SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુકા“પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૮૧-૨૮૨ દેશ અને કાળના આમયો પ્રતિ=રોગો પ્રત્યે, તે અવસ્થા ઉત્પન્ન થાય છે જ, જેમાં જે અવસ્થામાં, અકાર્ય કાર્ય થાય= કરવા યોગ્ય થાય, અને કાર્ય કર્મ-કરવા યોગ્ય કૃત્ય, વર્જવા યોગ્ય થાય” એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : આયુર્વેદશાસ્ત્રમાં કહ્યું છે કે અમુક રોગ માટે જે ઔષધાદિ અકર્તવ્ય હોય, તે જ ઔષધાદિ અમુક દેશકાળને આશ્રયીને તે રોગ માટે કર્તવ્ય બને; અને જે કર્તવ્ય એવી ક્રિયા હોય તે ક્રિયા અમુક દેશ-કાળને આશ્રયીને અકર્તવ્ય બને. તેથી એ નક્કી થાય છે કે “આ કર્તવ્ય જ છે અને આ અકર્તવ્ય જ છે,” તેવો એકાંતે નિયમ નથી; પરંતુ અમુક રોગાવસ્થામાં તે દેશ-કાળ પ્રમાણે જે કર્તવ્ય હોય તે અન્ય દેશ-કાળને આશ્રયીને અકર્તવ્ય બને છે. તેથી જે રીતે રોગ શમે તે રીતે ઔષધમાં ફેરફાર કરવો પડે. આ રીતે આત્માના રાગાદિરૂપ ભાવરોગો જે અનુષ્ઠાનવિશેષ કરવાથી નાશ પામતા હોય તે અનુષ્ઠાનવિશેષ મોક્ષનો ઉપાય છે. તેથી ભગવાને કોઈપણ કૃત્યમાં એકાંતે વિધિ કે નિષેધ કર્યો નથી. આથી એ ફલિત થયું કે પૂર્વના અપ્રમત્ત મુનિઓને પાત્રપડિલેહણ કર્યા પછી પાત્રા પોતાની પાસે જ રાખવાની વિધિ હતી, છતાં કાળના દોષને કારણે મુનિઓ એટલા અપ્રમત્ત નહીં રહી શકવાથી, પડિલેહણ કર્યા પછી જો પાત્રા પોતાની પાસે જ રાખે તો પ્રમાદને કારણે વારંવાર પાત્રા ફૂટી જવાનો ભય રહે, અને પાત્રાની જો અત્યંત યતના કરવા જાય તો સ્વાધ્યાયાદિમાં વિક્ષેપ થાય, અને સતત પાત્રાની ચિંતામાં તેઓનું ચિત્ત પરોવાયેલું રહે, જેના કારણે સ્વાધ્યાય વગેરે અન્ય ક્રિયાઓ સારી રીતે કરીને વિશેષ ભાવની નિષ્પત્તિ તેઓ ન કરી શકે. માટે વર્તમાનકાળમાં પૂર્વપુરુષોએ પાત્રાને ખીંટી વગેરે ઉપર મૂકવાનો વ્યવહાર અપવાદથી સ્વીકારેલ છે, જેથી સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ દ્વારા મુનિઓ વિશેષ પ્રકારનો અપ્રમાદભાવ કરીને કર્મોનો નાશ કરી શકે. પૂર્વના મહર્ષિઓ પ્રકૃતિથી જ અત્યંત ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોવાથી, પડિલેહણ કર્યા પછી પાત્રા બાજુમાં મૂકી રાખે તોપણ તેઓને સહસા પાત્રા ભાંગવાનો ભય રહેતો ન હતો, અને તેઓના સ્વાધ્યાયાદિમાં પણ વિક્ષેપ થતો ન હતો. તેથી તેઓ માટે પૂર્વનો વ્યવહાર જ ઉચિત હતો. આમ, ભગવાને દેશ-કાળને સામે રાખીને કર્તવ્ય-અકર્તવ્યમાં ફેરફાર કરવાની અનુજ્ઞા આપેલ છે. ll૨૮૧|| અવતરણિકા: उक्तमानुषङ्गिकं , प्रकृतमाह - અવતરણિયાર્થ: આનુષંગિક કહેવાયું, હવે પ્રકૃતિને કહે છે – ભાવાર્થ : ગાથા ૨૭૬માં પાત્રપડિલેહણની વિધિ બતાવીને ગાથા ૨૭૭ માં ગૃહસ્થ પાસેથી વહોરેલા નવા પાત્રાનું પ્રસ્ફોટન કરવાની વિધિ બતાવી. ગાથા ૨૭૬માં કહેલ કે ઋતુબદ્ધકાળમાં પાત્રાને પોતાની પાસે રાખે, તેના વિષયમાં વર્તમાનમાં પાત્રાને ખીંટી વગેરે ઉપર મૂકવાની વિધિ છે. ત્યાં કોઈને શંકા થાય કે “જેમ અનુકૂળતા પ્રમાણે પાત્રાને ખીંટી પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy