SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૯૨ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે પ્રતિક્રમણ પૂરું થયા પછી જીતવ્યવહાર વડે શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા અને ભવનદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. ત્યાં પ્રશ્ન થાય કે સાધુઓ ક્ષેત્રદેવતા અને ભવનદેવતાનો કાયોત્સર્ગ ક્યારે કરે છે? તેથી કહે છે – ગાથા : चाउम्मासिय वरिसे उस्सग्गो खित्तदेवयाए त्ति । पक्खिअ सिज्जसुराए करिति चउमासिए वेगे ॥४९२॥ અન્વયાર્થ : વીરમાસિક વરિ-ચાતુર્માસિક (અને) વાર્ષિક એવા પ્રતિક્રમણમાં વિત્તવયT=ક્ષેત્રદેવતાનો, ૩ો કાયોત્સર્ગ થાય છે. વિશ્વમ=પાક્ષિક એવા પ્રતિક્રમણમાંfસન્નસુરાણશય્યાસુરાનો-ભવનદેવતાનો, રિતિ કરે છે સાધુઓ કાયોત્સર્ગ કરે છે. ૨૩માસિUવેને ચાતુર્માસિકમાં પણ એક-ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પણ એક મતના મુનિઓ શવ્યાસુરાનો કાયોત્સર્ગ કરે છે. * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ થાય છે, પાક્ષિક પ્રતિક્રમણમાં સાધુઓ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પણ એક મતના મુનિઓ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. ટીકાઃ ___चातुर्मासिके वार्षिके च प्रतिक्रमण इति गम्यते कायोत्सर्गः क्षेत्रदेवताया इति, पाक्षिके शय्यासुराया:= भवनदेवताया इत्यर्थः कुर्वन्ति, चातुर्मासिकेऽप्येके मुनय इत्यर्थः ॥४९२॥ ટીકાર્ય ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ થાય છે. પાક્ષિક પ્રતિક્રમણમાં શય્યાસુરાના= ભવનદેવતાના, કાયોત્સર્ગને કરે છે. એક મુનિઓ=એક મતના સાધુઓ, ચાતુર્માસિકમાં પણ=ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પણ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે, એ પ્રમાણે અર્થ છે. ભાવાર્થ : દૈવસિક પ્રતિક્રમણ કર્યા પછી સર્વ સાધુઓ જીતાચારરૂપે મૃતદેવતાનો કાયોત્સર્ગ કરે છે. ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણ કર્યા પછી સાધુઓ ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરે છે, અને પાક્ષિક પ્રતિક્રમણ કર્યા પછી સાધુઓ શય્યાતરદેવતાનો અર્થાત્ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. તેમાં કેટલાક મતવાળા સાધુઓ ચાતુર્માસિક પ્રતિક્રમણ કર્યા પછી પણ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે, એ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથમાં ઉલ્લેખ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy