SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૮૦-૪૮૧ તે સૂક્ષ્મ પ્રમાદ, જિતાયે છતે અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણમાં પણ જે કોઈ અશુદ્ધિ રહી ગયેલ હોય તે અશુદ્ધિના નિવર્તનમાં થયેલ પ્રમાદ કાયોત્સર્ગથી જિતાયે છતે, તેના જયના કરણમાં=અધિકૃત એવા સૂક્ષ્મ પ્રમાદના જયના કરણમાં, કઈ અનવસ્થા છે ? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સંસારમાં પ્રમાદબહુલ એવો જીવ પ્રમાદની ભાવનાથી ભાવિત જ છે. આથી પ્રમાદને કારણે સંયમજીવનમાં કોઈ સ્કૂલના થઈ હોય, તો તેની શુદ્ધિ માટે સાધુ આલોચન અને પ્રતિક્રમણ કરે છે, અને તે આલોચન અને પ્રતિક્રમણમાં પણ પ્રમાદને કારણે સમ્યમ્ યત્ન ન થયો હોય તો સર્વ પાપ નાશ ન પામે, આથી સર્વ પાપની વિશુદ્ધિ માટે સાધુ તે પછી કાયોત્સર્ગ કરે છે. - તેમાં શિષ્ય પ્રશ્ન કરે છે કે આ રીતે કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થઈ શકે છે. તેથી કાયોત્સર્ગમાં થયેલ સૂક્ષ્મ પ્રમાદના જય માટે બીજો કાયોત્સર્ગ કરવો પડે, અને બીજા કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થઈ શકે છે, તેથી ત્રીજો કાયોત્સર્ગ કરવો પડે, આ રીતે અનવસ્થા દોષ પ્રાપ્ત થશે. તેને ગ્રંથકાર જવાબ આપે છે કે આલોચન અને પ્રતિક્રમણમાં રહી ગયેલ સૂક્ષ્મ પ્રમાદનો કાયોત્સર્ગમાં જય કરી લેવાથી અનવસ્થા દોષ પ્રાપ્ત થશે નહીં. આશય એ છે કે સાધુ આલોચનાની ક્રિયામાં સમ્યગુ યત્ન કરે તેનાથી પ્રાયઃ તેના પાપની શુદ્ધિ થઈ જાય છે, છતાં અનાભોગથી પાપની કાંઈક શુદ્ધિ ન થઈ હોય તો સાધુ તેવા દુરાલોચિત પાપની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરે છે, અને તે પ્રતિક્રમણકાળમાં કરાતા યત્નથી આલોચનાકાળમાં જે પાપની શુદ્ધિ થઈ ન હતી, તે દુરાલોચિત પાપની પ્રાયઃ શુદ્ધિ થઈ જાય છે, છતાં તે પ્રતિક્રમણકાળમાં પણ કોઈ સ્થાને જીવમાં માર્ગાનુસારી એવો સૂક્ષ્મ ઊહ પ્રગટ્યો ન હોય તો તેટલા અંશમાં પાપની શુદ્ધિ ન થાય, આથી સાધુ તેવા દુષ્પતિક્રાંત પાપની શુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કરે છે; અને તે કાયોત્સર્ગકાળમાં કરાતા દઢ યત્નથી તે દુરાલોચિત અને દુષ્પતિક્રાંત પાપની શુદ્ધિ અવશ્ય થાય છે. આથી જે સાધુઓ આવશ્યકક્રિયામાં દઢ યત્નપૂર્વક આલોચન, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ કરે છે, તેઓ પાપનાશને અનુકૂળ વીર્યનો સંચય કરે છે, અને સંચિતવીર્યવાળા તે સાધુઓ કદાચ કોઈ પાપ અવશેષ રહેલ હોય તો તેનો પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી કરાતા કાયોત્સર્ગમાં અવશ્ય નાશ કરે છે, તેથી વારંવાર કાયોત્સર્ગ કરવારૂપ અનવસ્થા દોષની પ્રાપ્તિ થશે નહીં. ૪૮oll અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે આલોચન અને પ્રતિક્રમણમાં જે કોઈ સૂક્ષ્મ પ્રમાદ થયો હોય, તેનો કાયોત્સર્ગમાં જય થઈ જવાથી ઇતરઇતર કાયોત્સર્ગની અનવસ્થા ચાલશે નહિ. ત્યાં શિષ્ય કહે છે કે કાયોત્સર્ગમાં પ્રસાદ જિતાઈ જાય તો અનવસ્થા ન ચાલે, પરંતુ કોઈ સાધુને કાયોત્સર્ગમાં પણ પ્રમાદ જિતાયો નહિ, તો તેને બીજો કાયોત્સર્ગ કરવો પડશે, આથી ઇતર-ઇતર કાયોત્સર્ગની અનવસ્થા ચાલશે. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે – ગાથા: तत्थ वि अ जो तओ वि हु जीअइ इयरेण ण य सया करणं । सव्वो वि साहुजोगो जं खलु तप्पच्चणीओ त्ति ॥४८१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy