SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રતિદિનક્રિયાવસ્તુકનું ભોજન' દ્વાર/ ગાથા ૩૮૩-૩૮૪ ભાવાર્થ : વિકૃતિ એ જીવનો પરિણતિરૂપ ધર્મ છે અને તે મોહસ્વરૂપ છે, જે મોહ વિગઈઓના સેવનથી ઉદીરણા પામે છે. અને જયારે મોહ ઉદીરણા પામે છે ત્યારે સારી રીતે પણ ચિત્તને જીતવામાં તત્પર સાધુ અકાર્યમાં પ્રવર્તી શકે છે. આશય એ છે કે સાધુ સંયમ ગ્રહણ કરીને ચિત્ત ઉપર જય મેળવવા યત્ન કરતા હોય છે, કેમ કે સાધુને સંસારનો ભય હોય છે. તોપણ સાધુ વિગઈઓનું સેવન કરે તો તે વિગઈઓ તેમના ચિત્તમાં વિકૃતિ પેદા કરે છે, અને તે વિકૃતિને કારણે તે સાધુમાં કામાદિ વિકારો પેદા થાય છે, જે વિકારોને કારણે તે સાધુની બાહ્ય ઇન્દ્રિયો ઉત્સુકતાને વશ થઈ બાહ્ય પદાર્થોને આશ્રયીને પ્રવર્તે છે, તેથી ચિત્તનો જય કરવામાં તત્પર પણ સાધુને કામાદિ વિકારો અકાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે. માટે સાધુએ વિગઈઓના સેવનથી દૂર રહેવું જોઈએ. li૩૮all અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે વિગઈઓના સેવનથી ચિત્તને જીતવામાં તત્પર સાધુ પણ અકાર્યમાં પ્રવર્તે છે. એ વાત દૃષ્ટાંતથી બતાવે છે – ગાથા : दावानलमज्झगओ को तदुवसमट्ठयाए जलमाई । संते वि न सेविज्जा मोहानलदीविए उवमा ॥३८४॥ અન્વયાર્થ: રાવીનનમાઝો દાવાનલની મધ્યમાં રહેલો =કોણ તદુવસમક્યા તેના-દાવાનલના, ઉપશમ અર્થે સંતે વિકસતું પણ=વિદ્યમાન પણ, નનમા જલાદિને ન વિના=ન સેવે ? મોદાનવીવિત્ર મોહાનલથી=મોહરૂપી અગ્નિથી, દીપ્તમાં વમ=(આ) ઉપમા છે. ગાથાર્થ : દાવાનલની મધ્યમાં રહેલો કોણ, દાવાનલના ઉપશમન માટે વિધમાન પણ જલાદિને ન સેવે ? મોહરૂપી અગ્નિથી દીપ્તમાં આ ઉપમા છે. ટીકા : ___ दावानलमध्यगतः सन् कस्तदुपशमार्थं जलादीनि सन्त्यपि न सेवेत ? सर्व एव सेवेत इत्यर्थः, मोहानलदीप्तेऽप्युपमेति जलादिस्थानीया योषितः सेवेतेति गाथार्थः ॥३८४॥ * “તે વિ”માં “મ'થી એ કહેવું છે કે દાવાનલની મધ્યમાં રહેલ પુરુષ જલાદિ ન હોય તો તો જલાદિ ન સેવે, પરંતુ જલાદિ હોય તોપણ જલાદિ ન સેવે એમ નહીં, સેવે જ. ટીકાર્ય : દાવાનલની મધ્યમાં રહેલો છતો કોણ તેના ઉપશમ અર્થે દાવાનલ શમાવવા માટે, છતા પણ જલાદિનેત્રવિદ્યમાન પણ પાણી આદિને, ન સેવે? અર્થાત્ સર્વ જ સેવે બધા જ જલાદિને સેવે. મોહરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy