SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૦૧, ૫૦૨ થી ૫૦૪ બોલવાપૂર્વક પગામસિક્કા સૂત્ર બોલવારૂપ પ્રતિક્રમણ કરે છે અને અંતે તપચિતવણીનો કાયોત્સર્ગ પણ કરેમિભંતે સૂત્ર બોલવાપૂર્વક કરે છે. આમ, વારંવાર કરેમિભંતે રૂપ સામાયિક સૂત્ર બોલવાનું કારણ એ છે કે સાધુના સર્વ વ્યાપારો સામાયિકના પરિણામપૂર્વકના હોય છે. માટે જો સાધુમાં સામાયિકનો પરિણામ ન હોય તો સાધ્વાચારની સર્વ પ્રવૃત્તિઓ માત્ર ક્રિયારૂપ રહે, અને સાધુમાં જો સામાયિકનો પરિણામ હોય તો સાધ્વાચારની સર્વ ક્રિયાઓ મોક્ષનું કારણ બને છે. અહીં પ્રશ્ન થાય કે સામાયિકના પરિણામપૂર્વકના સાધના યોગો હોય તો સામાયિકના પરિણામમાં યત્ન કરવો જોઈએ, પરંતુ વારંવાર સામાયિકસૂત્ર બોલવાનું શું પ્રયોજન છે? તેથી કહે છે કે પ્રાયઃ કરીને સામાયિકસૂત્રના વારંવાર સ્મરણથી આત્મામાં સામાયિક સ્થિર થાય છે, એ બતાવવા માટે વારંવાર સામાયિક સૂત્ર બોલવાની શાસ્ત્રમર્યાદા છે. ૨૦૧il ગાથા : खामित्तु करिति तओ सामाइअपुव्वगं तु उस्सग्गं । तत्थ य चिंतिति इमं कत्थ निउत्ता वयं गुरुणा? ॥५०२॥ અન્વયાર્થ : તો ત્યારપછી=પગામસિજ્જા સૂત્ર બોલવારૂપ પ્રતિક્રમણ કર્યા પછી, ઘામિg=ખમાવીને સામારૂમત્ર તુ ૩ સામાયિકપૂર્વક જ=કરેમિભંતે સૂત્ર બોલવાપૂર્વક જ, કાયોત્સર્ગને વિંતિ કરે છે. તત્થ ચ=અને ત્યાં=કાયોત્સર્ગમાં, ગુરુપ =ગુરુ વડેવયં=અમે સ્થ=કયાં=ગ્લાનના પ્રતિજાગરણાદિ ક્યા કાર્યમાં, નિત્તા નિયુક્ત છીએ? મંfધતિંતિ=એને ચિંતવે છે. ગાથાર્થ : પગામસિક્કા સૂત્ર બોલવારૂપ પ્રતિક્રમણ કર્યા પછી ખમાવીને કરેમિ ભંતે સૂત્ર બોલવાપૂર્વક જ સાધુઓ કાયોત્સર્ગ કરે છે, અને કાયોત્સર્ગમાં “ગુર વડે અમે ગ્લાનપ્રતિજાગરણાદિ કયા કાર્યમાં યોજાયેલા છીએ ?” એને ચિંતવે છે. ટીકા : क्षमयित्वा गुरुं कुर्वन्ति ततः सामायिकपूर्वमेव कायोत्सर्ग, तत्र च कायोत्सर्गे चिन्तयन्त्येतत् 'कुत्र नियुक्ता वयं गुरुणा ?' ग्लानप्रतिजागरणादाविति गाथार्थः ॥५०२॥ ટીકાર્થ: ત્યારપછી ગાથા ૫૦૦માં કહ્યા મુજબ પગામસિજ્જા સૂત્ર બોલવારૂપ પ્રતિક્રમણ કર્યા પછી, ગુરુને ખમાવીને સામાયિકપૂર્વક જ કાયોત્સર્ગને કરે છે, અને ત્યાં કાયોત્સર્ગમાં, “અમે ગુરુ વડે ગ્લાનની પ્રતિસેવા આદિ રૂપ ક્યાં નિયુક્ત છીએ?=કયા કાર્યમાં યોજાયેલા છીએ?” એને સાધુઓ ચિંતવે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy