________________
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રભુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૬૨
૫૩
ગાથા :
अप्पडिलेहिय दोसा आणाई अविहिणा वि ते चेव।
तम्हा उ सिक्खिअव्वा पडिलेहा सेविअव्वा य ॥२६२॥दारं ॥ અન્વયાર્થ:
Mડનૈદિક(ઉપધિ) અપ્રત્યુપેક્ષિત હોતે છતે સારું હો=આજ્ઞા આદિ આજ્ઞાભંગાદિ, દોષો થાય છે, વિહિUT વિ=અવિધિથી પણ (પ્રત્યુપેક્ષિત હોતે છતે) તે ચેવો જ=આજ્ઞાભંગાદિ દોષો જ, થાય છે. તફતે કારણથી જ પવિત્રે= પ્રત્યુપેક્ષણા સિવિશ્વવ્યા=શીખવી જોઈએ તેવિકવ્યા =અને સેવવી જોઈએ. ગાથાર્થ :
ઉપધિ અપ્રત્યુપેક્ષિત હોતે છતે આજ્ઞાભંગાદિ દોષો થાય છે, અવિધિથી પણ પ્રત્યુપેક્ષિત હોતે જીતે આજ્ઞાભંગાદિ જ દોષો છે. તે કારણથી જ પ્રત્યુપેક્ષણા શીખવી જોઈએ અને સેવવી જોઈએ. ટીકાઃ
अप्रत्युपेक्षिते उपधाविति गम्यते दोषाः आज्ञादयः आज्ञाऽनवस्थादयः, अविधिनाऽपि प्रत्युपेक्षिते त एव दोषा इति, यस्मादेवं तस्माच्छिक्षितव्या प्रत्युपेक्षणेति तदुपलक्षिता प्रमार्जनादिक्रिया, सेवितव्या च यथाऽऽगममिति गाथार्थः ॥२६२॥ ટીકાર્ય
ઉપધિ અપ્રત્યુપેક્ષિત હોતે છત–ઉપધિનું પ્રત્યુપેક્ષણ નહીં કરાયે છતે, આજ્ઞાદિ આજ્ઞાભંગ-અનવસ્થાદિ, દોષો થાય છે; અવિધિથી પણ પ્રત્યુપેક્ષિત હોતે છતે=ઉપધિનું પ્રત્યુપેક્ષણ અવિધિથી કરાયે છતે પણ, તે જ=આજ્ઞાભંગાદિ જ, દોષો થાય છે. જે કારણથી આમ છે તે કારણથી પ્રત્યુપેક્ષણા શીખવી જોઈએ. તેનાથી ઉપલક્ષિત પ્રત્યુપેક્ષણાથી ઉપલક્ષિત, એવી પ્રમાર્જનાદિ ક્રિયા શીખવી જોઈએ, અને યથાઆગમ-જે પ્રમાણે આગમમાં કહ્યું છે તે પ્રમાણે, સેવવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ઉપધિની પ્રતિલેખના ન કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને છકાયની વિરાધના એમ ચાર દોષો થાય છે, અને અવિધિથી પ્રતિલેખના કરવાથી પણ તે જ ચાર દોષો થાય છે. આથી પ્રતિલેખનાની વિધિ જાણવી જોઈએ, અને આગમમાં કહ્યા મુજબ આચરવી જોઈએ. તેમ જ પ્રતિલેખનાના ઉપલક્ષણથી પ્રમાર્જનાદિ ક્રિયા પણ શીખવી જોઈએ અને આચરવી જોઈએ.
જો આ પ્રતિલેખના વિપરીત કરવામાં આવે, કે ન કરવામાં આવે, તો ભગવાનની આજ્ઞાનો ભંગ થાય, માટે આજ્ઞાભંગરૂપ દોષ લાગે. તેને જોઈને અન્ય પણ તેવી અવિધિવાળું પડિલેહણ કરતા થાય, તેથી અનવસ્થા એટલે કે અવિધિની પરંપરારૂપ દોષ લાગે. “માનવસ્થાલય:”માં “મરિ' પદથી છકાયની વિરાધના અને મિથ્યાત્વનું ગ્રહણ છે અને તે આ રીતે
થાય –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org