SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૨ થી ૫૦૪, ૫૦૫ તે શક્ય તપને હદયમાં કરીને, સમ્યક કૃતિકર્મને કરીનેeગુરુને વંદન કરીને, ત્યારપછી ચિંતિત એવા નમસ્કાર સહિતાદિ તેને જ=કાયોત્સર્ગમાં વિચારેલા નવકારશી આદિ તે તપને જ, ગુરુની પાસે સમકકયુગપએક સાથે, ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૫૦૦માં બતાવ્યું એ રીતે પ્રતિક્રમણ કર્યા પછી સર્વ સાધુઓ ગુરુને નમાવે છે, અને ત્યારબાદ સામાયિકસૂત્ર બોલવાપૂર્વક કાયોત્સર્ગ કરે છે. જોકે આ કાયોત્સર્ગમાં તપનું ચિંતવન કરવાનું છે, અને જો તપ અન્ય બળવાન યોગોનો વ્યાઘાતક બનતો હોય તો ઉચિત ક્રિયારૂપ બને નહિ. તેથી તે તપચિંતવનની પૂર્વભૂમિકા રૂપે સાધુઓ કાયોત્સર્ગમાં વિચારે કે “ગુરુએ અમને ગ્લાનની સેવા કરવારૂપ અથવા કોઈ શાસ્ત્ર ભણવા કે ભણાવવા વગેરે રૂપ કર્યું કાર્ય સોંપ્યું છે? કે જેથી તે કાર્યનો વ્યાઘાત ન થાય તે રીતે હું તપ કરવાની ભાવના કરી શકું? અને મારો પચિંતવણીનો કાયોત્સર્ગ ઉચિત ક્રિયારૂપ બને?” આ રીતે ગુરુએ પોતાને સોંપેલ હોય તે કાર્યનું સ્મરણ કરીને તે કાર્યનો વ્યાઘાત ન થાય તે રીતે પોતાની તપની શક્તિ કેટલી છે? તેને સાધુઓ કાયોત્સર્ગમાં અશઠભાવથી વિચારે છે, જે વિચારવાની વિધિ આ પ્રમાણે છે – પ્રથમ સાધુઓ ઉત્કૃષ્ટથી છ માસી તપ કરવાની ભાવના કરે, અને તેમાં ક્રમસર દિવસો ઘટાડતાં ઘટાડતાં પોતાનાથી જેટલું શક્ય હોય તેટલું તપ કરવાની વિચારણા કરે, અને તે વિચારણા જઘન્યથી પોરિસી કે નવકારશી સુધીની પણ હોઈ શકે. આ રીતે સમ્યગુ તપની ભાવના કરવાથી અન્ય બળવાન યોગોનો વ્યાઘાત ન થાય તે રીતે તપ કરવાનો જીવમાં અધ્યવસાય પ્રગટે છે, અને છમાસી તપ કરવાની ભાવના હોવાથી છમાસી તપની ભાવનામૃત નિર્જરાની પણ પ્રાપ્તિ થાય છે. આથી આવા મુનિ શક્તિના પ્રકર્ષથી પોરિસી કે નવકારશી કરે તોપણ સદા ઉપવાસી છે. આમ, અશઠભાવથી યથાશક્તિ તપની હૃદયમાં ધારણા કરીને કાયોત્સર્ગ પાર્યા પછી સર્વ સાધુઓ ગુરુને સમ્યમ્ વંદન કરે છે. ત્યારબાદ પોતે જે તપ કરવાનું કાયોત્સર્ગમાં ચિંતવ્યું હોય તે તપનું સર્વ સાધુઓ સાથે મળીને ગુરુ પાસે પચ્ચખાણ ગ્રહણ કરે છે. આ કથનથી એ ફલિત થાય છે કે બધા સાધુઓ ગુરુ પાસે પચ્ચખાણ આગળ-પાછળ લેતા નથી, પરંતુ એકસાથે જ લે છે. પ૦૨/૫૦૩/૫૦૪ll અવતરણિકા कथं गृह्णन्तीत्याह - અવતરણિકાઈઃ પૂર્વગાથામાં કહ્યું કે કાયોત્સર્ગમાં ચિંતવેલ પચ્ચકખાણને સર્વ સાધુઓ સાથે મળીને ગુરુ પાસે ગ્રહણ કરે છે. તે પચ્ચખાણ કઈ રીતે ગ્રહણ કરે છે? એ પ્રકારની જિજ્ઞાસામાં કહે છે – ગાથા : आगारेहिँ विसुद्धं उवउत्ता जहविहीए जिणदिटुं । सयमेवऽणुपालणि दाणुवएसे जहसमाही ॥५०५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy