SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૮૩-૪૮૪ ગાથાર્થ : પ્રિયધર્મવાળા અને અવધથી ભીરુ એવા સાધુઓ કરેમિભૂત સૂત્ર બોલવાપૂર્વક, ચારિત્રની શુદ્ધિ માટે પચાસ ઉચ્છવાસના પ્રમાણવાળો કાયોત્સર્ગ કરે છે. ટીકા : ___ सामायिकपूर्वकं तं प्रतिक्रमणोत्तरकालभाविनं कायोत्सर्गं कुर्वन्ति चारित्रशोधननिमित्तं, किंविशिष्टाः सन्तः ? इत्याह – प्रियधर्माऽवद्यभीरवः पञ्चाशदुच्छासप्रमाणमिति गाथार्थः ॥४८३॥ ટીકાઈ: ચારિત્રના શોધનના નિમિત્તે=ચારિત્રને શુદ્ધ કરવા માટે, સામાયિકપૂર્વક તેને પ્રતિક્રમણના ઉત્તરના કાળમાં ભાવિ એવા કાયોત્સર્ગને=પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી થનારા કાયોત્સર્ગને, કરે છે. કેવા વિશિષ્ટ છતા સાધુઓ કાયોત્સર્ગને કરે છે ? એથી કહે છે – પ્રિયધર્મવાળા, અવદ્યથી ભીરુ એવા સાધુઓ પચાસ ઉચ્છવાસના પ્રમાણવાળા કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી, ક્ષમાપના કર્યા પછી, સર્વ સાધુઓ કરેમિ ભંતે સૂત્ર બોલવાપૂર્વક ચારિત્રવિષયક દુરાલોચિત અને દુષ્પતિક્રાંત એવા અતિચારોની શુદ્ધિ માટે પચાસ ઉચ્છવાસ પ્રમાણ બે લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે. વળી, સાધુને “પ્રિયધર્મ' અને “અવદ્યભીરુ” એ બે વિશેષણો આપવા દ્વારા એ કહેવું છે કે સાધુ પોતાના આત્મામાં ચારિત્રધર્મ પેદા કરવા માટે અત્યંત પ્રીતિવાળા હોય છે, અને કાયોત્સર્ગમાં કોઈ અતિચાર ન લાગે તેની ચિંતાવાળા હોય છે. તેથી ચારિત્રની શુદ્ધિનું કારણ બને તે રીતે સાધુ કાયોત્સર્ગ કરે છે, પરંતુ યથાતથા કરતા નથી. II૪૮all ગાથા : ऊसारिऊण विहिणा सुद्धचरित्ता थयं पकड्डित्ता । कटुंति तओ चेइअवंदणदंडं तउस्सग्गं ॥४८४॥ અવયાર્થ : વિશિT=વિધિ વડે સરિ=(કાયોત્સર્ગને) પારીને સુદ્ધરિત્તા=શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ થયંત્ર સ્તવનેકલોગસ્સ સૂત્રરૂપ ચતુર્વિશતિ સ્તવને, પવૃિત્તા=બોલીને તો=ત્યારપછી વેફર્વવંદુંચૈત્યવંદનદંડને=અરિહંતચેઈઆણં સૂત્રને, તિ=બોલે છે. તdi=ત્યારપછી કાયોત્સર્ગને (કરે છે.) ગાથાર્થ : વિધિ વડે કાયોત્સર્ગને પારીને, શુદ્ધચારિત્રવાળા સાધુઓ લોગસ્સ સૂત્રને બોલીને, ત્યારબાદ સવ્વલોએ અરિહંતચેઈઆણં સૂત્રને બોલે છે, ત્યારપછી કાયોત્સર્ગને કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy