________________
પ્રતિદિનક્રિયાવસ્તુક, “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૦૮
અવતરણિકા :
ગાથા ૪૭રથી ૪૭૪માં ખામણાં કરવાની વિધિ બતાવી. ત્યારપછી આનુષંગિકરૂપે જીતકલ્પનું સ્વરૂપ બતાવીને ત્યારપછી ગાથા ૪૭૭માં તે ખામણાંવિષયક જ વિધિની વિશેષથી સ્પષ્ટતા કરી. હવે દેવસિક પ્રતિક્રમણમાં સાધુઓ ખામણાં કર્યા પછી શું કરે છે? તે બતાવે છે – ગાથા :
खामित्तु तओ एवं करिति सव्वे वि नवरमणवज्जं ।
रेसिम्मि दुरालोइअदुप्पडिकंतस्स उस्सग्गं ॥४७८॥ અન્વયાર્થ:
વં=આ પ્રકારે=ગાથા ૪૭રથી ૪૭૪માં બતાવ્યું એ પ્રકારે, સ્વામિg=ખમાવીને તો ત્યારપછી સર્વે વિસર્વ પણ સાધુઓ ટુરીસ્નોફMડિત દુરાલોચિત-દુષ્પતિક્રાંતના સમ=વિષયમાં માવળં ૩રૂપ અનવદ્ય ઉત્સર્ગનેત્રસમ્ય કાયોત્સર્ગને, રિતિ કરે છે. * ‘નવર' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
ગાથા ૪૦થી ૪૦૪માં બતાવ્યું એ પ્રકારે ખમાવીને ત્યારબાદ સર્વ પણ સાધુઓ દુરાલોચિતદુપ્રતિક્રાંતના વિષયમાં સમ્યગુ કાયોત્સર્ગ કરે છે. ટીકા :
क्षमयित्वा ततः तदनन्तरं एवम् उक्तेन प्रकारेण कुर्वन्ति सर्वेऽपि साधवः नवरमनवयं सम्यगित्यर्थः रेखे दुरालोचितदुष्प्रतिक्रान्तयोः तन्निमित्तमिति भावः कायोत्सर्गमिति गाथार्थः ॥४७८॥ ટીકાર્થ:
આ પ્રકારે=કહેવાયેલ પ્રકારથી, ખમાવીને ત્યાર પછી સર્વ પણ સાધુઓ દુરાલોચિત અને દુષ્પતિક્રાંતના વિષયમાં તેના નિમિત્તે=નહીં આલોચન કરાયેલા અને નહીં પ્રતિક્રમણ કરાયેલા અતિચારોના શોધન માટે, અનવદ્ય=સમ્યગુ, કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૪૭૨થી ૪૭૪માં બતાવ્યું એ રીતે, આચાર્યાદિને ક્ષમાપના કર્યા પછી સર્વ સાધુઓ કાયોત્સર્ગ કરે છે, અને તે કાયોત્સર્ગ કરવાનો હેતુ એ છે કે પૂર્વમાં જે અતિચારોનું આલોચન કર્યું હતું, અને પગામસિજ્જાસૂત્ર બોલવા દ્વારા અતિચારોનું પ્રતિક્રમણ કર્યું હતું, તેમાં કોઈક પાપ દુરાલોચિત હોય અને દુષ્પતિક્રાંત હોય, તો તેની શુદ્ધિ માટે સાધુઓ સમ્યપ્રકારે કાયોત્સર્ગ કરે છે, જેથી આલોચન અને પ્રતિક્રમણ કરતી વખતે રહી ગયેલ કોઈ ક્ષતિથી કોઈ પાપ નાશ પામ્યું ન હોય તો કાયોત્સર્ગ દ્વારા નાશ પામે. I૪૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org