________________
૧૧૪
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકદિ' દ્વાર/ ગાથા ૪૯૧ ગાથાર્થ :
ગુરુ પાસે બેસવાથી વિસ્મૃત મર્યાદાનું સ્મરણ થાય છે, વળી સાધુઓ પ્રતિક્રમણ પૂરું થયા પછી ગુર પાસે બેસે એ રીતે વિનય ઓળંગાયેલ થતો નથી. આટલું પ્રતિક્રમણ છે. જીતવ્યવહાર વડે શ્રુતદેવતાદિનો કાયોત્સર્ગ થાય છે.
ટીકા? ___ तत्र हि विस्मृतमर्यादास्मरणं भवति, विनयश्च न फेटितो-नातीतो भवति एवं-उपकार्यासेवनेन, एतावत् प्रतिक्रमणं, आचरणया श्रुतदेवतादीनां भवति कायोत्सर्गः, आदिशब्दात् क्षेत्रभवनदेवतापरिग्रह इति
થાર્થ ટીકાર્થ:
જે કારણથી ત્યાં=ગુરુની પાસે બેસવામાં, વિસ્મરણ થયેલી મર્યાદાનું સ્મરણ થાય છે, અને આ રીતે=સર્વ સાધુઓ પ્રતિક્રમણ પૂરું થયા પછી ગુરુ પાસે બેસે એ રીતે, ઉપકારીના આસેવનથી ઉપકારી એવા ગુરુને સેવવાથી, વિનય સ્ફટિત થતો નથી=અતીત થતો નથી–ગુરુ પ્રત્યેનો વિનય ઓળંગાયેલો થતો નથી; આટલું પ્રતિક્રમણ છે. આચરણા વડે=જીતાચાર વડે, મૃતદેવતા આદિનો કાયોત્સર્ગ થાય છે. “મવિ' શબ્દથી “શ્રુતદેવતાવીન”માં “વિ' શબ્દથી, ક્ષેત્ર અને ભવન દેવતાનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પ્રતિક્રમણની સમાપ્તિના અંતે મંગલરૂપે સ્તુતિઓ બોલ્યા પછી સર્વ સાધુઓ ગુરુ પાસે બેસે છે, જેથી વિસ્મૃત મર્યાદાનું સ્મરણ થાય છે. આશય એ છે કે પ્રતિક્રમણ કરીને અતિચારથી શુદ્ધ થયેલા સાધુઓ ગુરુ પાસે બેસે છે અને ગુરુ પણ શિષ્યોને હિતનું સ્મરણ થાય તેવાં હિતનાં વાક્યો કહે છે, જે સાંભળીને સંયમજીવનની કોઈ મર્યાદા સાધુઓને વિસ્મૃત થઈ ગઈ હોય તો તેનું સ્મરણ થાય, અને ફરી તેવી મર્યાદાનું વિસ્મરણ ન થાય તદર્થે સમ્યગૂ યત્ન થઈ શકે. માટે પ્રતિક્રમણ કર્યા પછી સર્વ સાધુઓ હિતવાક્યોના શ્રવણ માટે આચાર્ય પાસે બેસે છે. - આ રીતે વિનયપૂર્વક ગુરુ પાસે હિતોપદેશનું શ્રવણ કરવારૂપ ઉપકારી એવા ગુરુની આસેવન કરવાથી વિનયનું ઉલ્લંઘન થતું નથી. અહીં “વિનયનું પાલન થાય છે,” એમ ન કહેતાં “વિનયનું ઉલ્લંઘન થતું નથી,” એમ કહેવા દ્વારા એ જણાવવું છે કે જે સાધુઓ પ્રતિક્રમણ કર્યા પછી તરત પોતાની અન્ય પ્રવૃત્તિ કરવા માટે પ્રવૃત્ત થાય છે અને ગુરુ પાસે બેસતા નથી, તે સાધુઓ ઉપકારી એવા ગુરુનું આસેવન નહીં કરતા હોવાથી ઉપકારી એવા ગુરુના વિનયનું ઉલ્લંઘન કરે છે, જે મહાદોષરૂપ છે; અને જેઓ શાસ્ત્રમર્યાદા પ્રમાણે ગુરુ પાસે આવીને હિતોપદેશનું શ્રવણ કરે છે, તેઓ આવા પ્રકારના વિનયનું ઉલ્લંઘન કરતા નથી.
અહીં સુધીની સાંજના પ્રતિક્રમણની વિધિ છે. હવે આ વિધિ સંપૂર્ણ કર્યા પછી વર્તમાનનો જીતાચાર બતાવતાં ગ્રંથકાર કહે છે કે જીતાચારરૂપ આચરણા વડે વર્તમાનમાં મૃતદેવતા ક્ષેત્રદેવતા/ભવનદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. I૪૯ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org