SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૪૮૦ ૧૦૯ ગાથાર્થ : વળી નિશ્ચયથી ચારિત્ર સાર છે, ચારિત્રનું દર્શન અને જ્ઞાન અંગ છે અને સારભૂત એવા ચારિત્રમાં યત્ન કરવો જોઈએ. તેથી પ્રથમ ચારિત્રનો, બીજો દર્શનનો અને ત્રીજો જ્ઞાનનો કાયોત્સર્ગ ક્રમસર બતાવેલ છે. અતિચારોની શુદ્ધિ પશ્ચાનુપૂર્વીથી થાય છે. ટીકા : व्याख्या कण्ठ्या ॥४८७॥ * પ્રસ્તુત ગાથાની વ્યાખ્યા કંક્ય છે સહેલી છે, આથી ગ્રંથકારે ટીકા લખી નથી. ભાવાર્થ : ચારિત્ર એ કર્મોથી મુક્તિનું સાક્ષાત્ કારણ હોવાથી નિશ્ચયનયથી સંસારમાં ચારિત્ર સાર છે; જોકે સંસારમાં જેમ ચારિત્ર સાર છે તેમ દર્શન અને જ્ઞાન પણ સાર છે, તોપણ દર્શન અને જ્ઞાન મોક્ષપ્રાપ્તિનાં સાક્ષાત્ કારણ નથી, પરંપરાએ કારણ છે; જ્યારે ચારિત્ર એ મોક્ષનું સાક્ષાત્ કારણ છે. આથી મોક્ષના અર્થી જીવોએ સારભૂત એવા ચારિત્રમાં યત્ન કરવો જોઈએ. વળી ચારિત્ર એ મોક્ષનું સારભૂત અંગ છે. માટે રત્નત્રયીની શુદ્ધિ નિમિત્તે કરાતા ત્રણ કાયોત્સર્ગમાં પ્રથમ ચારિત્રની શુદ્ધિનિમિત્તક કાયોત્સર્ગ કરવાનો છે; અને જેમ સારભૂત એવા ચારિત્રની શુદ્ધિ આવશ્યક છે, તેમ તે ચારિત્રના અંગભૂત એવા દર્શન અને જ્ઞાનની શુદ્ધિ પણ આવશ્યક છે. માટે સાધુએ ચારિત્રની શુદ્ધિનિમિત્તક કાયોત્સર્ગ કર્યા પછી દર્શન અને જ્ઞાનની શુદ્ધિનિમિત્તક કાયોત્સર્ગ ક્રમસર કરવાનો છે. અહીં ગાથાના ચરમ પાદમાં કહ્યું કે “શુદ્ધિ પશ્ચાનુપૂર્વીથી થાય છે.” એ કથનનું તાત્પર્ય એ છે કે આત્મામાં પ્રથમ દર્શન અને જ્ઞાનની શુદ્ધિ થાય છે. પછી ચારિત્રની શુદ્ધિ થાય છે. વળી જો દર્શન અને જ્ઞાનની શુદ્ધિ ન થાય, તો ચારિત્રની પણ શુદ્ધિ થતી નથી. આથી સાધુ પ્રથમ ચારિત્રની શુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કરે છે ત્યારે જીવમાં ચારિત્ર પ્રત્યે તીવ્ર પક્ષપાત પ્રગટે છે, અને તે તીવ્ર પક્ષપાતપૂર્વકનો વિશુદ્ધ ચારિત્રને અનુકૂળ એવો માર્ગાનુસારી ઊહ પ્રગટે છે; તેમાં ચારિત્ર પ્રત્યેના તીવ્ર પક્ષપાતથી દર્શનની શુદ્ધિ થાય છે, અને ચારિત્રને અનુકૂળ એવા ઊહના પ્રકટીકરણથી જ્ઞાનની શુદ્ધિ થાય છે, અને તે દર્શન અને જ્ઞાનની શુદ્ધિ થયા પછી ચારિત્રની શુદ્ધિ થાય છે. વળી ચારિત્રાદિ ત્રણેય નિમિત્તે કરાતા ત્રણે કાયોત્સર્ગકાળમાં જીવનો ચારિત્રની શુદ્ધિને ઉદ્દેશીને અને ચારિત્રના અંગભૂત દર્શન અને જ્ઞાનની શુદ્ધિને ઉદ્દેશીને એક ઉપયોગ પ્રવર્તે છે, જે ત્રણેય કાયોત્સર્ગકાળમાં એકવાક્યતાથી વર્તતા ઉપયોગ દ્વારા આત્મામાં પ્રથમ દર્શન અને જ્ઞાનની શુદ્ધિ થાય છે, અને તે બેની શુદ્ધિના બળથી ચારિત્રની શુદ્ધિ થાય છે. આ પ્રકારનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુતમાં ગ્રંથકારે કહેલ છે કે “શુદ્ધિ પશ્ચાનુપૂર્વીથી થાય છે.' વળી, કાયોત્સર્ગનો ક્રમ બતાવ્યા પછી “શુદ્ધિ પશ્ચાનુપૂર્વીથી થાય છે એ પ્રકારે ગ્રંથકારે સ્પષ્ટતા કરી ન હોત તો પૂલપ્રજ્ઞાથી એમ ભાસ થાત કે પહેલો કાયોત્સર્ગ ચારિત્રની શુદ્ધિનિમિત્તક છે, તેથી પ્રથમ કાયોત્સર્ગથી ચારિત્રની શુદ્ધિ થાય છે, અને પછી દર્શન અને જ્ઞાનની શુદ્ધિનિમિત્તક બે કાયોત્સર્ગ છે, તેથી પછીના બે કાયોત્સર્ગથી દર્શન અને જ્ઞાનની શુદ્ધિ થાય છે. અને તેમ સ્વીકારીએ તો વિચારકને પ્રશ્ન થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy