણે કે હજી પોરિસીનું પચ્ચકખાણ આવ્યું નથી અથવા બીજા કોઈ સાધુ જાણે કે હજી પોરિસીનું પચ્ચકખાણ આવ્યું નથી, તેના વડે અન્ય સાધુ વડે, વાપરતા એવા તે સાધુને કહેવાયું, પોરિસી પૂરી થઈ નથી, ત્યારે રહેવું જોઈએ=તે સાધુએ વાપરતાં અટકવું જોઈએ.
સમાધિ એટલે તેના વડે પોરિસી પચ્ચખાઈ=કોઈ સાધુ વડે પોરિસીનું પચ્ચકખાણ કરાયું, અને આસુકારિક દુઃખ ઉત્પન્ન થયું તે પચ્ચકખાણ કરનારા સાધુને શરીરમાં મરણ કરાવનાર પીડા ઉત્પન્ન થઈ, અથવા અન્યનેeતે પચ્ચકખાણ કરનારા સાધુથી અન્ય સાધુને, શરીરમાં મરણ કરાવે એવી પીડા ઉત્પન્ન થઈ, ત્યારે તેના પ્રશમનના નિમિત્તે તે દુઃખને શમાવવા માટે, પરાવાય છેeતે પોરિટીના પચ્ચખાણવાળા સાધુને પચ્ચખાણ પરાવાય છે, અથવા ઔષધ અપાય છે. આ અવસરે જ્ઞાત થયે છતે પોતાને ઉત્પન્ન થયેલ મરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org