________________
૧૨૪
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૯-૫૦૦ વળી સવારના પ્રતિક્રમણમાં સાધુઓ ત્રણ કાયોત્સર્ગ કરે. ત્યારપછી કરવાની વિધિ ગ્રંથકારશ્રી ગાથા ૫૦૦માં બતાવવાના છે, છતાં પ્રસ્તુત ગાથામાં તપચિતવણીનો કાયોત્સર્ગ કરવાની વિધિ બતાવી. તેથી કોઈને પ્રશ્ન થાય કે આ ત્રણ કાયોત્સર્ગો પછી કરવાના ચોથા કાયોત્સર્ગની વિધિ ગ્રંથકાર આગળમાં બતાવવાના છે, છતાં અહીં વચમાં કેમ કહી દીધી ? તેનો આશય એ જણાય છે કે ગાથા ૪૯૮માં કહ્યું કે સાધુઓને પરસ્પર સંઘટ્ટણ કે વંદનાકરણના દોષો ન થાય, તે માટે સાધુઓ પ્રારંભમાં ત્રણ કાયોત્સર્ગ કરે છે. તેમ જાણ્યા પછી કોઈને જિજ્ઞાસા થાય કે રાઈ પ્રતિક્રમણમાં આ ત્રણ જ કાયોત્સર્ગ છે? કે કોઈ અન્ય પણ કાયોત્સર્ગ છે? તેથી ખુલાસો કર્યો કે રાઈ પ્રતિક્રમણમાં આ ત્રણ કાયોત્સર્ગ પ્રથમ કરાય છે અને અંતે તપચિંતવણીનો ચોથો કાયોત્સર્ગ પણ કરાય છે. આ હેતુથી ગ્રંથકારશ્રીએ ત્રણ કાયોત્સર્ગની સાથે ચરમ કાયોત્સર્ગની વિધિ પણ વચ્ચે બતાવી દીધી. ll૪૯૯ાા અવતરણિકા :
एतदेव व्याचष्टे - અવતરણિતાર્થ :
આને જ વ્યાખ્યાન કરે છે અર્થાત્ ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિક અતિચારોનું ચિંતવન કર્યા પછી સાધુઓ શું કરે છે? તે બતાડવા માટે ત્રીજા કાયોત્સર્ગમાં સાધુઓ રાત્રિ સંબંધી અતિચાર ચિંતવે છે એને જ કહે
ગાથા :
तइए निसाइआरं चिंतिअ उस्सारिऊण विहिणा उ ।
सिद्धत्थयं पढित्ता पडिक्कमंते जहापुट्विं ॥५००॥ અન્વયાર્થ:
તા–તૃતીયમાં ત્રીજા કાયોત્સર્ગમાં, નિસાફમાવિત્તિમ=રાત્રિના અતિચારને ચિંતવીને, વિદિUT = વિધિ વડે જ સારિ=(કાયોત્સર્ગને) પારીને, સિદ્ધત્વયં પદ્રિત્તા=સિદ્ધસ્તવનેકસિદ્ધાણં બુદ્ધાણં સૂત્રને, બોલીને નહાપુāિ યથાપૂર્વ=પહેલાં કહેલ તે પ્રમાણે, પડદAH=પ્રતિક્રમણ કરે છે. ગાથાર્થ :
ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિના અતિચારને ચિંતવીને, વિધિ વડે જ કાયોત્સર્ગને પારીને, સિદ્ધાણ બુદ્ધાણં સૂત્રને બોલીને સાધુઓ પૂર્વમાં કહ્યા પ્રમાણે પ્રતિક્રમણ કરે છે. ટીકા : ___ तृतीये कायोत्सर्गे निशातिचारं चिन्तयित्वा तदनन्तरमुत्सार्य विधिना पूर्वोक्तेन सिद्धस्तवं'सिद्धाणं'इत्यादिलक्षणं पठित्वा प्रतिक्रामन्ति यथापूर्वं पदं पदेनेति गाथार्थः ॥५००॥ ટીકાર્યઃ
ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિના અતિચારને ચિંતવીને ત્યારપછી પૂર્વમાં કહેવાયેલ વિધિથી કાયોત્સર્ગને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org