________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૦૬-૪૦૦
ગાથાર્થ :
અશઠ એવા કોઈક વડે જે અસાવધ કોઈક દ્રવ્યાદિમાં આચરાયું અને અન્ય ગીતાર્થો વડે નિવારાયું નહીં, એ આચરિત બહુને અનુમત છે. ટીકા : ___ अशठेन समाचरितं यत् किञ्चिद् क्वचित् द्रव्यादौ केनचित् प्रमाणस्थेन असावद्यं प्रकृत्या, न निवारितम् अन्यैश्च गीतार्थेश्चारुत्वादेव, इत्थं बहनुमतमेतदाचरितमिति गाथार्थः ॥४७६॥ ટીકાર્ય :
અશઠ એવા કોઈક પ્રમાણસ્થ વડે જે કાંઈ પ્રકૃતિથી અસાવદ્ય કોઈક દ્રવ્યાદિમાં આચરાયું અને અન્ય ગીતાર્થો વડે ચારુત્વ હોવાથી જ=તે નવા અસાવધ આચરણનું સુંદરપણું હોવાથી જ, ન નિવારાયું, આ રીતે આ આચરાયેલ બહુને અનુમત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
કોઈક પ્રામાણિક ગીતાર્થ પુરુષે અશઠ ભાવથી વિષમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં કંઈક અસાવદ્ય આચરેલું હોય, અને અન્ય ગીતાર્થો દ્વારા તેનું નિવારણ ન કરાયું હોય; કેમ કે અન્ય ગીતાર્થો જાણતા હોય છે કે આ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં આ પ્રવૃત્તિ ઉચિત છે, તો આ રીતે આચરિત એવો આચાર બહુમત છે અર્થાત્ ઘણા ગીતાર્થોને સંમત છે.
એ રીતે વર્તમાનમાં પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા બાદ પૂર્વાચાર્યોએ ત્રણ સાધુઓને જ ખામણાં કરવાનો વ્યવહાર આચરેલ છે, અને અન્ય ગીતાર્થોએ તેનું નિવારણ કરેલ નથી, માટે પૂર્વાચાર્યોએ આચરેલ તે ત્રણ સાધુઓને જ ખામણાં કરવાનો વ્યવહાર ભગવાનના વચનાનુસાર છે, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ભાવ છે. I૪૭૬ll અવતરણિકા :
अमुमेवार्थं विशेषेणाह - અવતરણિકાઈઃ
આ જ અર્થને=ગાથા ૪૭૨માં બતાવ્યો એ જ અર્થને, વિશેષથી કહે છે – ભાવાર્થ:
ગાથા ૪૭રમાં કહેલ કે ભાવથી આવા પ્રકારના પરિણામવાળા સાધુઓ પ્રથમ આચાર્યને ખમાવે છે, અને આચાર્ય જ્યેષ્ઠ ન હોય તો આચાર્ય પણ તે જ્યેષ્ઠ સાધુને ખમાવે છે, એ જ અર્થને વિશેષથી બતાવે છે –
ગાથા :
विअडणपच्चक्खाणे सुए अ रयणाहिआ वि उ करिति । मज्झिल्ले ण करेंती सो चेव य तेसि पकरेइ ॥४७७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org