SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/ પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૨-૨૪૩ રક્ષણવિષયક પોતે કરેલ પ્રતિજ્ઞાનો સમ્યગૂ નિર્વાહ થાય અને શાસ્ત્રોક્તવિધિ પ્રત્યેના પક્ષપાતને કારણે વીતરાગવચન પર બહુમાનભાવ વૃદ્ધિ પામે. (૨૪રો. અવતરણિકા : ऊर्ध्वमित्यादिमूलद्वारगाथायाः अधिकृतप्रतिद्वारगाथायाश्च चरमद्वारव्याचिख्यासयाऽऽह - અવતરણિકાર્ય : ‘ઊર્ધ્વ' ઇત્યાદિરૂપ પ્રત્યુપેક્ષણાની મૂળદ્વારગાથા ૨૩૩મીના અને અધિકૃત એવી પ્રત્યુપેક્ષણાની પ્રતિદ્વારગાથા ૨૩૯મીના ચરમ દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે – ભાવાર્થ : પ્રતિદિનક્રિયાની મૂળદ્વારગાથા ૨૩૦મી છે, અને તેમાં વર્ણવેલ ૧૦ દ્વારોમાંથી આદ્ય દ્વાર પ્રત્યુપેક્ષણા છે, અને તે આદ્ય દ્વારરૂપ પ્રત્યુપેક્ષણાની મૂળદ્વારગાથા ૨૩૩મી છે, જે પ્રતિદિનક્રિયાની પ્રતિદ્વારગાથા છે. આથી મૂળદ્વારગાથારૂપે ગાથા ૨૩૦મીનો ભ્રમ ન થાય અને મૂળદ્વારગાથારૂપે ગાથા ૨૩૩મી ભાસિત થાય, તદર્થે અવતરણિકામાં કર્ધ્વનિત્યાનમૂનદ્વારથાથા: એમ કહેલ છે. વળી પ્રતિદિનક્રિયાની મૂળદ્વારગાથાના આદ્ય દ્વારરૂપ પ્રત્યુપેક્ષણાની પ્રતિદ્વારગાથા ૨૩૯મી છે, એવું જણાવવા અર્થે જ અવતરણિકામાં થતપ્રતિદ્વારથાયા: એમ કહેલ છે, કેમ કે અત્યારે પ્રત્યુપેક્ષણાનો અધિકાર ચાલે છે, તેથી અધિકૃત એવી પ્રભુપેક્ષણા છે. આથી હવે પ્રત્યુપેક્ષણાની મૂલદ્વારગાથા ૨૩૩મીના છેલ્લા અને પ્રત્યુપેક્ષણાની પ્રતિદ્વારગાથા ૨૩૯મીના પણ છેલ્લા પ્રમાર્જનદ્વારનું પ્રસ્તુત ગાથામાં વ્યાખ્યાન કરે છે – ગાથા : तइ पमज्जणमिणं तव्वण्णऽद्दिस्ससत्तरक्खट्ठा। तक्खणपमज्जिआए तब्भूमीए अभोगाओ ॥२४३॥ અન્વયાર્થ : તરૂણં પમMUાં ત્રીજું પ્રમાર્જન છે. ફvi=આ=પ્રમાર્જન, તબૂUUાડદિસત્તર તેના વર્ણવાળા અદેશ્ય સત્ત્વોની રક્ષા અર્થે છે. (જીવોની સંભાવનાને આશ્રયીને પ્રમાર્જન છે તેમાં શાસ્ત્રયુક્તિ બતાવે છે –) તqUાપમન્નાઈ (પડિલેહણની પૂર્વે) તે ક્ષણમાં પ્રમાર્જિત એવીતભૂમી તે ભૂમિનો-પ્રત્યુપેક્ષણ કરાયેલી ભૂમિનો, સમોસા =અભોગ હોવાથી (બીજીવાર પ્રમાર્જન કરાય છે.) ગાથાર્થ : ત્રીજું “પ્રમાર્જન' દ્વાર છે, અને પ્રમાર્જન હાથ જેવા વર્ણવાળા અદૃશ્ય જીવોના રક્ષણ માટે છે. આ પ્રમાર્જન હાથમાં જીવોના સંભવને આશ્રયીને છે, તે શાસ્ત્રયુક્તિથી બતાડે છે – પડિલેહણ કરવા પૂર્વે તે જ ક્ષણે પ્રમાર્જિત ભૂમિ હોય અને પછી તે ભૂમિમાં વસ્ત્રનું પ્રતિલેખન કરેલા હોય, તો તે ભૂમિમાં ફરી કાજો કાઢ્યા પછી જ તે ભૂમિનો સાધુ ભોગ કરી શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy