________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૯૯-૨૯૮
૧૨૧ અતિચારો થયા હોય, તે સર્વ અતિચારોનું પ્રસ્તુત એવા ત્રીજા કાયોત્સર્ગમાં સાધુઓ અવધારણ કરે છે, જેથી પ્રતિક્રમણમાં કરાતી આલોચનાદિ ક્રિયાઓથી તે અતિચારોની સમ્યમ્ શુદ્ધિ થઈ શકે. ૪૯૭ અવતરણિકા:
पश्चादतिचारचिन्तने प्रयोजनमाह - અવતરણિકાર્ય :
પાછળથી અતિચારોના ચિંતનમાં પ્રયોજનને કહે છે, અર્થાત્ દેવસિક પ્રતિક્રમણમાં પહેલાં અતિચારોનું ચિંતવન કરાય છે, જ્યારે રાત્રિક પ્રતિક્રમણમાં પ્રથમ ચારિત્રશુદ્ધિ અર્થે અને દ્વિતીય દર્શનશુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કર્યા પછી તૃતીય જ્ઞાનશુદ્ધિ અર્થે કરાતા કાયોત્સર્ગમાં અતિચારોનું ચિંતવન કરાય છે, તો આ રીતે પાછળથી અતિચારોનું ચિંતવન કરવામાં શું હેતુ છે? તે બતાવે છે – ગાથા :
निद्दामत्तो न सरइ अइआरे मा य घट्टणंऽन्नोऽण्णं ।
किइअकरणदोसा वा गोसाई तिणि उस्सग्गा ॥४९८ ॥ અન્વયાર્થ:
નિદ્દાનો અમારે ન સરફુનિદ્રાથી મત્ત અતિચારોને સ્મરતા નથી નિદ્રાના મદવાળા સાધુ થયેલા અતિચારોને સારી રીતે યાદ કરી શકતા નથી, મ ય સ્ત્રોડા ઘટ્ટ મિશ્નરવોસા વા=અને અન્યોન્ય ઘટ્ટન અથવા કૃતિઅકરણના દોષો ન થાઓ-સાધુઓ પરસ્પર અથડાઓ નહીં અથવા વંદન નહીં કરવાના દોષો થાઓ નહીં, (આથી) નો સાર્ર–ગોસમાં આદિમાં=સવારના પ્રતિક્રમણમાં શરૂઆતમાં, તિUિM સT=ણ કાયોત્સર્ગો છે.
ગાથાર્થ :
નિદ્રાના મદવાળા સાધુ થયેલા અતિચારોને સારી રીતે સ્મરણ કરી શકતા નથી, અને સાધુઓ પરસ્પર અથડાઓ નહીં અથવા વંદન નહીં કરવાના દોષો થાઓ નહીં, આથી સવારના પ્રતિક્રમણમાં પ્રારંભમાં ત્રણ કાયોત્સર્ગો છે. ટીકા :
निद्रामत्तो न स्मरत्यतिचारान् सम्यक्, तथा मा च घट्टनमन्योऽन्यं परस्परतः कृत्यकरणदोषा वा समं स्वकारे (?स्युरन्धकारे), अतो गोसे आदौ त्रयः कायोत्सर्गा इति गाथार्थः ॥४९८॥ નોંધ :
ટીકામાં સર્ષ સ્વરે છે, તેને સ્થાને યુરચા હોવું જોઈએ. ટીકાર્ય :
નિદ્રાથી મત્ત નિદ્રાનો મદ જેને ઊતર્યો નથી એવા સાધુ, અતિચારોને સમ્યફ સ્મરણ કરતા નથી, અને તે રીતે અન્યોન્ય પરસ્પરથી, ઘટ્ટન=સંઘટ્ટો, અથવા અંધકારમાં કૃતિના અકરણના દોષો વંદન નહીં કરવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org