________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૮૨-૪૮૩
૧૦૫
ટીકાર્ય :
આ ચારિત્રનો કાયોત્સર્ગ છે, તથા તૃતીય-ત્રીજો કાયોત્સર્ગ, દર્શનની શુદ્ધિના નિમિત્તે થાય છે. તેનું ત્રીજા કાયોત્સર્ગનું, ત્રીજાપણું પ્રારંભના કાયોત્સર્ગની અપેક્ષાથી છે=આવશ્યક્રિયાના પ્રારંભમાં કરાતા અતિચારોના ચિંતવનનિમિત્તક કાયોત્સર્ગની અપેક્ષાએ છે. ચતુર્થ= ચોથો કાયોત્સર્ગ, શ્રુતજ્ઞાનનો છે, અને આ રીતે જ=શ્રુતજ્ઞાનનો કાયોત્સર્ગ કર્યો એ રીતે જ, સિદ્ધોની સ્તુતિ, ત્યાર પછી કૃતિકર્મ વંદન થાય છે, એ પ્રમાણે સૂચાગાથાનો સમાસથી અર્થ છે. ભાવાર્થ : - સાધુઓ ખામણાં કર્યા પછી દુરાલોચિત અને દુષ્પતિક્રાંતિની શુદ્ધિ નિમિત્તે જે કાયોત્સર્ગ કરે છે, તે બીજો ચારિત્રનો કાયોત્સર્ગ છે; અર્થાત્ પહેલો કાયોત્સર્ગ અતિચારોના ચિંતવનરૂપ છે, જેમાં સાધુ “સયણાડસણડગ્ન ઇત્યાદિ ગાથા ચિંતવન કરે છે, બીજો કાયોત્સર્ગ ચારિત્રની શુદ્ધિ માટે છે, ત્યારબાદ ત્રીજો કાયોત્સર્ગ દર્શનની શુદ્ધિ માટે છે અને ચોથો કાયોત્સર્ગ શ્રુતજ્ઞાનની શુદ્ધિ માટે છે.
આ રીતે ચાર કાયોત્સર્ગ કર્યા પછી સિદ્ધોની સ્તુતિ કરવા માટે સાધુ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલે, ત્યારપછી વાંદણાં આપે છે.
આ ગાથા આવશ્યકની ક્રિયામાં ચારિત્રનો કાયોત્સર્ગ કર્યા પછી કરવાની ક્રિયાઓનું સૂચન કરનાર છે, જેના દરેક અવયવેના અર્થ આગળમાં કહેવાશે. I૪૮રા અવતરણિકા:
अवयवार्थमाह - અવતરણિકાર્ય :
પૂર્વની સૂચાગાથામાં બતાવેલ અવયવોના અર્થને કહે છે – ભાવાર્થ :
આવશ્યક અધિકારની ગાથા ૪૫૩માં બતાવેલ પ્રથમ સૂચાગાથાનો વિસ્તારાર્થ ગાથા ૪૫૪થી ૪૮૧ સુધી કર્યો. હવે પૂર્વગાથામાં બતાવેલ સૂચાગાથાનો વિસ્તારાર્થ ગાથા ૪૯૦ સુધી કરે છે – ગાથા :
सामाइअपुव्वगं तं करिति चारित्तसोहणनिमित्तं ।
पिअधम्मऽवज्जभीरू पण्णासुस्सासगपमाणं ॥४८३॥ અન્વયાર્થ :
fપમધHઆવપીરૂ-પ્રિયધર્મવાળા, અવદ્યથી ભીરુ એવા સાધુઓ સામમિપુત્ર સામાયિકપૂર્વક : કરેમિભંતે સૂત્ર બોલવાપૂર્વક, ચરિત્તલોદનિમિત્તે ચારિત્રના શોધનના નિમિત્તે પ00/સુસાસામા પચાસ ઉચ્છવાસના પ્રમાણવાળા, તં–તેને=પ્રતિક્રમણના ઉત્તરકાલભાવિ કાયોત્સર્ગને, િિત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org