SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૮૧ જે કારણથી ભાવપ્રધાન એવો સર્વ પણ સાધુનો યોગ-સૂત્રમાં કહેવાયેલો શ્રમણનો વ્યાપાર, તેનો પ્રત્યેનીક છે=સૂક્ષ્મ પ્રમાદનો પ્રત્યેનીક છે. આથી જ ભગવાન વડે કહેવાયેલ આનુપૂર્વીથી વિહિત અનુષ્ઠાનવાળા જીવો પ્રમાદને જીતીને વીતરાગ થાય છે, કેમ કે આ પ્રકારે તેની જેયતાનું જ સૂક્ષ્મ પ્રમાદને જીતવા યોગ્યપણાનું જ, ભગવાન દ્વારા જ્ઞાપિતપણું છે=જણાવાયેલપણું છે. અહીં=આ કથનમાં, બહુ વક્તવ્ય છેઃઘણું કહેવા યોગ્ય છે. “ઉત્ન' શબ્દ વિશેષણના અર્થવાળો છેઃ ભાવપ્રધાન એ પ્રકારે અર્થવાળો છે. “રૂતિ' કથનની સમાપ્તિમાં છે. પ્રસંગ વડે સર્યું. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: શિષ્ય શંકા કરે છે કે આલોચન કરતી વખતે થયેલ સૂક્ષ્મ પ્રમાદ પ્રતિક્રમણ કરવાથી જિતાય છે અને પ્રતિક્રમણ કરતી વખતે પણ થયેલ સૂક્ષ્મ પ્રમાદ કાયોત્સર્ગ કરવાથી જિતાય છે, તો કાયોત્સર્ગમાં પણ થયેલ સૂક્ષ્મ પ્રમાદ જીતવા માટે બીજો કાયોત્સર્ગ કરવો પડે, અને તે બીજા કાયોત્સર્ગમાં પણ થયેલ સૂક્ષ્મ પ્રમાદ જીતવા માટે ત્રીજો કાયોત્સર્ગ કરવો પડે. આ રીતે સૂક્ષ્મ પ્રમાદના જય માટે સદા ઇતર ઇતર કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવશે, એથી સદા કાયોત્સર્ગ ચાલ્યા કરશે તેને ગ્રંથકાર જવાબ આપતાં કહે છે કે સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવશે નહિ; કેમ કે સાધુનો ભાવપ્રધાન એવો સર્વ પણ વ્યાપાર સૂક્ષ્મ પ્રમાદનો પ્રત્યેનીક છે. આશય એ છે કે સાધુ સંયમની સર્વ ક્રિયાઓ ઉપયોગપૂર્વક કરનારા હોય છે. માટે પ્રાયઃ કરીને તેઓને પ્રમાદ સંભવતો નથી, આમ છતાં અનાદિકાળના અભ્યાસને કારણે ક્રિયાકાળમાં કોઈક પ્રમાદ થયો હોય, તો તે પ્રમાદને દૂર કરવા માટે સાધુ સવાર-સાંજના પ્રતિક્રમણમાં પ્રથમ ઉપયોગપૂર્વક સંયમજીવનમાં લાગેલ અતિચારોનું આલોચન કરે છે, જેનાથી પ્રાયઃ કરીને પ્રમાદને કારણે થયેલા પાપનો નાશ થઈ જાય છે; આમ છતાં જીવનો પ્રમાદનો સ્વભાવ હોવાથી આલોચનકાળમાં સમ્યગુ યત્ન કરેલ હોવા છતાં કોઈ સ્થાનમાં સૂક્ષ્મ પ્રમાદ થઈ જાય તો સર્વ પાપ નાશ પામે નહિ. માટે આલોચનકાળમાં અનાલોચિત પાપના પરિવાર અર્થે સાધુ આલોચના કર્યા પછી પ્રતિક્રમણ સૂત્ર બોલે છે, જેથી અનાલોચિત પાપ અવશ્ય નાશ પામે છે. છતાં ક્યારેક પ્રતિક્રમણકાળમાં પણ કોઈક સ્થાનમાં સૂક્ષ્મ પ્રમાદ થઈ જાય તો થોડુંક પાપ અવશિષ્ટ રહી જાય. આથી પ્રતિક્રમણકાળમાં દુષ્પતિક્રાંત પાપના નાશ માટે સાધુ કાયોત્સર્ગ કરે છે, જેથી સંયમયોગમાં ઉસ્થિત સાધુના દુષ્પતિક્રાંત સર્વ પાપ અવશ્ય નાશ પામે છે. જેમ કોઈ સ્થાનને એક-બે વખત સાફ કરવાથી ઘણો કચરો દૂર થઈ જાય, છતાં કોઈક સૂક્ષ્મ કચરો રહી ગયો હોય તો ત્રીજીવાર સાફ કરવાથી તો અવશ્ય સર્વ કચરો દૂર થઈ જાય; તેમ સાધુ પણ થયેલા પાપના નાશ માટે પ્રથમ ઉપયોગપૂર્વક આલોચન કરે, ત્યારબાદ અત્યંત ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરે; આમ છતાં કોઈક સૂક્ષ્મ પાપ રહી ગયેલ હોય તો અત્યંત ઉપયુક્ત થઈને કાયોત્સર્ગ કરે, જેથી તે સાધુનાં સર્વ પાપ અવશ્ય નાશ પામે છે; કેમ કે સાધુનો સર્વ પણ વ્યાપાર ભાવપ્રધાન અર્થાત્ પરિણામમાં મુખ્યત્વવાળો, હોય છે. આથી સંયમની ક્રિયામાં સાધુને પ્રાય: પ્રમાદકૃત પાપ લાગતું નથી, છતાં અનાભોગ-સહસાકારથી ક્યારેક પ્રમાદકૃત પાપ થઈ ગયું હોય તો સાધુ તે પાપની શુદ્ધિ અર્થે ભાવપ્રધાન થઈને આલોચન અને પ્રતિક્રમણ કરે છે અર્થાત્ જે પ્રકારની આલોચના કરે અને જે પ્રકારે પ્રતિક્રમણ કરે છે તે પ્રકારના ભાવમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy