________________
૧૧૦
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૪૮૦-૪૮૮ કે “દર્શન અને જ્ઞાન એ ચારિત્રનાં અંગ હોવાથી દર્શન અને જ્ઞાનની શુદ્ધિ કર્યા વગર પ્રથમ ચારિત્રની શુદ્ધિ કઈ રીતે થઈ શકે ? અને તેથી પ્રથમ કાયોત્સર્ગ ચારિત્રની શુદ્ધિનિમિત્તક કઈ રીતે હોઈ શકે? આથી રત્નત્રયીની શુદ્ધિનિમિત્તક કરાતા ત્રણ કાયોત્સર્ગમાં પ્રથમ કાયોત્સર્ગ ચારિત્રની શુદ્ધિ નિમિત્તે કરવો અનુચિત છે,” આ પ્રકારનો કોઈ વિચારક પુરુષને ભ્રમ થાય. આથી તે ભ્રમને દૂર કરવા માટે ગ્રંથકારે કહેલ છે કે શુદ્ધિ પશ્ચાનુપૂર્વીથી થાય છે અર્થાત્ પ્રથમ કાયોત્સર્ગ ચારિત્રની શુદ્ધિ માટે છે, અને પછીના કાયોત્સર્ગ દર્શન અને જ્ઞાનની શુદ્ધિ માટે છે, છતાં આત્મામાં શુદ્ધિ પ્રથમ દર્શન અને જ્ઞાનની થાય છે અને પછી ચારિત્રની શુદ્ધિ થાય છે. I૪૮૭ી. અવતરણિકા:
किमित्याह - અવતરણિયાર્થ:
ગાથા ૪૮૬માં કહેલ કે સૂત્રમાં થયેલ અતિચારોના શોધન માટે સાધુઓ શ્રુતજ્ઞાનનો કાયોત્સર્ગ કરે છે. હવે વિધિપૂર્વક તે કાયોત્સર્ગ પારીને સાધુઓ શું કરે છે? તે બતાવે છે – ગાથા :
सुद्धसयलाइआरा सिद्धाणथयं पढंति तो पच्छा ।
पुव्वभणिएण विहिणा किइकम्मं दिति गुरुणो उ ॥४८८॥ અન્વયાર્થ :
સુદ્ધસાગર–શુદ્ધ સકલ અતિચારોવાળા સાધુઓ સિદ્ધ થયં સિદ્ધોના સ્તવનેકસિદ્ધાણં બુદ્ધાણં સૂત્રને, પદ્ધતિ=બોલે છે. તો પચ્છ ત્યારપછી પુત્રમણિપુ=પૂર્વમાં કહેવાયેલ વિદT=વિધિ વડે ગુણો
ગુરુને જ વિફર્મે હિતિ=કૃતિકર્મને આપે છે=વંદન કરે છે. ગાથાર્થ:
શુદ્ધ સકલ અતિચારોવાળા સાધુઓ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રને બોલે છે, ત્યારપછી પૂર્વમાં કહેલા વિધિ વડે ગુરુને જ વંદન કરે છે. ટીકાઃ
शुद्धसकलातिचाराः सिद्धानां सम्बन्धिनं स्तवं पठन्ति 'सिद्धाणं इत्यादिलक्षणं, ततः पश्चात् पूर्वभणितेन विधिना कृतिकर्म वन्दनं ददति गुरवेऽपि (?गुरवे तु) आचार्यायैवेति गाथार्थः ॥४८८॥ નોંધઃ
ટીકામાં ગુરવેડપિ છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે ગુરવે તું હોવું જોઈએ. ટીકાર્ય :
શુદ્ધ થયા છે સકલ અતિચારો જેમના એવા સાધુઓ સિદ્ધોના સંબંધવાળા સિદ્ધાણં ઇત્યાદિના લક્ષણવાળા સ્તવને બોલે છે. તેનાથી પછી પૂર્વમાં કહેવાયેલ વિધિ વડે ગુરુને જ=આચાર્યને જ, કૃતિકર્મ વંદનને આપે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org