SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૯૪ થી ૪૯૬, ૪૯૦ ૧૧૯ અહીં પ્રશ્ન થાય કે સાધુઓ અનિયતમાનવાળો કાયોત્સર્ગ કેમ કરે છે? તેમાં હેતુ આપે છે – અતિચારોનું અનિયતપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૪૯૩માં ગ્રંથકારે પ્રતિજ્ઞા કરેલ કે હવે પછી હું યથાક્રમ સવારના પ્રતિક્રમણની વિધિને કહીશ. તેથી તે વિધિનો પ્રારંભ કરતાં ગ્રંથકાર કહે છે – પ્રતિક્રમણમાં સૌ પ્રથમ સાધુઓ કરેમિ ભંતે સૂત્ર બોલે છે, જેથી સંયમનો પરિણામ દઢ થાય અને છે આવશ્યકમાંના પ્રથમ સામાયિક આવશ્યકનું સેવન થાય. ત્યારપછી સાધુઓ ચારિત્રની શુદ્ધિ માટે પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કરેમિભંતે સૂત્ર અને અન્નત્થ સૂત્ર બોલીને સાધુઓ ચારિત્રની શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. ત્યારપછી કાયોત્સર્ગ પારીને શુદ્ધ થયેલા ચારિત્રના પરિણામવાળા સાધુઓ લોગસ્સ સૂત્ર બોલીને દર્શનની શુદ્ધિ માટે પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે. તેથી એ ફલિત થાય કે લોગસ્સ સૂત્ર, સવલોએ અરિહંત ચેઈઆણં સૂત્ર અને અન્નત્થ સૂત્ર બોલીને સાધુઓ દર્શનની શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. ત્યારપછી સાધુઓ કાયોત્સર્ગ પારીને પુફખરવર સૂત્ર બોલીને જ્ઞાનની શુદ્ધિ માટે અનિયતમાનવાળો કાયોત્સર્ગ કરે છે. તેથી એ નક્કી થાય કે પુફખરવર સૂત્ર, સુઅસ્સે ભગવઓ સૂત્ર અને અન્નત્થ સૂત્ર બોલીને સાધુઓ જ્ઞાનની શુદ્ધિ નિમિત્તે અનિયત શ્વાસોચ્છવાસના પ્રમાણવાળો કાયોત્સર્ગ કરે છે; કેમ કે આ ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિ દરમિયાન સંયમમાં થયેલા અતિચારોનું સાધુઓ ચિંતવન કરે છે. આથી જે સાધુને જેટલા અતિચારો થયા હોય તેટલા પ્રમાણવાળો કાયોત્સર્ગ તે સાધુઓ કરે છે અને તે કાયોત્સર્ગમાં ચિંતવેલા અતિચારોને મનમાં ધારણ કરી રાખે છે. માટે જ્ઞાનશુદ્ધિ અર્થે કરાતો ત્રીજો કાયોત્સર્ગ અનિયત પ્રમાણવાળો હોય છે. વળી આ સર્વ કાયોત્સર્ગો સાધુઓ અત્યંત ઉપયોગપૂર્વક કરે છે, જેથી રાત્રિ દરમિયાન સંયમમાં કોઈ અલના થઈ હોય તો તેની શુદ્ધિ થવા દ્વારા રત્નત્રયીની શુદ્ધિ થાય. ૪૯૪/૪૯૫/૪૯૬ll અવતરણિકા: अत्र यच्चिन्तयति तदाह - અવતરણિતાર્થ : અહીં=જ્ઞાનની શુદ્ધિ નિમિત્તે કરાતા ત્રીજા કાયોત્સર્ગમાં, સાધુઓ જેને ચિંતવે છે, તેને કહે છે – ગાથા : पाओसिअथुइमाईअहिगयउस्सग्गचिट्ठपज्जते । चिंतंति तत्थ सम्मं अइयारे राइए सव्वे ॥४९७॥ અન્વયાર્થ : પોલિથુમારું દિમય:સ્પરિટ્ટપળૉ=પ્રાદોષિક સ્તુતિની આદિવાળા અને અધિકૃત કાયોત્સર્ગની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy