SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ લજ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર | ગાથા ૪૦૫-૪૦૬ અહીં વિશેષ એ છે કે ખામણાંની ક્રિયા સાધુ જયેષ્ઠ સાધુઓના ગુણો પ્રત્યેના પૂજયભાવની વૃદ્ધિ થાય તે પ્રકારની માનસિક વૃતિપૂર્વક કરે છે, જેથી તેઓના ગુણો પ્રત્યેના વધતા જતા બહુમાનથી પોતાના સંયમની શુદ્ધિ થાય. વળી વર્તમાનના જીવોમાં તેવા પ્રકારની માનસિક વૃતિનો અભાવ છે, તેથી ઘણા બધા સાધુઓને ખામણાં કરવાનાં હોય તો વર્તમાનના સાધુઓ તે તે પ્રકારના અહોભાવપૂર્વક સર્વને ખામણાં કરી શકે નહીં. માટે વર્તમાનમાં ગીતાર્થોએ ત્રણ સાધુઓને જ ખામણાં કરવાની મર્યાદા રાખી છે, જેથી આરાધક સાધુ તે તે પ્રકારની માનસિક વૃતિપૂર્વક ખામણાં કરીને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત કરી શકે. વળી વર્તમાનમાં કાળદોષને કારણે પ્રથમ વગરે સંઘયણનો અભાવ હોવાથી જો સાધુ ઘણા સાધુઓને ખામણાં કરે તો તે ખામણાં કરનાર સાધુ શ્રાંત થઈ જાય, અને તેથી સર્વને યથાતથા ખામણાં કરે, જેથી અનાદરને કારણે તે સાધુને કર્મબંધની પ્રાપ્તિ થાય. માટે પણ વર્તમાનમાં ત્રણ સાધુઓને ખામણાં કરવાની પૂર્વાચાર્યોએ નવી સામાચારી સ્થાપી છે. વળી વર્તમાનમાં સંયમને અનુકૂળ એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો અભાવ છે, જેથી સાધુઓ પરિપૂર્ણ શુદ્ધ સામાચારી પાળી શકે તેવા સંયોગોનો પણ અભાવ છે. આથી સાધુઓના ધૃતિબળની હાનિ ન થાય તે માટે વર્તમાનમાં ત્રણ સાધુઓને ખામણાં કરવાની મર્યાદા છે. વળી સિદ્ધાંતમાં સાધુને નિરપવાદ સામાચારી પાળવાની મર્યાદા બતાવી છે, તે મર્યાદાની વર્તમાનમાં કાળદોષને કારણે હાનિ થઈ હોવાથી છેલ્લા બે સાધુને છોડીને સર્વ સાધુઓને ખમાવવારૂપ નિરપવાદ સામાચારીનું પાલન દુષ્કર છે. માટે વર્તમાનમાં અપવાદવાળી સામાચારીના પાલનની મર્યાદા અનુસાર ગુરુ અને અન્ય બે જ્યેષ્ઠ સાધુને ખામણાં કરવારૂપ જીતવ્યવહાર પ્રવર્તે છે. II૪૭પી. અવતરણિકા: એવા – અવતરણિયાર્થ: પૂર્વગાથામાં આચરિતકલ્પની પ્રવૃત્તિ બતાવી. તે જ આચરિતકલ્પની પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય? તે મહવાથી બીજી રીતે બતાવે છે – ગાથા : असढेण समाइण्णं जं कत्थइ केणई असावज्जं । न निवारिअमण्णेहिं अ बहुमणुमयमेअमाइण्णं ॥४७६॥ અન્વયાર્થ: મા અશઠ એવા કોઈક વડે # માવળં=જે અસાવદ્ય થરૂ ક્યાંક=કોઈક દ્રવ્યાદિમાં, સમાફ00ાં આચરાયું, મUર્દિક અને અન્ય ગીતાર્થો વડે નિવા િનઃનિવારાયું નહિ, મારૂuu વંદું ગમયંત્રએ આચરિત બહુને અનુમત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy