________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ’ દ્વાર / ગાથા ૪૮૧
અન્વયાર્થ:
તત્ત્વ વિ ==અને ત્યાં પણ=બીજા કાયોત્સર્ગમાં પણ, નો=જેસૂક્ષ્મ પ્રમાદ, થાય તો વિ=એ પણ થરેળ=ઇતર વડે=બીજા કાયોત્સર્ગથી ઇતર એવા ત્રીજા કાયોત્સર્ગ વડે, ખીમ=જિતાય છે. (એ રીતે સદા ઇતર-ઇતર કાયોત્સર્ગનું કરણ થશે. તેથી કહે છે –) ળ ય સયા ાળું=અને (કાયોત્સર્ગનું) સદા કરણ નથી. નં=જે કારણથી હતુ=ભાવપ્રધાન એવો સોવિ=સર્વ પણ સાદુંનોનો=સાધુનો યોગ તપળીઓ તેનો પ્રત્યનીક છે–સૂક્ષ્મ પ્રમાદનો શત્રુ છે.
* “દુ વાક્યાલંકારમાં છે.
* ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે.
ગાથાર્થ:
અને બીજા કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થાય, એ પણ ત્રીજા કાયોત્સર્ગ વડે જિતાય છે. એ રીતે સદા ઇતર-ઇતર કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવશે. તેથી ગ્રંથકાર કહે છે કે સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવશે નહીં, જે કારણથી ભાવપ્રધાન એવો સર્વ પણ સાધુનો વ્યાપાર સૂક્ષ્મ પ્રમાદનો શત્રુ છે.
ટીકા
तत्राऽपि च इतरकायोत्सर्गे यः पूर्वोक्तयुक्त्या पतितः सूक्ष्मः प्रमादः, तकोऽपि = असावपि जीयते = तिरस्क्रियते यदितरेण तदुत्तरकालभाविना कायोत्सर्गेण, तत्राऽपि यः असावपीतरेण, स्यादेतद्, एवं सदा कायोत्सर्गकरणापत्तिरित्याशङ्क्याह - न च सदा करणं कायोत्सर्गस्येति गम्यते, कुत इत्याह - सर्वोऽपि साधुयोग:-सूत्रोक्तः श्रमणव्यापारः यस्मात्, खलुशब्दो विशेषणार्थः = भावप्रधान इत्यर्थः, तत्प्रत्यनीक इति सूक्ष्मप्रमादप्रत्यनीकः; अत एव भगवदुक्तानुपूर्व्या विहितानुष्ठानवन्तो विनिर्जित्य प्रमादं वीतरागा भवन्ति, इत्थं जेयताया एव तस्य भगवद्भिः ज्ञाततत्त्वा (? ज्ञापितत्वात्, अत्र) बहु वक्तव्यम् इति, अलं प्रसङ्गेनेति ગાથાર્થ: ।।૪૮૬૫
નોંધઃ
૧૦૧
ટીકામાં જ્ઞાતતત્ત્વા વધુ વત્તવ્યમ્ છે તેને સ્થાને જ્ઞાપિતત્વાત્, અત્ર વધુ વવ્યમ્ હોય તેમ ભાસે છે. ટીકાર્ય :
અને ત્યાં પણ=ઇતર કાયોત્સર્ગમાં પણ, પૂર્વમાં કહેવાયેલ યુક્તિથી પતિતપ્રાપ્ત થયેલ, એવો જે સૂક્ષ્મ પ્રમાદ થાય છે, એ પણ જે કારણથી તેનાથી ઉત્તરના કાળમાં થનાર એવા ઇતર કાયોત્સર્ગ દ્વારા જિતાય છે=તિરસ્કાર કરાય છે. ત્યાં પણ=ત્રીજા કાયોત્સર્ગમાં પણ, જે સૂક્ષ્મ પ્રમાદ થાય એ પણ ઇતર દ્વારા–ત્યારપછી થનાર એવા ચોથા કાયોત્સર્ગ દ્વારા, જિતાય છે.
આ થાય=આટલા કથનથી હવે કહે છે એ પ્રાપ્ત થાય. આ રીતેઽદરેક કાયોત્સર્ગમાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રમાદ થાય એ રીતે, સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ છે. એ પ્રકારની આશંકા કરીને કહે છે
અને કાયોત્સર્ગનું સદા કરણ નથી અર્થાત્ સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવશે નહીં. કયા કારણથી ? અર્થાત્ સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ કયા કારણથી આવશે નહિ ? એથી કહે છે—
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org