________________
પ્રતિદિનક્રિયાવસ્તુફ| ‘આવશ્યક દિ' દ્વાર | ગાથા ૪૯૯
૧૨૩
ગાથા :
तइए निसाइआरं चिंतइ चरिमे अ किं तवं काहं ? ।
छम्मासा एगदिणाइहाणि जा पोरिसि नमो वा ॥ ४९९ ॥ અન્વયાર્થ :
તરૂપ તૃતીયમાં–ત્રીજા કાયોત્સર્ગમાં, નિસારૂ–રાત્રિના અતિચારને ચિતડું ચિંતવે છે, ઘર મ= અને ચરમમાં= છેલ્લા કાયોત્સર્ગમાં, વિં તવં ઋાહ્નકા તપને હું કરીશ? (તે ચિંતવે છે, અને તે ચિંતવન બતાવે છે –) છમાસા વિIm=છ માસથી એક દિન આદિની હાનિથી ના પરિસિ ના વા=યાવતું પોરિસીને અથવા નવકારશીને (ચિંતવે છે.), ગાથાર્થ :
સાધુ ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિના અતિચારને ચિંતવે છે, અને છેલ્લા કાયોત્સર્ગમાં હું કયું તપ કરીશ? તેનું ચિંતવન કરે છે. અને તે ચિંતવન બતાવે છે– છ મહિનાથી એક દિવસ આદિની હાનિથી પોરિસી કે નવકારશી સુધીના તપનું ચિંતવન કરે છે. ટીકાઃ ___ तृतीये कायोत्सर्गे निशातिचारं चिन्तयति, चरमे प्रतिक्रमणकालोत्तरकालभाविनि किं तपः करिष्यामि ? चिन्तयतीति वर्त्तते, षण्मासादेकदिनादिहान्या निर्व्याजं शक्तिमाश्रित्य यावत् पौरुषी नमस्कारसहितं વિનંતીતિ ગાથાર્થ: ૪૨૨ ટીકાર્ચ: - ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિના અતિચારને ચિંતવે છે, ચરમમાં=પ્રતિક્રમણકાળથી ઉત્તરકાળભાવમાં= પગામસિજ્જારૂપ પ્રતિક્રમણ સૂત્ર બોલવાના સમયથી પછીના સમયમાં થનારા એવા છેલ્લા કાયોત્સર્ગમાં, કયા તપને હું કરીશ? એ ચિંતવે છે. તે તપચિંતવનનું સ્વરૂપ બતાવે છે– છ માસથી એક દિન આદિની હાનિથી શક્તિને આશ્રયીને નિર્ચાજ=બહાના વગર, પોરિસી, નવકારશી સુધી ચિંતવે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
રાઈ પ્રતિક્રમણમાં પ્રથમ ત્રણ કાયોત્સર્ગો કરાય છે. તેમાંથી ત્રીજા કાયોત્સર્ગમાં સાધુ રાત્રિમાં લાગેલા અતિચારોને ચિંતવે છે, અને રાઈ પ્રતિક્રમણ કર્યા પછી છેલ્લે “આજે હું કયો તપ કરીશ ?” એ રૂપ તપચિંતવણીનો કાયોત્સર્ગ કરે છે.
વળી, સાધુ તપ કઈ રીતે ચિંતવે? તે બતાવતાં કહે છે કે વર્તમાનમાં ઉત્કૃષ્ટ તપ છ મહિનાનો ગણાય છે, તેથી સાધુ પ્રથમ છ મહિનાનું તપ કરવાની ભાવના ભાવે. ત્યારપછી એકેક દિવસની ક્રમસર હાનિથી આત્માને ઠગ્યા વગર જેટલી પોતાની શક્તિ હોય, તેને આશ્રયીને તપ કરવાનો સંકલ્પ કરે. અને તે તપની હાનિ કરતાં કરતાં અતિઅલ્પ શક્તિવાળા સાધુ પોરિસી તપ અને સર્વથા શક્તિ વગરના સાધુ નવકારશી તપ કરવાનો પણ સંકલ્પ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org