________________
પ્રતિદિનક્રિયાવસ્તુકી આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૩, ૪૯૪ થી ૪૯૬
૧૧૦
ભાવાર્થ :
દેવસિક પ્રતિક્રમણ કર્યા પછી જીતાચારરૂપે શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કર્યા પછી સાધુઓ રાત્રિનો પ્રથમ પહોર પૂરો થાય ત્યારે કાલગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે, એમ રાત્રિના દરેક પહોરે કાલગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. તેથી રાત્રે ત્રણ કાલગ્રહણ થાય છે. તે સર્વ વિધિ જણાવવી આવશ્યક હોવા છતાં ગ્રંથગૌરવના ભયથી ગ્રંથકારે તે સર્વ નિશીથ-આવશ્યકાદિ વિશેષસૂત્રથી જાણી લેવાનો અતિદેશ કર્યો છે.
આ રીતે રાત્રિ સંબંધી સર્વ ઉચિત વિધિ બતાવીને સવારના પ્રતિક્રમણની વિધિનું હું ક્રમસર કીર્તન કરીશ, એ પ્રકારે ગ્રંથકાર ગાથાના ઉત્તરાર્ધથી પ્રતિજ્ઞા કરે છે. I૪૯૩.
ગાથા :
सामइयं कड्डित्ता चरित्तसुद्धत्थ पढममेवेह ।
पणवीसुस्सासं चिअ धीरा उ करिति उस्सग्गं ॥४९४॥ અન્વયાર્થ:
અહીંસવારના પ્રતિક્રમણમાં, સમર્થ વૃત્ત=સામાયિકને કરેમિભંતે સૂત્રને, બોલીને ધીરેધીરા એવા સાધુઓ વરિત્તસુદ્ધત્વ ચારિત્રની શુદ્ધિ અર્થે પઢવ=પ્રથમ જ પUવીસુસાસં વિ=પચીસ ઉચ્છવાસવાળા જ ૩રૂપ કાયોત્સર્ગને રિત્તિ કરે છે. * “૬ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : - સવારના પ્રતિક્રમણમાં કરેમિ ભંતે સૂત્રને બોલીને ધીર એવા સાધુઓ ચારિત્રની શુદ્ધિ માટે પ્રથમ જ ૨૫ ઉચ્છવાસના પ્રમાણવાળો જ કાયોત્સર્ગ કરે છે. ટીકાઃ
सामायिकमाकृष्य पूर्वक्रमेण चारित्रविशुद्ध्यर्थं प्रथममेवेह पञ्चविंशत्युच्छासमेव पूर्ववद्धीराः कुर्वन्ति कायोत्सर्गमिति गाथार्थः ॥४९४॥ ટીકાર્ય :
અહીં=સવારના પ્રતિક્રમણમાં, પૂર્વના ક્રમથી=પૂર્વે સાંજના પ્રતિક્રમણની વિધિમાં બતાવેલા ક્રમથી, સામાયિકને કરેમિભંતે સૂત્રને, બોલીને ધીર એવા સાધુઓ ચારિત્રની વિશુદ્ધિ અર્થે પ્રથમ જ પૂર્વની જેમ= સાંજના પ્રતિક્રમણની જેમ, પચીસ ઉચ્છવાસવાળા જ કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
उस्सारिऊण विहिणा सुद्धचरित्ता थयं पकड्डित्ता ।
दंसणसुद्धिनिमित्तं करिति पणुवीसउस्सग्गं ॥४९५॥ અન્વયાર્થ : વિદિપ=વિધિ વડે સરિ=(કાયોત્સર્ગને) પારીને સુદ્ધરિત્તા=શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ થયંત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org