SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૧-૨૪૨ - ૧૯ અન્વયાર્થ: તિરિ તિ, કુકીમાં, ઉર્ફે માત્ર=ઊર્ધ્વ=ઊંચે, માળમાં મદે ૩ પૂણv=અને અધો=નીચે, ભૂમિમાં પટ્ટ=ઘટ્ટન; ઇ તુ મુસત્ની એ વળી મોસલી છે. અવં=આ પ્રમાણે પાસત્ન=મોલીનું હતું #qui મuિrä સ્કુટ=પ્રગટ, લક્ષણ કહેવાયું. ગાથાર્થ : તિથ્થુ કુઠ્ઠીમાં, ઊંચે માળિયામાં અને નીચે ભૂમિમાં સંઘટ્ટન; એ વળી મોસલીદોષ છે. આ પ્રમાણે મોસલીદોષનું પ્રગટ લક્ષણ કહેવાયું. ટીકા : तिर्यक् कुड्यादौ, ऊर्ध्वं मालादौ, अधो भूम्यादौ, घट्टनं च लगनमिति गाथार्थः ॥२४१॥ ટીકાર્ય તિર્યફ કુડી આદિમાં ભીંત વગેરેમાં, ઊર્ધ્વ માલાદિમાં માળિયા વગેરેમાં, અને અધો ભૂમિ આદિમાં ઘટ્ટન કરવું=લાગવું વસ્ત્રનું અથડાવું, એ મોસલીદોષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મોસલી શબ્દ મુસલ અર્થમાં છે, જેને સાંબેલું કહેવાય છે; અને કંઈક ખાંડતી વખતે તે સાંબેલું નીચે જમીનને અડતું હોય છે, વળી ઉપર માળિયાને પણ અડતું હોય, અને ક્યારેક વચમાં ભીંત વગેરે સાથે પણ અથડાતું હોય; આમ, ત્રણ રીતે જેમ મુસલનો સંસર્ગ થાય છે, તેમ પડિલેહણ કરતી વખતે વસ્ત્ર પણ ક્યારેક ઉપર માળિયા વગેરેને, તો ક્યારેક નીચે જમીન વગેરેને અડતું હોય, અને ક્યારેક તિહુઁ ભીંત, પલંગ, પાટ વગેરે સાથે પણ અથડાતું હોય તો પ્રત્યુપેક્ષણમાં મોસલીદોષ લાગે. તેથી વસ્ત્રનું પ્રતિલેખન સમ્યગુ ન થઈ શકે; કેમ કે તે-તે સ્થાનના સંસ્પર્શથી ત્યાં રહેલા જીવોનો પણ વસ્ત્ર સાથે સંસર્ગ થવાની સંભાવના રહે, જેથી જીવવિરાધના થાય. માટે મોસલીદોષ ન લાગે તે રીતે સાધુએ વસ્ત્રપડિલેહણ કરવું જોઈએ. ર૪૧ી. અવતરણિકા : ગાથા ૨૩૯ના પૂર્વાર્ધ ભાગના અવયવોનું સ્વરૂપ બતાવ્યા પછી ગાથા ૨૩૯ના ઉત્તરાર્ધ ભાગના અવયવોનું સ્વરૂપ બતાવતાં કહે છે – ગાથા : छप्पुरिमा तिरिअकए नव खोडा तिन्नि तिन्नि अंतरिआ। ते उण विआणियव्वा हत्थंमि पमज्जणतिएणं ॥२४२॥ અન્વયાર્થ : છપ્પરિમા તિરિV=પૂર્વો તિર્યકૂકૃત એવા વસ્ત્રમાં (કરાય છે, ત્યારપછી) મનપતિ, મંતાિ તિન્ન તન્ન=પ્રમાર્જનત્રિકથી અંતરિત એવા ત્રણ-ત્રણ (પ્રસ્ફોટો મળીને) નવ ઘોડા-નવ પ્રસ્ફોટો થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy