SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર | ગાથા ૪૫-૪૬૬ પ્રાયશ્ચિત્ત કવતિ–ઉપદેશે છે=આપે છે, તેં તેને તે પ્રાયશ્ચિત્તને, મUવસ્થપામી=અનવસ્થાના પ્રસંગથી ભીત એવા સાધુએ તદતે રીતે પ્રસ્તુરિઝળંકઆચરવું જોઈએ. ગાથાર્થ : માર્ગના જાણકાર એવા ગુરુ સેવેલા અતિચારનું જે પ્રાયશ્ચિત્ત આપે છે, તે પ્રાયશ્ચિત્તને અનવસ્થાના પ્રસંગથી ભય પામેલા સાધુએ તે રીતે આચરવું જોઈએ. ટીકાઃ ___ तस्य च आसेवितस्य प्रायश्चित्तं यन्मार्गविद्वांसो गुरव उपदिशन्ति सूत्रानुसारतः, तत्तथा अनुचरितव्यमनवस्थाप्रसङ्गभीतेन, प्रसङ्गश्च ‘एक्केण कयमकज्जं' इत्यादिना प्रकारेणेति गाथार्थः ॥४६५॥ * ટીકામાં બતાવેલ “યમન્ન' ઇત્યાદિ પ્રકારવાળો અનવસ્થાનો પ્રસંગ બૃહત્કલ્પસૂત્રની ૯૨૮મી ભાષ્યગાથામાં પણ છે, અને પ્રસ્તુત ગ્રંથની પ૯૧ ગાથામાં પણ છે. ટીકાર્ચઃ અને માર્ગને જાણનારા ગુરુ, આસેવિત એવા તેનું-આસેવન કરાયેલા પાપનું, જે પ્રાયશ્ચિત્ત સૂત્રના અનુસારથી ઉપદેશે છે, તે પ્રાયશ્ચિત્ત અનવસ્થાના પ્રસંગથી ભય પામેલા સાધુએ તે રીતે આચરવું જોઈએ, અને પ્રસંગ “એક વડે અકાર્ય કરાયું” ઇત્યાદિ પ્રકારથી થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુએ માર્ગ જાણનાર એવા ગુરુ પાસેથી આલોચના લેવાની છે, અન્ય પાસેથી નહીં; અને માર્ગ જાણનાર ગુરુ શિષ્યને શાસ્ત્રાનુસારે પ્રાયશ્ચિત્ત આપે છે. તેથી ગુરુ જે પ્રાયશ્ચિત્ત જે પ્રકારે આપે તે પ્રાયશ્ચિત્તને સાધુ તે પ્રકારે આચરે તો તેના વડે લેવાયેલ પાપની શુદ્ધિ થાય. વળી, “અનવસ્થાના પ્રસંગથી ભય પામેલા મુનિએ પ્રાયશ્ચિત્ત તે રીતે આચરવું જોઈએ,” એ કથનનો આશય એ છે કે ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધા પછી તે પ્રકારે સેવવામાં ન આવે તો દોષની અનવસ્થા ચાલે. દા.ત. એક સાધુ અકાર્ય સેવ્યા બાદ ગ્રહણ કરેલ પ્રાયશ્ચિત્તનું સેવન કરે નહીં, તો તેને જોઈને અન્ય સાધુ પણ અકાર્ય સેવીને ગ્રહણ કરેલ પ્રાયશ્ચિત્તનું સેવન કરે નહિ. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તને નહીં સેવવાની પરંપરા ચાલે, અને તેવી અનવસ્થા ચાલવાથી માર્ગનો નાશ થાય. અને તે માર્ગનો નાશ કરવામાં નિમિત્તકારણ, ગ્રહણ કરેલ પ્રાયશ્ચિત્તને નહીં સેવનાર સાધુ બને છે. માટે માર્ગનાશમાં નિમિત્ત બનવારૂપ અનવસ્થાપ્રસંગથી ભય પામેલા સાધુએ ગુરુએ જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે પ્રમાણે આચરવું જોઈએ, જેથી અનવસ્થાદોષ ન થાય. ll૪૬પી. અવતરણિકા प्रकृतमाह - અવતરણિયાર્થ: પ્રકૃતિને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy